SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ કમલથાનુયોગ–મહાવીર-તીર્થમાં દેવદત્તા કથાનક : સત્ર ૩૨૮ ત્યારપછી તે વૈશ્રમણ રાજાએ પુષ્પનંદી કુમારને દેવદત્ત બાલિકા સાથે સર્વ કૃદ્ધિ વડે યાવતુ-દુદુભિ વગેરે વાદ્યોના ઘોષ સાથે મહાન અદ્ધિ અને સત્કાર સમુદાય વડે પાણિગ્રહણ વિવાહ-સંસ્કાર કરાવ્યા, વિવાહ-સંસ્કાર કરીને દેવદત્ત બાલિકાના માતા-પિતા, મિત્રો, જ્ઞાતિજનો, પોતીકાં સ્વજનો, સંબંધીઓ અને પરિજનોનું વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ચાર પ્રકારના ભોજનથી, પુષ્પ, વસ્ત્ર, ગંધ, માલા, અલંકાર વગેરેથી સત્કાર-સન્માન કર્યું, સત્કાર સન્માન કરીને તેમને વિદાય કર્યા. પ્રકારની ભજન સામગ્રીનો આસ્વાદ, વિસ્વાદ, વિતરણ અને પરિભાગ કરનો વિચરવા લાગ્યા. ભોજન કરી લીધા પછી પાણીથી મુખશુદ્ધિ વગેરે કરી અત્યંત સ્વચ્છ અને અત્યંત પવિત્ર થઈ તેણે મિત્રો, જ્ઞાતિજનો, પોતાના સ્વજનો, સંબંધીઓ અને પરિચિતોનું વિપુલ ૫૫, વસ્ત્ર, ગંધ, માલા, અલંકારો વગેરેથી સત્કારસન્માન કર્યું, સત્કાર-સન્માન કરી દેવદત્ત બાલિકીને સ્નાન કરાવ્યું–થાવત્ શરીરને સર્વ અલંકારોથી વિભૂષિત કરી હજાર પુરુષથી વહન કરાની શિબિકા-પાલખીમાં બેસાડી, બેસાડીને ઘણા મિત્રો, જ્ઞાતિજનો, બંધુએ સ્વજનસંબંધીઓ, અને પરિચિતોથી વીંટળાએલી | સર્વ ઋદ્ધિ, વૈભવ-વાવતુ-દુભિ વગેરે વાદરો ના અવાજ સાથે રોહીતક નગરની વચ્ચોવચ્ચ થઈને જ્યાં શ્રમણ રાજાનો મહેલ હતો અને જ્યાં શ્રમણ રાજા હતો ત્યાં લાવ્યા, ત્યાં આવને બે હાથ જોડી મસ્તક પર આવપૂર્વક અંજલિ રચી શ્રમણ રાજાને જયવિજય શબ્દોથી વધાવ્યો, વધાવીને તે વૈશ્રમણ રાજાને દેવદત્તા બાલિકા અર્પણ કરી–સપી. દેવદત્તા પુપનન્દી યુવરાજનું પાણિગ્રહણ ૩૨૯. ત્યાર પછી તે વૈશ્રમણ રાજાએ દેવદત્તા બાલિકાને પ્રાપ્ત થયેલી જોઈ, પ્રાપ્ત થયેલી જોઈને હણ-તુષ્ટ થઈને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એમ ચાર પ્રકારનાં ભોજન તૈયાર કરાવ્યાં, કરાવીને મિત્રો, જ્ઞાતિજનો, પોતીકાંજનો, સ્વજનો સંબંધીઓ અને પરિજનોને આમંત્રિત કર્યાયાવતુ-સત્કાર સન્માન કર્યું, સત્કાર સન્માન કરી પુષ્પનન્દી કુમાર અને દેવદત્ત બાલિકાને પટ્ટક (બાજોઠ) પર બેસાડ્યા, બેસાડીને સફેદ અને પીળા (ચાંદી અને સેનાના) કળશથી સ્નાન કરાવ્યું. સ્નાન કરાવીને વિવાહોચિત સુંદર વસ્ત્રોથી અલંકૃત કર્યો, અલંકૃત કરીને અગ્નિહામ | કરાવ્યા, હોમ કરાવીને પુષ્પનંદીકુમારને દેવ| દત્ત બાલિકાનું પાણિગ્રહણ કરાવ્યું. ત્યાર બાદ પુપનન્દી કુમાર દેવદત્તા ભાર્યા સાથે, કોર્ડ પ્રાસાદના ઉપરિભાગમાં, જેમાં મૃદંગો વાગી રહ્યાં હતાં એવા બત્રીસ પ્રકારના નાટક દ્વારા ગીત-સંગીતને માણતો, આનંદક્રીડા કરતો, ઇષ્ટ શબ્દ-સ્પર્શ-રસ-રૂપ-ગંધ વિષયક મનુષ્ય સંબંધી વિપુલ કામભોગો ભોગવતો સમય ગુજરવા લાગ્યા. પિતાનું મરણ અને પુષ્પનન્દીનું રાજ્યારોહણ– ૩૩૦. ત્યાર બાદ કઈ એક સમયે વૈશ્રમણ રાજા કાળધર્મને વશ થયો અર્થાત્ મરણ પામ્યો. પુપનન્દીએ તેની ઉત્તરક્રિયા આદિ કર્યા યાવતુ પોતે રાજા થયો. તે પુષ્પગંદી રાજા પોતાની માતા શ્રીદેવીનો ભક્ત હતો. પ્રતિદિન જ્યાં શ્રીદેવી રહેતી હતી ત્યાં આવતો, આવીને શ્રીદેવીને પાયવંદન કરીને શતપાક-સહસ્ત્રપાક તેલો વડે માલિશ કરતો પછી અસ્થિ-માંસ-ત્વચા-રોમરાજી એવી ચારે અંગોને સુખપ્રદ અંગમર્દનવિધિ કરતો. તે પછી સુંગંધી ઉબટનથી શરીરને ઉબટન કરતો, પછી ઉષ્ણ-શીત અને સુગંધી એવા ત્રણ પ્રકારના જળથી સ્નાન કરાવતો, ત્યાર પછી વિપુલ અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય આહારનું ભોજન કરાવત, ભોજન પછી શ્રીદેવી સ્નાન અને બલિકમ-કૌતુક-મંગળ-પ્રાયશ્ચિત આ ભોજનથી પરવારતી ત્યારે જ પોતે સ્નાન કરતો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy