SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ધર્મ કથાનુયાગ—મહાવીર–તીર્થમાં પૂરણુ બાલ-તપસ્વી થાનક : સૂત્ર ૩૪૫ ત્યાં સુધી મારા માટે તે શ્રેયસ્કર થશે કે કાલે રાત્રિ વીતી પ્રકાશ થતાં યાવત્ સૂર્યના ઉદય થતાં અને સહસ્ર રશ્મિ દિનકર જાજ્વલ્યમાન તેજ સાથે પ્રકાશિત થતાં બેભેલ સન્નિવેશના દૃષ્ટિભ્રષ્ટ (મિથ્યાર્દષ્ટિ), પાર્શ્વસ્થ, ગૃહસ્થ પૂર્વપરિચિત અને પૂર્વના સાથીએ આદિને પૂછીને બેભેલ સન્નિવેશની વચ્ચેાવચ થઈ નીકળીને પાદુકાકુ'ડિકા આદિ ઉપકરણા અને ચાર ખાનાવાળા કાપાત્રને એક બાજુ છોડી દઈને બેભેલ સન્નિવેશના દક્ષિણ પૂર્વ દિશા ભાગમાં (અગ્નિકોણમાં) અનિતા નિક મ`ડળનું આલેખન કરી સાફસૂફી કરી સલેખના ધ્યાન દ્વારા આત્માનું ધ્યાન ધરીને, આહાર પાણીના ત્યાગ કરીને પાદાપગમન પૂર્વક મરણની આકાંક્ષા રાખ્યા વિના વિચરણ કરુ’ દ્વારા સૂર્યની સામે મુખ રાખી ઊંચા હાથ રાખી તડકા સહન કરતા રહીશ-આતાપના લેતાં હું સમય પસાર કરીશ તથા છઠ્ઠના પારણાને દિવસે પણ આતાપના ભૂમિથી ઊતરીને ચાર ખાનાવાળું કાપાત્ર લઈને બેભેલ નામના સન્નિવેશમાં ઊંચા નીચા અને મધ્યમ કુળામાં ગૃહસામુદાનિક ભિક્ષાચર્યા માટે પરિભ્રમણ કરતાં જે મારા પ્રથમ ખાનામાં મળશે તે માટે વાટમાં મળતાં વટેમાર્ગુ એને દેવું, જે કાંઈ મારા પાત્રના બીજા ખાનામાં પડે તે મારે કાગડા, પાપટ વગે૨ે પક્ષીઓને દેવું, જે કાંઈ મારા પાત્રના ત્રીજા ખાનામાં પડે તે માટે માછલી, કાચબા વગે૨ે જળચર જીવાને આપવું' અને જે કઈ ચેાથા ખાનામાંપ્રાપ્ત થશે તે મારે ખાવાને માટે કલ્પ્ય છે.” એ પ્રમાણે વિચાર કર્યાં, વિચાર કરી કાલ રાત્રિને પ્રભાત રૂપમાં પરિવર્તિત થતાં વગેરે સમસ્ત વર્ણન-યાવત્જે મારા ચેાથા ખાનામાં પ્રાપ્ત થશે–મળશે તેના પાતે આહાર કરશે [ત્યાં સુધીનું કથન પૂર્વવત્ અહીં કહેવું.] ત્યારબાદ તે પૂરણ બાલતપસ્વી, તે ઉદાર, વિપુલ, પ્રદત્ત અને પ્રગૃહીત બાલતપક વડે શુષ્ક, રુક્ષ, માંસહિત માત્ર ચામડીથી વીંટળાયેલ કડ કડ અવાજ કરતા હાડકાવાળા, કુશ, શરીર ઉપર દેખાઈ આવતી નર્સાવાળા થઈ ગયા. પૂરણની સલેખના— ૩૪૪. તે પછી તે પૂરણ બાલતપસ્વીને કોઈ એક સમયે મધ્યરાત્રિએ અનિત્ય ભાવનાનું ચિંતન કરતાં કરતાં આ આવા પ્રકારના અધ્યવસાયવિચાર ઇચ્છા સ`કલ્પ ઉત્પન્ન થયેા—નિશ્ચય આવા પ્રકારના વિશાળ વિપુલ પ્રયત્નપૂર્વક ગ્રહણ કરેલ કલ્યાણકારી શિવ, ધન્ય, મ‘ગલ, સીક, ઉદગ્ર, ઉદાત્ત, ઉત્તમ, પ્રભાવક તાક થી શુષ્ક, ભૂખ્યા યાવત્ ઉપસેલી નર્સાવાળા થઈ ગયા છું, તેાપણ જ્યાં સુધી મારામાં ઉડવાની શક્તિ, ઉત્સાહ, ક, બળ, વી, આત્મિક શક્તિ, પુરુષાર્થ-પરાક્રમ શક્તિ છે Jain Education International આવા પ્રકારના સંકલ્પ કર્યા, સંકલ્પ કરીને કાલે રાત્રી વીતી પ્રભાત થતાં-યાવત્-સૂર્યના ઉદય થતાં અને સહસ્ર રશ્મિ દિનકર જાજ્વલ્યમાન તેજ સાથે પ્રકાશિત થતાં બેભેલ સન્નિવેશના દૃષ્ટિ ભ્રષ્ટ (મિથ્યા દૃષ્ટિ), પાષ’ડી, ગૃહસ્થ, પૂર્વ પરિચિત અને પૂર્વના સાથિયા આદિને પૂછયુ', પૂછીને બેભેલ સન્નિવેશની વચ્ચેવચ થઈ નીકળ્યા, નીકળીને પાદુકા કુડિકા આદિ ઉપકરણા અને કાપાત્ર એકબાજુ છોડી દઈને બેભેલ સન્નિવેશના દક્ષિણ પૂર્વ દિશાભાગમાં અનિતા નિક મ`ડલનું આલેખન કરી પ્રતિલેખ કરી સલેખના ધ્યાન ધરીને આહાર પાણીના ત્યાગ કરીને પાદાપગમન પૂર્વક સંથારા સ્વીકાર્યા. મહાવીરના છદ્મસ્થ કાળમાં સુસુમારપુરમાં વિહાર— ૩૪૫. હે ગૌતમ ! તે કાળે તે સમયે હું છદ્મસ્થાવસ્થામાં હતા અને મને દીક્ષા લીધે અગીયાર વર્ષ થયા હતા. તથા હું નિરંતર છ છઠ્ઠના તપપૂર્વક સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા પૂર્વાનુપૂર્વી ક્રમથી ચાલતા એક ગામથી બીજા ગામમાં ફરતા જે તરફ સુસુમાર For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy