SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ યાનુયાગ—મહાવીર–તીથમાં શકટ યાનક ઃ સૂત્ર ૨૫૮ wwwwwwwwwwww~~~~~~~~~~~ પરિષદ અને રાજા ગયા. ભગવાને ધર્મોપદેશ આપ્યા. પરિષદ પાછી ફરી. તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના જ્યેષ્ઠ અંતેવાસી ગૌતમ સ્વામી યાવત્ રાજમાર્ગ પરથી નીકળ્યા. ત્યાં તેમણે અનેક હાથી, ઘેાડા અને બીજા અનેક પુરુષોને જોયા. તે પુરુષો વચ્ચે એક સ્ત્રી સહિત પુરુષને ઘેરાયેલા જોયા, જેના હાથ અને ગરદન પાછળથી બાંધવામાં આવ્યા હતા, કાન અને નાક કપાયેલા હતા યાવત્ ફૂટેલા ઢોલ વગાડીને કરવામાં આવતી અને આ પ્રમાણેની ધેાષણા ગૌતમે સાંભળી ‘ હે દેવાનુપ્રિયા ! આશકટ બાળકની સજા માટે કાઈ રાજા કે રાજપુત્ર જવાબદાર નથી પરંતુ આ તે એના પાતાના જ કર્મની સજા છે.' શકટના છણિક છાર્પાલક ભવનુ વન— ૨૫૮. ત્યારે ભગવાન ગૌતમે વિચાર કર્યા ઇત્યાદિ પૂર્વવત્ જાણવું-યાવત્ ભગવાને ઉત્તર આપ્યા— “ હે ગૌતમ ! તે કાળે, તે સમયે જમ્બુદ્રીપના ભારત વર્ષમાં છગલપુર નામે એક નગર હતું. ૫૪ તેમાં સિંહગિરિ નામે રાજા હતા, જે મહાહિમવાનૂ, મલય, મંદર પતા સમાન મહાન અને રાજાઓમાં પ્રધાન હતા. ૨૫૯. તે છગલપુર નગરમાં છણિક નામે એક છાગલિક–બકરાનું માંસ વેચનાર રહેતા હતા, જે ધનાઢય યાવત્ કાઈથીય ગાંજ્યા જાય તેવા ન હતા, અધાર્મિક યાવત્ દુષ્પ્રત્યાનન્દ (જેને ખુશ કરવે એ અત્ય’ત મુશ્કેલ કાર્ય હતુ) હતા. જેમાં સેકડા, હજારો પશુઓને રાખી શકાય તેવા તે છણિકના વિશાળ વાડામાં અનેક અજ, બકરાં, ઘેટાં, રોઝ, ગાય, બળદ, સસલા, સૂવર, બાળમૃગ, સિંહ, હરણ, માર અને ભેંસના સમૂહો પૂરાઈ રહેતા હતા. જેમને વેતનમાં રૂપિયા અને ભાજન આપવામાં આવતું હતું તેવા અન્ય પુરુષો Jain Education International ૮૧ તે વાડામાં રહેલાં બકરાં યાવત્ ભેંસાનુ સંરક્ષણ તથા સગાપન કરતા, દેખરેખ કરતા હતા. કણિકનું માંસભક્ષણ તેમ જ માંસના વેપાર— ૨૬૦, રૂપિયા અને ભાજન રૂપે વેતન પ્રાપ્ત કરતા અન્ય પુરુષો ઘણા બધા બકરા યાવત્ ભેંસાને જીવન રહિત કરતા, મારી નાખતા, મારીને કાતર વડે તેના માંસને કાતરતા અને કાતરીને છણિક છાગલિકને આપતા. બીજા અનેક પુરુષો તે બકરાના માંસને યાવત્ ભેંસાના માંસને તવા પર, લેાઢી પર, હાંડીમાં અને અંગાર પર તળતા, સેકતા અને શૂળ વડે પકાવતા, તળીને સેકીને અને શૂળ વડે પકાવીને તે માંસને ાજમાર્ગ પર વેચીને પેાતાની આજીવિકા કમાતા. છણિક છાગલિક પાતે પણ શૂળ પર પકવેલા, તળેલા અને બાફેલા તે બકરાના માંસના ટૂકડાએ યાવત્ ભેંસના માંસના ટૂકડા અને સુરા, મધુ, મેરક, જાતિ, સીધુ અને પ્રસન્ના મદિરાના આસ્વાદ કરતા, વારંવાર આસ્વાદ કરતા, વહેચતા અને ખાતેા-પીતા વિચરણ કરતા. ણિકનું મરણ અને નારકરૂપે ઉત્પન્ન થવું૨૬૧. તત્પશ્ચાત્ તે છણિક છાગલિક આવા કર્યાંથી, આવા કાર્યની પ્રધાનતાને કારણે, આવા જ્ઞાનવિજ્ઞાન અને આવા આચરણથી અત્યંત કલુષ ઘણા પાપકર્મીનું ઉપાર્જ ન કરીને સાતસા વનુ પૂરું આયુષ્ય ભાગવીને મરણ સમયે મરણ પામીને ચેાથી નરકપૃથ્વીમાં ઉત્કૃષ્ટ દસ સાગરોપમના આયુષ્યવાળા નારકમાં નારકરૂપે ઉત્પન્ન થયા. શકટની વમાનભવ કથા— ૨૬૨. ત્યારબાદ સુભદ્ર સાર્થવાહની ભદ્રાભાર્યા જાનિ દુકા—મૃતવંધ્યા હતી, જેથી ઉત્પન્ન થતાં સુધીમાં જ તેનું બાળક વિનાશ પામતું, અર્થાત્ મરી જતું. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy