SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ધ કથાનુયાગ—મહાવીર–તીર્થમાં જમાલિ નિહવ કથાનક : સૂત્ર ૪૧ અશ્રાદ્ધા, અપ્રતીતિ અને અરુચિ કરી બીજી વાર પણ મારી આજ્ઞાનું ઉલ્લંધન કરી, બહાર નીકળી ગયા અને નીકળીને ઘણા અસદ્ અસત્ય ભાવને પ્રકટ કરવા વડે અને મિથ્યાત્વના અભિનિવેશ વડે પાતાને, પરી તથા બન્નેને ભ્રાન્ત કરતા અને મિથ્યાજ્ઞાનવાળા કરતા ઘણાં વરસ સુધી શ્રમણ પર્યાયનું પાલન કરી, અર્ધ માસિક સલેખના વડે આત્માને સ્વચ્છ-શુદ્ધ કરીને અનશન વડે ત્રીસ ભક્તોને પૂરા કરી તે પાપસ્થાનકને આલાગ્યા કે પ્રતિક્રમ્યા સિવાય કાળ સમયે કાળ કરીને લાન્તક દેવલાકો વિષે તેર સાગરોપમની સ્થિતિવાળા કિવિષિક દેવામાં કલ્ટિષિક દેવ પણે ઉત્પન્ન થયો છે.’ કિવિષિક દેવાના ભેદ વગેરેતુ નિરૂપણ— ૪૧. પ્ર.—‘હે ભગવન્ ! કિલ્બિષિક દેવા કેટલા પ્રકારના કહ્યા છે?” ૪૦ ઉ.—‘હે ગૌતમ! કિલ્વિષિક દેવા ત્રણ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—ત્રણ પલ્યાપમની સ્થિતિવાળા, ત્રણ સાગરોપમની સ્થિતિવાળા અને તેર સાગરોપમની સ્થિતિવાળા.' પ્ર.—‘હે ભગવન્ ! ત્રણ પલ્યાપમની સ્થિતિવાળા કિલ્ટિષિક દેવા કયાં રહે છે ?' ઉ.—‘હે ગૌતમ! જ્યાતિષ્કદેવાની ઉપર અને સૌધર્મ અને ઈશાન દેવલાકની નીચે ત્રણ પલ્યાપમની સ્થિતિવાળા કિલ્ટિષિક દેવા રહે છે.’ પ્ર.—‘હે ભગવન્ ! ત્રણ સાગરોપમની સ્થિતિવાળા કિલ્વિષિક દેવા કયાં રહે છે?” ઉ.−‘હે ગૌતમ ! સૌધર્મ અને ઈશાનદેવલાકની ઉપર તથા સનત્કુમાર અને મહેન્દ્ર દેવલાકની નીચે ત્રણ સાગરોપમની સ્થિતિવાળા કિવિષિક દેવા રહે છે.' પ્ર.—‘ હે ભગવન્ ! તેર સાગરોપમની સ્થિતિવાળા કિક્વિષિક દેવા કયાં નિવાસ કરે છે?’ Jain Education International ૧ ઉ.−‘ હે ગૌતમ ! બ્રહ્મલેાકની ઉપર અને લાંતક કલ્પની નીચે તેર સાગરોપમની સ્થિતિવાળા કિક્વિષિક દેવા રહે છે.' પ્ર.-હે ભગવન્ ! કિલ્વિવિષક દેવા કયા કમના નિમિત્તે કિલ્વિષક દેવપણે ઉત્પન્ન થાય છે ? ’ ઉ.-‘ હે ગૌતમ ! જે જીવા આચાર્ય ના પ્રત્યેનીક (દ્વેષી), ઉપાધ્યાયના પ્રત્યેનીક, કુલપ્રત્યેનીક, ગણપ્રત્યેનીક અને સંધના પ્રત્યનીક હાય, તથા આચાર્ય અને ઉપાધ્યાયના અયશ કરનારા, અવર્ણવાદ (નિંદા) કરનારા અને અકીતિ કરનારા હોય, તથા ઘણા અસત્ય અર્થને પ્રગટ કરવાથી અને મિથ્યા કદાગ્રહથી પાનાને, પરને અને બંનેને ભ્રાન્ત કરતા, દુર્ગંધ કરતા, ઘણા વરસ સુધી સાધુપણાને પાળે, અને પાળીને તે અકાર્ય-સ્થાનનુ આલાચન કે પ્રતિક્રમણ કર્યા સિવાય મરણસમયે કાળ કરીને ત્રણ પલ્યાપમની સ્થિતિવાળા, ત્રણ સાગરોપમની સ્થિતિવાળા કે તેર સાગરોપમની સ્થિતિવાળા કિલ્બિષિક દેવામાં કિવિષિક દેવ રૂપે ઉત્પન્ન થાય છે. ' પ્ર.− હે ભગવન્ ! તે કિલ્વિષિક દેવા આયુષ્યના ક્ષય થવાથી, ભવના ક્ષય થવાથી, સ્થિતિના ક્ષય થવાથી, તરત તે દેવલાકથી ચ્યવીને કાં જાય-કચાં ઉત્પન્ન થાય ? ' ઉં.- ‘ હે ગૌતમ ! કેટલાક કિવિષિક દેવા નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવના ચાર કે પાંચ ભવા કરી, એટલા સમય સંસાર-ભ્રમણ કરીને ત્યાર પછી સિદ્ધ થાય, બુદ્ધ થાય, મુક્ત થાય છે, પરિનિર્વાણ પ્રાપ્ત કરે છે અને સ દુ:ખાના નાશ કરે છે. અને કેટલાક કિક્વિષિક દેવા તે અનાદિ, અનંત અને દી મા - વાળી ચારગતિવાળી સંસાર અટવીમાં ભમ્યા કરે છે. ’ પ્ર.-‘હે ભગવન્ ! શું જમાલિ નામે અનગાર રસ રહિત આહાર કરતા, વિરસાહાર કરતા, અતાહાર કરતા, પ્રાંતાહાર કરતા, રુક્ષા For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy