SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ કથાનુગ–અરિષ્ટનેમિ-તીર્થમાં દ્રૌપદી કથાનક : સૂત્ર ૬૭ ૨૧ અત્યંત સુંદર હોય, રચીને મારી આ આજ્ઞા પૂરી કર્યાની મને જાણ કરો.' તેઓએ પણ તે જ પ્રમાણે કરી આશાપૂર્તિની જાણ કરી. ત્યાર બાદ દુપદ રાજાએ તે કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે તરત જ વાસુદેવ પ્રમુખ હજારો રાજાઓ માટે આવાસસ્થાન બનાવે, બનાવીને મારી આ આજ્ઞા પૂરી કર્યાની જાણ કરો.' તેઓએ પણ તે પ્રમાણે આજ્ઞાપાલન કર્યું. છઠ્ઠા દૂતને આમ કહ્યું- હે દેવાનુપ્રિય! તું મથુરા નગરીમાં જાય ત્યાં નું ધર રાજાને આ પ્રમાણે કહે છે કે-કાંડિલ્યપુર નગરમાં પધારજો.” સાતમા દૂતને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! તું રાજગૃહ નગરમાં જા. ત્યાં તું જરાસંધના પુત્ર સહદેવને આ પ્રમાણે કહેજે કે કાંડિલ્યપુર નગરમાં પધારજો.' આઠમા દૂતને આ પ્રમાણે કહ્યું- “હે દેવાનુપ્રિય ! નું કૌડિન્ય નગરમાં જા, તું ત્યાં ભીષ્મક રાજાના પુત્ર રુકિમને આમ કહેજે-કાંડિલ્યપુર નગરમાં પધારજો.’ નવમા દૂતને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! તું વિરાટનગરમાં જા અને ત્યાં સો ભાઈઓ સાથે કીચક રાજાને આમ કહેજે-કાપ્પિયપુર નગરમાં પધારજો.’ દસમા દૂતને આમ કહ્યું- હે દેવાનુપ્રિય ! તું હવે બાકી રહેલા ગામ, આકર, નગરમાં જા. ત્યાં ત્યાં તું અનેક હજારે રાજાઓને આ પ્રમાણે કહેજે કે-કાંપિલ્યપુર નગમાં પધારજો.” હજારે રાજાઓનું પ્રસ્થાન૬૭. ત્યાર પછી તે આમંત્રિત અનેક સહસ્ત્ર જુદા જુદા રાજાઓ સ્નાન કરી, રક્ષાકવચ આદિથી સજજ થઈ, ઉત્તમ હાથીની ખાંધે આરૂઢ થઈ હાથી, ઘોડા, રથ અને દ્ધાઓની બનેલી ચતુરગિણી સેનાથી વીટળાઇ, મહાન સુભટો, રથ, પાયદળવંદ સહિત પોતપોતાનાં નગરોમાંથી નીકળયા, નીકળીને જ્યાં પંચાલ જનપદ હતું ત્યાં જવા ઉદ્યત થયા. કુપદકૃત વાસુદેવ આદિને સત્કાર૬૮. ત્યાર પછી દ્રુપદ રાજાએ કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! તમે જાઓ અને કાંપિલ્યપુર નગરની બહાર ગંગા મહાનદીથી ન અતિ દૂર કે ન અતિ નિકટ એવા યોગ્ય સ્થાને એક સ્વયંવર-મંડપ રચાવો-જે અનેક સેંકડો સ્તંભોવાળો, લીલા કરતી અનેક શાલભંજિકાઓ યુક્ત યાવત્ પ્રાસાદિક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ અર્થાત્ ત્યાર પછી દ્રુપદ રાજા વાસુદેવ પ્રમુખ હજારો રાજાઓનું આગમન થયું તે જાણીને પ્રત્યેકના સ્વાગત માટે ઉત્તમ હાથી પર બેસી કરંટ પુષ્પોની માળાઓ યુકત છત્ર ધારણ કરી, શ્રેષ્ઠ શ્વેત ચામરના વીજણા સાથે હાથી-ઘોડા–રથ અને કોષ્ઠ યોદ્ધાઓની બનેલી ચતુરંગિણી સેનાથી વીટળાઈને, મહાન સુભટો, રથો, પાયદળથી ઘેરાઈને, સત્કારપૂજાને યોગ્ય સામગ્રી અને પાદપ્રક્ષાલન માટે પાણી લઈને, સમસ્ત ઋદ્ધિ વૈભવ સાથે કાંપિલ્પપુર નગરથી બહાર નીકળે, નીકળીને જ્યાં તે વાસુદેવ પ્રમુખ અનેક હજાર રાજાઓ હતાં ત્યાં આવ્યા, આવીને તે વાસુદેવ પ્રમુખ રાજાઓનો અર્થો અને પાદ્યથી સત્કાર કર્યો, સન્માન કર્યું, સત્કાર-સન્માન કરી ને વાસુદેવ પ્રમુખ દરેકને જુદા જુદા આવાસ આપ્યાં. ૬૯. ત્યાર પછી તે વાસુદેવ પ્રમુખ રાજાઓ જ્યાં પોતપોતાના આવાસ હતા ત્યાં ગયા, ત્યાં જઈને હાથીના સ્કંધ પરથી નીચે ઊતર્યા, ઊતરીને પોતપોતાની અલગ અલગ છાવણીઓ કરી, છાવણીઓ કર્યા પછી પોતપોતાના આવાસમાં પ્રવેશ્યા, પ્રવેશીને પોતપોતાના આવાસમાં આસનો પર કે શૈયા પર બેઠા અને અનેક ગંધ–ગવૈયાઓ પાસે ગીત ગવડાવતા અને નટો પાસે નાટક કરાવતા વિચરવા લાગ્યા. ત્યાર પછી દ્રુપદ રાજા કાંડિલ્યપુર નગરમાં પાછો ફર્યો, પાછા આવી વિપુલ અશન-પાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy