SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ wwwwww ધ કથાનુયાગ—મહાવીર-તીમાં જમાલિક નિહ્નવ સ્થાનક ઃ સુત્ર ૩૪ www બહુશાલ નામે ચૈત્યથી તે નીકળ્યા, નીકળીને પાંચસા સાધુઓની સાથે બહારના દેશમાં વિહરવા લાગ્યા. તે કાળે અને તે સમયે શ્રાવસ્તી નામે નગરી હતી—વર્ણન. ત્યાં કાષ્ઠક નામે ચૈત્ય હતું વર્ણન-યાવર્તુ-વનખંડ–વર્ણન. તે કાળે અને તે સમયે ચંપા નામે નગરી હતી-વર્ણન. પૂર્ણભદ્ર ચૈત્ય હતું, તેનું પૃથ્વીશિલાપટ્ટ સુધીનુ વર્ણન. ત્યાર બાદ અન્ય કોઈ દિવસે તે જમાલિ અનગાર પાંચસા સાધુઓના પરિવારની સાથે અનુક્રમે વિહાર કરતા, એક ગામથી બીજે ગામ જતા જ્યાં શ્રાવસ્તી નામે નગરી હતી અને જ્યાં કોષ્ટક શૈત્ય હતું ત્યાં આવ્યા, ત્યાં આવીને યથાયાગ્ય અવગ્રહને ગ્રહણ કરીને સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિહરવા લાગ્યા. ભગવાન મહાવીરનુ· ચ‘પામાં આગમન— ૩૧. ત્યાર બાદ અન્ય કોઈ દિવસે શ્રમણ ભગવાન મહાવીર અનુક્રમે વિચરતા, એક ગામથી બીજે ગામ સુખપૂર્વક વિહરતા જ્યાં ચંપાનગરી હતી અને જ્યાં પૂર્ણ ભદ્ર ચૈત્ય હતું ત્યાં આવ્યા, આવોને યથાયાગ્ય અવગ્રહને ધારણ કરી સયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિહરવા લાગ્યા. જમાલિને રાગાત'ક-પીડા અને શયા-સસ્તરણની આજ્ઞા ૩૨. ત્યાર બાદ અન્ય કોઈ દિવસે તે જમાલિ અનગારને રસરહિત, વિરસ, અન્ત, પ્રાન્ત, રુક્ષ (લુખા), તુચ્છ, કાલાતિક્રાંત, (ભુખ તરસના કાળ વીતી ગયા પછી), પ્રમાણાતિક્રાંત (પ્રમાણથી વધારે કે આછા), શીત પાન-ભાજનથી માટા વ્યાધિ પેદા થયા. તે વ્યાધિ અત્યંત દાહ કરનાર, વિપુલ, સખ્ત, કર્કશ, કટુક, ચંડ (ભયંકર) દુ:ખરૂપ, કષ્ટસાધ્ય, તીવ્ર અને અસહ્ય હતા. તેમનુ શરીર પિત્તજ્વરથી વ્યાપ્ત હોવાથી તેઓ દાહની પીડા સહન કરતા રહેવા લાગ્યા. ત્યારે વેદનાથી પીડિત થયેલા તે જમાલિ અનગારે પાતાના કામણ નિગ્ર થાને બાલાવ્યા, Jain Education International બાલાવીને તેમને આ પ્રમાણે કહ્યું —‘ હે દેવાનુપ્રિયા ! તમે મારે સુવા માટે સ`સ્તારક (શય્યા) પાથરો.’ ત્યાર બાદ તે કામણ નિગ્રન્થાએ જમાલિ અનગારની આ આશાને! વિનયપૂર્વક સ્વીકાર કર્યા, સ્વીકાર કરી જમાલિ અનગારને સુવા માટે સસ્તારક પાથરવા લાગ્યા. જમાલિ અને તેમના શિષ્યા વચ્ચે શૈયા કરવામાં ‘કૃત-ક્રિયમાણ ’ ના વિષયમાં પ્રશ્નોત્તર— ૩૩. ત્યારે તે જમાલિ અનગારે અત્યંત વેદનાથી વ્યાકુળ થઈને ફરીથી શ્રામણ નિરૢ થાને બાલાવ્યા અને બાલાવીને ફરીથી તેમણે આ પ્રમાણે કહ્યું કે-‘હે દેવાનુપ્રિયા ! મારે માટે સંસ્તારક કર્યા કે કરાય છે ?’ ત્યારે તે શ્રમણ નિગ્રન્થાએ જમાલિ અનગારને આ પ્રમાણે કહ્યુ –‘ આપ દેવાનુપ્રિયને માટે શય્યાસ સ્તારક તૈયાર કર્યા નથી પણ કરાય છે. ’ ચલમાન ચલિત' ઇત્યાદિ ભગવાનની પ્રરૂપણાથી જમાલિના વિપરીત મત— ૩૪. ત્યાર પછી તે જમાલિ અનગારને આ અને આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિન્તિત, પ્રાર્થિત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયા કે–“ કામણ ભગવંત મહાવીર જે પ્રમાણે કહે છે-યાવત્પ્રરૂપણા કરે છે કે ચલમાન તે ચિલત છે (ચાલતું હોય તે ચાલ્યુ ગણાય), ઉદીય માણ તે ઉદીરિત છે (પ્રેરાતું કે કહેવાતું તે પ્રેરિત કે કથિત છે), વેદ્યમાન વેદિત છે, પ્રક્ષીણમાન પ્રક્ષીણ છે, છિદ્યમાન છિન્ન છે, ભિદ્યમાન ભિન્ન છે, દગ્ધમાન દગ્ધ છે, થ્રિયમાણ મૃત છે, નિય માણનિ છે-તે વાત મિથ્યા છે, જૂઠી છે. કેમકે એ તા પ્રત્યક્ષ જોઈ શકાય છે કે જ્યાં સુધી શૈયા-સસ્તારક તૈયાર કરવામાં આવે છે ત્યાં સુધી કરવામાં આવ્યા નથી (પથારી પથરાઈ રહી છે ત્યાં સુધી પથારી કરવામાં આવી નથી) જ્યાં સુધી શૈયા સંસ્તારક તૈયાર કરાય રહી છે ત્યાં સુધી તે કાર્ય થયું For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy