SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુયોગ–પાર્શ્વનાથ-તીર્થમાં પ્રદેશ સ્થાનક : સૂત્ર ૩૫ ૫૧ ‘હે દેવાનુપ્રિય ! જે પ્રમાણે તમારી પાસે અનેક ઉગ્રવંશીય-ભગવંશીય–જાવતુ-ઈભ્ય અને ઈભ્યપુત્રે આદિ હિરણ્યને ત્યાગ કરીને, સુવર્ણને છોડીને તેમ જ ધન, ધાન્ય, સૈન્ય, વાહન, કેશ, કોઠાર, પુર, અંત:પુરનો ત્યાગ કરીને અને વિપુલ ધન, કનક, રત્ન, મણિ, મોતી શંખ, શિલાપ્રવાલ (મૂંગા) આદિ સારભૂત દ્રવ્યોમાં મમત્વ છોડીને, તે બધું દીન-દરિદ્રોમાં વિતરિત કરીને, પુત્રે વગેરેમાં વહેંચીને, મુ ડિત થઈને, ગૃહસ્થજીવનનો પરિત્યાગ કરીને, અનેગાર ધર્મમાં પ્રવૃજિત થયા છે તે પ્રકારે હું હિરણને ત્યાગ કરીને પાવન પ્રવૃજિત થવા તે સમર્થ નથી, પરંતુ હું આપ દેવાનુપ્રિયની પાસેથી પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવૃતરૂપી બાર પ્રકારને શ્રાવકધર્મ અંગીકાર કરવા માંગું છું.' ચિત્તસારથીની ભાવના જાણીને કેશી કુમાર શ્રમણે કહ્યું- ‘દેવાનુપ્રિય! જેનાથી તમને સુખ થાય તેમ કરો, પરંતુ તેમાં વિલંબ ન કરો.” ત્યારે ચિત્તસારથીએ કેશી કુમારશ્રમણની પાસે પાંચ અણુવન યાવત્ બાર પ્રકારનો શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. મહારગ આદિ દેવગણ દ્વારા પણ નિર્ગુન્થપ્રવચનથી વિચલિત ન કરી શકાતો, નિગ્રન્થ પ્રવચનમાં નિ:શંક-શંકારહિત બન્યો હતો, આત્મોત્થાન સિવાય અન્યની પ્રતિ આકાંક્ષાથી રહિત હતો, અથવા અન્ય મતોની આકાંક્ષા તેના ચિત્તમાં રહી ન હતી, વિચિકિત્સા-ફળ પ્રનિ સંશયરહિત હતો, લબ્ધાર્થ યથાર્થ તને પ્રાપ્ત કરનાર હd, ગૃહીતાર્થ હતા, પૃષ્ઠાથ-જિજ્ઞાસા દ્વારા તવને મર્મ સમજી લેનાર હતો, અધિગતાર્થ–વાસ્તવિક અર્થને જાણકાર થઈ ગયા હતા, વિનિશ્ચિતાર્થ-નિશ્ચિત અર્થને આત્મસાત્ કરી લેનાર હતો તેમ જ તેના રોમ રોમમાં નિવૃન્ય પ્રવચન પ્રતિ અનુરાગ વ્યાપ્યો હતો અને બધાને સંબોધિત કરીને કહેતા તપચાત્ તે ચિત્તસારથી કેશીકુમાર શ્રમણને વંદન નમસ્કાર કરીને જયાં ચાર ઘંટવાળે અશ્વરથ ઊભો હતો તે તરફ ચાલવા માટે પ્રવૃત્ત થયો, પછી તે ચાર બંટવાળા અશ્વરથ પર આરૂઢ થયો, રૂઢ થઈને જે દિશામાંથી આવ્યો હતો તે જ દિશામાં પાછો ચાલ્યા ગયે. હે આયુષ્યમાનો ! આ નિન્ય પ્રવચન જ અર્થ–પ્રોજનભૂત છે, આ જ પરમાર્થ છે, આના સિવાય અન્ય-અન્યતીથિક કુપ્રવચનાદિ મુગતિ પ્રાપક હોવાથી અનર્થ-અપ્રજનભૂત છે.' અસત્ વિચારોથી રહિત થઈ જવાથી તેનું હૃદય સફટિકમણિ જેવું નિર્મળ બની ગયું હતો. નિગ્રંથ શ્રમને ભિક્ષાને માટે સરળતાપૂર્વક પ્રવેશી શકે તે વિચારે તેના ઘરનું બારણું આગળા વગરનું ખુલ્લુ) હતું, બધાં જ ઘરોમાં ત્યાં સુધી કે અંત:પુરમાં પણ તેને પ્રવેશ શંકારહિત હોવાથી તે પ્રીતિજનક હતો. તે ચતુર્દશી, અષ્ટમી, અમાવાસ્યા તેમ જ પૂર્ણિમાએ પરિપૂર્ણ પૌષધનું સારી રીતે પાલન કરતે, શ્રમણ નિગ્રન્થને પ્રાશુક, એષણીયસ્વીકાર કરવા યોગ્ય, નિર્દોષ અશન-પાનખાદ્ય-સ્વાદ્ય આહાર, પીઠ, ફલક, શૈયા, સંસ્તારક-આસન, વસ્ત્ર, પાત્ર, કેબલ, પગલૂ છણું, ઔષધ, ભેષજ આપતો અને અનેક પ્રકારના શીલવ્રત, ગુણવત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધપવાસેથી આત્માને ભાવિક-શુદ્ધ કરતે, જિતશત્રુ રાજાની સાથે રહીને સ્વયં તે શ્રાવસ્તી નગરીમાં રાજકાર્યો-વાવ-રાજ્ય-વ્યવહારોનું અવલોકન અને અનુભવ કરતો વિચારવા લાગ્યો. ૩૫ ત્યાર પછી તે ચિત્તસારથી શ્રમણોપાસક (શ્રાવક) થઈ ગયો. તેણે જીવ-અજીવ પદાર્થોનું સ્વરૂપ સમજી લીધું, પુણય અને પાપના ભેદને વણી લીધો, તે આશ્રવ, સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ (ક્રિયાને આધાર ), બંધ, મોક્ષના સ્વરૂપને જાણવામાં કુશળ બની ગયે, કુતીથિકોના કુતર્કોના ખંડન માટે પણ તેને બીજાની સહાયની જરૂર ન રહી. તે દેવ, અસુર, નાગ, સુવર્ણ, થક્ષ, રાક્ષસ, કિન્નર, પિંપુરૂષ, ગરુડ, ગંધર્વ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy