SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુયોગ-પાર્શ્વનાથ-તીર્થમાં પ્રદેશી કથાનક : સૂત્ર ૩૬ વેતામ્બી નગરીએ જતાં ચિત્ત સારથી દ્વારા કેશી કુમાર શ્રમણને તાબી નગરીમાં પધારવાની પ્રાર્થના અને કેશી કુમાર શ્રમણની અનુમતિ૩૬. તત્પશ્ચાત્ કોઈ એક દિવસ જિશ રાજાએ મહાઈક-યાવતુ ઉપહાર તૈયાર કર્યો અને પછી ચિત્તસારથીને બોલાવ્યા, બોલાવીને તેને અને પ્રમાણે કહ્યું હે ચિત્ત ! તું પાછો વેતામ્બીનગરી જા અને પ્રદેશ રાજા સન્મુખ આ મહાપ્રયોજનસાધક યાવતુ ઉપહાર ભેટ આપજે તથા મારા વતી તેમને વિનંતી કરીને કહેજે કે તમે જે મારા યોગ્ય સંદેશો મોકલાવ્યો છે તે એ જ રૂપમાં અવિતથ–સાચો, પ્રામાણિક અને અસંદિગ્ધ છે. તેને હું એ જ સ્વરૂપમાં સ્વીકાર કરું છું. ' એમ કહી ચિત્ત સારથીને સન્માન સહિત વિદાય આપી. ત્યાર પછી જિતશત્રુ રાજ દ્વારા વિદાય અપાયેલા તે ચિત્ત સારથીએ તે મહાપ્રજનસાધક યાવતુ ઉપહા૨ ગ્રહણ કર્યો વાવનું જિત. શત્રુ રાજાની પાસેથી નીકળે, નીકળીને શ્રાવસ્તી નગરીની વચ્ચેથી નીકળ્યો, નીકળીને રાહ૪માગ પર આવેલું પોતાનું નિવાસસ્થાન હતું, ત્યાં ગયો, જઈને તે મહાર્થક થાવત્ ઉપહારને એક બાજુએ મૂક્યો. પછી સ્નાન કર્યું યાવત્ આભૂષણોથી શરીરને વિભૂષિત કર્યું, કરંટ પુષ્પની માળાએથી યુક્ત છત્રને ધારણ કરીને વિશાળ સુભટ સમૂહ અને જનસમુદાયને સાથે લઈને ચાલતા જ રાજમાર્ગ પર આવેલા પોતાના વાસસ્થાનેથી નીકળ્યો નીકળીને શ્રાવસ્તી નગરીની વચ્ચેથી ચાલતો ચાલતો જ્યાં કાષ્ઠક ચૈત્ય હતું, તેમાં જમાં કેશ કુમાર શ્રમણ વિરાજમાન હતા, ત્યાં પહોંચ્યા, પહોંચીને કેશી કુમારશ્રવણ પાસેથી ધર્મ-શ્રવણ કયું, શ્રવણ કરીને-પાવતુ આનંદિત થઈને યાવતુ-પાનાના આસન પરથી ઊઠયો–પાવતુ આ પ્રમાણે નિવેદન કર્યું હે ભગવાન ! વાત એમ છે કે પ્રદેશ રાજાને આ ઉપહાર ભેટ આપજો એમ કહીને જિતશ રાજાએ મને વિદાય આપી છે, તો હે ભગવન્! હું પાછો શ્વેતાબી નગરીમાં જઈ રહ્યો છું. આપ કોઈ વાર જરૂર શ્વેતાબી નગરી પધારજો, કેમ કે હે ભગવન્! શ્વેતામ્બી નગરી પ્રાસાદિક-મનને આનંદ આપનારી છે. હે ભગવન્શ્વેતામ્બી નગરી દર્શનાંયજોવા લાયક છે, હે ભગવન્શ્વેતામ્બી નગરી પ્રનિરૂપ—અતિ મનોહર છે, તેથી હે ભગવન્! આપ શ્વેતામ્બી નગરીમાં પધારજ-પદાર્પણ કરજો.’ ચિત્તસારથી દ્વારા આ પ્રમાણે વિનંતી કરાવા છતાં પણ કેશ કુમારશ્રમણે ચિત્તસારથીના એ કથનનો આદર ન કર્યો-ઉત્સુકતા ન બનાવી, ધ્યાન ન આપ્યું પરંતુ માત્ર મૌન જ રહ્યા. ત્યારે ચિત્તસારથીએ ફરી ફરી બીજી અને ત્રીજી વાર આ પ્રમાણે વિનંતિ કરી હે ભગવન્! પ્રદેશી રાજાને આ મહાપ્રોજન–સાધક યાવતુ-ઉપહાર આપવાનો જણાવીને જતશત્રુ રાજાએ મને વિદાય આપી દીધી છે,–વગેરે પૂર્વવત્ કથન યાહૂ-હે ભગવન્! ૨૫ શ્વેતામ્બા નગરીમાં પધારો.” ત્યાર પછી ચિત્તસારથી દ્વારા બીજી, ત્રીજી વાર પણ રખા જ પ્રમાણે વિનંતી કરાઈ ત્યારે કેશી કુમારશ્રમણે ચિત્તસારથીને આ પ્રમાણે કહ્યું હે ચિત્ત ! જે કોઈ લીલોછમ ઠંડી છાંય. વાળો વાવનું પ્રતિરૂપ વનખંડ હોય તો હું ચિત્ત ! તે વનખંડ અનેક બેપગ, ચોપ, મંગ, પશુ, પક્ષી, સરીસૃપો વગેરેને જવા યોગ્ય-રહેવા લાયક ખરો કે નહીં ? હા ભગવન્! તે જવા મોગ્ય-રહેવા લાયક છે.” ચિરો ઉત્તર આપ્યો. તે પછી ફરી કેશી કુમારશ્રમણે ચિત્તસારથીને પૂછયું અને જો તે વનખંડમાં છે ચિત્ત! રહેનાર અનેક બેપગ, ચોપગા, મૃગ, પશે, પક્ષી અને સરીસૃપ વગેરે પ્રાણીઓનું લોહી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy