SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પદ wwwwwwwm ધર્માં કયાનુયાગ—પાનાથ-તી માં શ્રમણી કાલીનું કથાનક : સૂત્ર ૧૯૬ wwwwmmmmmmmmmm જ્યાં તેતલીપુત્ર અણગાર હતા, ત્યાં તે આળ્યે, આવીને તેતીપુત્ર અણગારને તેણે વંદનનમસ્કાર કર્યો, વંદન નમન કરીને પાતાના કા માટે વિનયપૂર્ણાંક વારંવાર ક્ષમા યાચી, ક્ષમા યાચર્ચીને અતિ દૂર નહીં તેમ-યાવત્—પયું. પાસના કરવા લાગ્યા. ત્યાર પછી તે તેનલીપુત્ર અણગારે કનકધ્વજ રાજા અને ત્યાં ઉપસ્થિત વિશાળ જનસભાને ધર્મોપદેશ આપ્યા. ત્યાર પછી તે કનકધ્વજ રાજાએ તેનલોપુત્ર કેવળી પાસેથી ધમ શ્રવણ કરી અને હૃદયમાં ધારણ કરી, પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત મળી બાર વ્રતરૂપ શ્રાવક ધર્માંના સ્વીકાર કર્યાં, શ્રાવક ધર્મ સ્વીકારી તે જીવ-અજીવ આદિ તત્ત્વાના શાતા કામણે પાસક બની ગયા. તેતલીપુત્ર કેવળીનું સિદ્ધિગમન— ૧૯૩. ત્યાર બાદ તેનલીપુત્ર કેવળી અનેક વષોને કેવળીપર્યાય પાળીને યાવત્ સિદ્ધ થયા. * ૪. પાર્શ્વનાથ-તીમાં શ્રમણી કાલીનુ કથાનક ૧૯૪, તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું, ત્યાં ગુણશિલક નામે ચૈત્ય હતું. ત્યાં શ્રેણિક નામે રાજા હતા, તેની ચેલ્લણા નામે રાણી હતી. ભગવાન મહાવીર ત્યાં પધાર્યા. પરિષદ માજા યાવત્ પરિષદ પર્યુંપાસના કરવા લાગી, ચમરચ’ચામાં કાલીદેવી— ૧૯૫, તે કાળે તે સમયે ચમરચાંચા રાજધાનીમાં કાલાવંસક ભવનમાં કાલ નામક સિહાસન પર કાલી નામે દેવી બિરાજતી હતી. તે ચાર હજાર સામાનિક દેવીઓ, સપરિવાર ચાર મહત્તરિકા દેવીઓ, ત્રણ પરિષદો, સાત સેના, સાત સેનાધિપતિઓ, સાળ હજાર આત્મરક્ષક દેવે અને અનેક કાલાવત...સક ભવનવાસી અસુરકુમાર દેવ-દેવીઓથી વીંટળાઈને, જોરશેારથી વાગતા તંત્રી—તલ-તાલ ત્રુટિત-ધન-મુદંગ Jain Education International પટહ અને ગીત-નાટ્ય આદિના ધ્વનિ વચ્ચે દિવ્ય ભાગાપભાગા ભાગવતી વિચરતી હતી અને આ કેવળકલ્પ–સંપૂર્ણ જંબુદ્રીપ નામક દ્વીપને પાતાના વિપુલ અવધિજ્ઞાનથી જોઈ રહી હતી. કાલીદેવી દ્વારા ભગવાન મહાવીર સીએ નૃત્યવિધિ ૧૯૬, આ તરફથી શ્રમણ ભગવાન મહાવીર જબુદ્રીપ નામક દ્વીપના ભરત ક્ષેત્રમાં રાજગૃહ નગરના ગુણશિલક ચૈત્યમાં યથાયાગ્ય અવગ્રહ ધારણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા હતા તે તેણે જોયા, જોઈને હૃષ્ટ તુષ્ટ આનંદિત ચિત્તવાળી, પ્રીતિવાળી અને પરમ સૌમનસા બની, હર્ષોંથી વિકસિત હૃદયવાળી બની તે સીહાસન પરથી ઊઠી, ઊઠીને પાદપીઠથી નીચે ઊતરી, ઊતરીને પાદુકાઓ ઉતારી, પાદુકાઓ ઉતારી પછી તીર્થંકર ભગવ’તની. દિશામાં મુખ કરી સાત આઠ પગલાં ચાલી, ચાલીને ડાબા ઘૂંટણ ઊંચા કર્યાં અને જમણા ઘૂંટણ જમીન પર ટેકવી ત્રણ વાર મસ્તકને જમીન પર નમાવ્યું, પછી સહેજ ઊંચું કર્યું ઊંચું કરીને કડા અને બાજુબધાથી સ્તંભિત ભુજાઓ એકઠી કરી, ભુજાએ એકત્ર કરી બે હથેળીઓ ભેગી કરી દશ નખ સાથે જોડી મસ્તક પર આવપૂર્વક અંજલિ રચી. આ પ્રમાણે કહેવા લાગી— ‘અરિહ’ત ભગવ’તાને નમસ્કાર—યાવત્ સિદ્ધિગતિ નામક સ્થાનમાં પહોંચેલા ભગવતાને નમસ્કાર. શ્રમણ ભગવાન મહાવીરને નમસ્કાર— યાવત્—સિદ્ધિગતિ નામક સ્થાન પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાઓને નમસ્કાર. અહીં રહેલી હું ત્યાં રહેલ ભગવંતને વંદન કરું છું. ત્યાં રહેલ શ્રમણ ભગવાન મહાવીર અહીં રહેલી મને જુએ.' એમ કહી વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમન કરી પૂર્વ દિશામાં મુખ રાખી ફરી તે શ્રેષ્ઠ સિંહાસન પર બેઠી. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy