SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ધર્મકથાનુયોગ–મહાવીર-તીર્થ માં સુરાદેવ ગાથાપતિ કથાનક : સૂત્ર ૧૫૮ સુરાદેવ શ્રમણોપાસક અભય યાવત્ ધર્મધ્યાનમાં સ્થિર રહ્યો. ત્યાર પછી જ્યારે તે દેવે સુરાદેવ શ્રમણપાસકને નિર્ભય વાવનું ધર્મધ્યાનમાં રત જોયો ત્યારે બીજી વાર, ત્રીજી વાર પણ સુરાદેવ શ્રમણપાસકને આ પ્રમાણે કહ્યું- ૨ સુરાદેવ શ ણોપાસક યાવતુ જો તું આજે શીલ, વ્રત, વિરમણે પ્રત્યાખ્યાનો, પૌષધાપવાસ નહીં છોડે ખ ડિત નહીં કરે તો હું આ જ ક્ષણે તારા વચલા પુત્રને ઘરેથી ઉપાડી લાવીશ. લાવીને સામે જ મારી નાખીશ, મારીને તેના શરીરના પાંચ ટુકડા કરીશ, ટુકડા કરીને તેલ ભરેલી કડાઈમાં તળીશ, તળીને તારા શરીરને માંસ અને લોહીથી સિંચીશ, જેથી તું આધ્યાન અને દુર્નિવાર દુ:ખથી પીડિત થઈને અકાળે પોતાના પ્રાણ ખાઈ બેસીશ.” ને દેવ દ્વારા બીજી અને ત્રીજી વાર પણ આ પમાણે કહેવાયાં છતાં તે સુરાદેવ શ્રમણપાસક નિર્ભય યાવત્ ધર્મધ્યાનમાં રત રહ્યો. આ પ્રમાણે કહેવાયાં છતાં પણ જ્યારે તે દેવે સુરાદેવ શ્રમણોપાસકને નિર્ભય યાવનું ધર્મધ્યાનમાં મગ્ન જોયો ત્યારે તે જોઈને ક્રોધિત, રુષ, કુપિત અને ચંડિકાવત્ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને દાંત કચકચાવતો તે સુરાદેવ શ્રમણોપાસકના વચલા પુત્રને ઘરેથી લઈ આવ્યા, લાવીને તેની સામે તેને માર્યો, મારીને તેના શરીરના પાંચ ટુકડા કર્યા, ટુકડા કરીને તેલ ભરેલી કડાઈમાં તળ્યા, નળીને સુરાદેવ શ્રમણોપાસકના શરીર પર માંસ અને લેહી છાંટયું. ત્યારે તે સુરાદેવ શ્રમણોપાસકે તે તીવ્ર યાવતુ વેદનાને સમતા, ક્ષની, તિતિક્ષાપૂર્વક સમ્યકુ પ્રકારે સહન કરી. સુરદેવ દ્વારા દેવકૃત પિતાના કનિષ્ઠ પુત્રના મારણ રૂપ ઉપસર્ગને સમભાવપૂર્વક સહન કરે – ૧૫૮. વચલા પુત્રને મારી નાખવા છતાં તે દેવે સુરદેવ શ્રમણોપાસકને નિર્ભય યાવતુ ઉપાસનારત જોકે, તે જોઈને તે દેવે સુરદેવ શ્રમણોપાસકને કહ્યું-- ૨ શ્રમણોપાસક સુરાદેવ ! યાવતુ જો તું આજે શીલ, વ્રતો, વિરમણ, પ્રત્યાખ્યાનો પૌષધપવાસ નહીં છોડે, ખંડિત નહીં કરે તો હું આ જ ક્ષણે તારા કનિષ્ઠ પુત્રને ઘરેથી લઈ આવીશ, લાવીને તારી સામે જ મારી નાખીશ, મારીને તેના માંસના પાંચ ટુકડા કરીશ, ટુકડા કરીને તેલ ભરેલી કડાઈમાં તળીશ, નળીને તારા શરીર પર માંસ અને રક્ત છાંટીશ, જેથી તું દુર્નિવાર આર્તધ્યાન અને દુ:ખથી પીડિત થઈને અકાળે મરણ પામી પ્રાણ ખોઈ દઈશ. ત્યારે તે દેવની આ વાત સાંભળીને સુરાદેવ શ્રમણોપાસક નિર્ભય થાવત્ ઉપાસનારત રહા, આવી ધમકી આપવા છતાં જયારે તે દેવે સુરાદેવ શ્રમણોપાસકને નિર્ભય યાવત્ ધર્મધ્યાનમાં રત જોયે, જોઈને બીજી વાર ત્રીજી વાર, પણ સુરદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું-એ રે સુરાદેવ શ્રમણોપાસક! યાવત જોતું આજે શોલે, વ્રતો, વિરમણે, પ્રત્યાખ્યાનો, પૌષધોપવાસ નહીં છોડે, ભંગ નહીં કરે તો હું આ જ ક્ષણે તારા કનિષ્ઠ પુત્રને ઘરેથી લઈ આવીશ, લાવને નારી સામે તેને મારી નાખીશ, મારીને તેના શરીરના પાંચ ટુકડા કરીશ, ટુકડા કરીને તેલ ભરેલી કડાઈમાં તળીશ, તળીને તારા શરીરને માંસ અને લેહીથી સિંચીશ, જેનાથી તું આ દયાન તેમ જ દુસ્સહ દુ:ખથી દુ:ખિત, પીડિત થઈને અકાળે જીવનરહિત થઈ જઈશ” તે દેવ દ્વારા બીજી, ત્રીજી વાર અપાયેલી ધમકી સાંભળીને કણ તે નિર્ભય યાવતુ પોતાની સાધનામાં રત રહ્યો, તદનન્સર પણ તે દેવે જયારે શ્રમણોપાસક સુરાદેવને નિર્ભય થાવત્ ધર્મધ્યાનમાં નિરત જાય છે, તે જોઇને ક્રાંધત, દુષ્ટ, કુપિન, વિકરાળ બનીને દાંત કચકચાવતા શ્રમણોપાસક સુરાદેવના કનિષ્ઠ પુત્રને ઘરેથી લઈ આવ્યો, લાવીને તેની સામે મારી નાખે, મારીને તેના શરીરના પાંચ ટુકડા કર્યા. ટુકડા કરીને તેલ ભરેલો કડાઈમાં તળ્યા, તળોને સુરાદેવના શરીર પર માંસ અને લોહી છાંટયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy