SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ-મહાવીરતીર્થમાં જમાલિ નિધવ કથાનક: સૂત્ર ૮ તુર થયું, કરનલ વડે ચોળાયેલી કમળમાળાની પેઠે તેનું શરીર તકાળ ગ્લાન અને દુર્બલ થયું, તે લાવણ્યશૂન્ય, પ્રભારહિત અને શોભા વિનાની થઈ ગઈ. તેનાં આભૂષણો ઢીલાં થઈ ગયાં, અને તેથી તેના નિર્મલ વલયો પડી ગયાં અને ભાંગીન ચૂર્ણ થઈ ગયાં. તેનું ઉત્તરીય વસ્ત્ર શરીર ઉપરથી સરી ગયું અને મૂછ વડે તેનું ચિંતન્ય નષ્ટ થયું હોવાથી તે ભારે શરીરવાળી થઇ ગઈ. તેનો સુકમાલ કેશપાશ વિખરાઈ ગયો. કુહાડીના ઘાથી છેદાયેલી ચંપકલતાની પેઠે અને ઉત્સવ પૂરો થતાં ઇન્દ્રધ્વજદંડની જેમ તેનાં સંધિ-બંધનો શિથિલ થઈ ગયાં, અને તે સર્વ અંગો વડે “ધ” દઈને નીચે ધરતી પર પડી ગઈ. અંદરની ઉપસ્થાનશાળા હતી, જ્યાં માતા- પિતા હતા, ત્યાં આવ્યા, આવીને માતાપિતાને જ્ય અને વિજય શબ્દોથી વધાવ્યા, વધાવીને તેણે આ પ્રમાણે કહ્યું–હે માતાપિતા ! આ પ્રમાણે મેં શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મ સાંભળ્યો છે, તે ધર્મ મને ઇષ્ટ છે, અત્યન્ત ઇષ્ટ છે અને તેમાં મારી અભિરુચિ થઇ છે.” ત્યાર પછી તે જમાલિકુમારને તેના માતાપિતાએ આ પ્રમાણે કહ્યુંહે પુત્ર ! તુ ધન્ય છે. તું કૃતાર્થ છે, હે પુત્ર ! તું કુતપુણ્ય છે અને હે પુત્ર ! તું કાલક્ષણ છે કે જે તે શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી ધર્મને સાંભળ્યો છે, અને તે ધર્મ તને પ્રિય છે, અત્યંત પ્રિય છે અને તેમાં તારી અભિરુચિ થઈ છે.” પછી તે જમાલિ ક્ષત્રિયકુમારે બીજીવાર પણ પોતાના માતા-પિતાને આ પ્રપાણે કહ્યું—“હે માતા-પિતા ! મેં શ્રમણ ભગવાન મહાવીરની પાસેથી ધર્મ સાંભળ્યો છે, તે ધર્મ મને ઈષ્ટ છે, અત્યંત ઇષ્ટ છે અને તેમાં મારી અભિરુચિ થઈ છે. હે માતા-પિતા ! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું, જન્મ જરા અને મરણથી ભય પામ્યો છું, તેથી હે માતા-પિતા ! તમારી આજ્ઞા મેળવી હું શ્રમણ ભગવંત મહાવીરની પાસે દીક્ષા લઈને ગૃહવાસને ત્યાગ કરીને, અનગારિકપણાને ગ્રહણ કરવા ઈચ્છું છું.” માતા-પિતા દ્વારા પ્રવજ્યા-ગ્રહણ-નિવારણ અને જમાલિ દ્વારા સમર્થન– ૮. ત્યાર બાદ જમાલિ ક્ષત્રિયકુમારની માતા આવી અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમને, મનને ન ગમે તેવી અને પૂર્વે નહીં સાંભળેલી એવી વાણીને સાંભળી અને અવધારીને રેમકૂપથી ઝરતા પરસેવાથી ભીના શરીરવાળી થઈ, શોકના ભારથી તેનાં અંગોપાંગ કંપવા લાગ્યાં, તે નિસ્તેજ થઇ, તેનું મુખ દીન અને શોકા ત્યાર પછી તે જમાલિ ક્ષત્રિયકુમારની શકાતુર માતા શીધ્ર દાસીઓ દ્વારા ધરાતા સોનાના કળશના મુખથી નીકળેલી શીતલ અને નિર્મળ જલધારાના સિંચન વડે સ્વસ્થ થઈ અને તે ઉન્નેપક (વાંસના બનેલા) તાલવંત (તાડના પાંદડાના બનેલા) પંખા અને વીંજણાના જલબિંદુ સહિત પવન વડે અંત:પુરના માણસોથી આશ્વાસનને પ્રાપ્ત . કર્યા પછી રેતી, આકંદન કરતી, શોક કરતી અને વિલાપ કરની જમાલિ ક્ષત્રિયકુમારને આ પ્રમાણે કહેવા લાગી—“હે પુત્ર! તું અમારો એકમાત્ર પુત્ર છે, તું અમારા માટે ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનગમતો, આધારભૂત, . વિશ્વાસપાત્ર, સંમત, બહુમત, અનુમત, આભરણની પેટી જેવો, રત્નસ્વરૂપ, રત્ન જેવો, જીવિતના ઉત્સવ સમાન, હદયને આનંદ ઉત્પન્ન કરનાર છે. વળી ઉંબરાના પુષ્પની પેઠે તારા નામનું શ્રવણ પણ દુર્લભ છે, તો તારું દર્શન (અન્યને) દુર્લભ હોય એમાં શું કહેવું? માટે હે પુત્ર ! ખરેખર અમે તારે એક ક્ષણ પણ વિયોગ ઇચ્છતા નથી. તેથી હે પુત્ર! જ્યાં સુધી અમે જીવીએ છીએ ત્યાં સુધી તું શેકાઈ જા. ત્યાર બાદ જ્યારે અમે કાળધર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy