SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનગ–અરિષ્ટનેમિ-તીર્થમાં પિટ્ટિલા કથાનક : સૂત્ર ૧૭૮ પાંચ અણુવ્રત યાવત્ શ્રાવક ધર્મ સ્વીકાર કર્યો, પછી તે આર્યાઓને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમન કરી તેમને વિદાય આપી. હવે તે પોટ્ટિલા શ્રમણોપાસિકા બની ગઈ થાવત્ સાધુ-સાધ્વીઓને પ્રતિલાભિત કરતી વિચારવા લાગી. પિદિલાને પ્રવ્રજ્યા–સંક૯૫– ૧૭૯. ત્યાર પછી એક વખત કોઈ દિવસ મધ્યરા ત્રિસમયે કુટુંબવિષયક ચિંતામાં જાગરણ કરતાં કરતાં તે પટ્ટિલાના મનમાં આવો વિચાર–આ પ્રકારનો મનોભાવ થયો-“પહેલાં હું તેટલીપુત્રને મનગમતી યાવત્ માનીતી હતી પરંતુ હવે અનિષ્ટ થાવત્ અણમાનીતી બની ગઈ છું. તેલીપુત્રને મારું નામ-ગોત્ર સાંભળવું પણ ગમતું નથી, પછી મારાં દર્શન અને મારી સાથે ભોગ ભોગવવાની તો વાત જ કયાં રહી? એટલે મારા માટે સુવ્રતા આય પાસે દીક્ષા લેવી તે જ શ્રેયસ્કર છે.’ આમ તેણે વિચાર્યું, વિચારીને બીજા દિવસે પ્રભાત થયું અને જાજવલ્યમાન પ્રકાશ સહિત સહસરશ્મિ સૂર્યનો ઉદય થયો ત્યારે તે જયાં તેટલીપુત્ર હતો ત્યાં ગઈ, જઈને બે હાથ જોડી મસ્તક સમીપે અંજલિ રચી આ પ્રમાણે બોલી–હે દેવાનુપ્રિય ! વાત એમ છે કે સુવ્રતા આયા પાસે મેં ધર્મનો ઉપદેશ સાંભળ્યો છે, હું તે ધર્મ પાળવા માગું છું, મારી તેમાં રુચિ છે, અભિરુચિ છે. આથી હું તમારી પાસેથી તે ધર્મમાં પ્રવ્રજિત થવાની અનુમતિ માગું છું.' તેટલીપુત્ર પ્રતિ ધમ બોધકરણ પ્રતિબદ્ધતાપૂર્વક પોકિલાનું પ્રવજ્યા-ગ્રહણ અને દેવામાં ઉત્પત્તિ૧૮૦. ત્યારે તેટલીપુત્રે પોટ્ટિલાને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! તું મુંડિત અને પ્રવૃજિત થઈને કાળસમયે મૃત્યુ પામી અન્ય દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થઈશ. તો હે દેવાનુપ્રિયે ! જો તું તે દેવલોકમાંથી આવીને મને કેવલિપ્રરૂપિત ધર્મના બંધ કરાવવાનું સ્વીકારે છે હું તને અનુમતિ આપું. જો તેમ ન કરવું હોય તો હું તને રજા આપીશ નહીં.' ત્યારે તે પટ્ટિલાએ તેટલીપુત્રની વાત-શરત સ્વીકારી. ૧૮૧. ત્યાર પછી તેટલીપુત્રો વિપુલ પ્રમાણમાં અશન પાન-ખાદ્ય-સ્વાદ્ય આહાર બનાવરાવ્યા, આહાર બનાવરાવી પછી મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓ અને પરિજનોને આમંત્રણ આપી બોલાવ્યા યાવત્ સત્કાર-સન્માન કર્યું, સન્માન કરી પોટ્ટિલાને સ્નાન કરાવ્યું, સર્વ અલંકારોથી વિભૂષિત કરી અને પછી સહસ્ત્ર પુરુષે દ્વારા ઊચકાતી શિબિકામાં બેસાડી મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓ અને પરિજનોથી ઘેરાઈને, સમસ્ત ઋદ્ધિપૂવક–ઠાઠમાઠથી યાવનું દુદુભિષપૂર્વક અર્થાત્ વાજતે ગાજતે તેનલીપુર નગરની વચ્ચોવચ્ચે થઈને પસાર થઈ જ્યાં સુવ્રતા આર્યાનો ઉપાશ્રય હતો ત્યાં આવી પહોંચ્યો, ત્યાં આવીને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમન કરીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે આ મારી ભાર્યા પોટ્ટિલા મને ઇષ્ટ યાવનું મનગમતી છે. તે આ સંસારના ભયથી ઉદ્વિગ્ન અને જન્મ, જરા અને મરણથી ભયભીત થઈને આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને, ગૃહસ્થવાસ છોડી અનગાર પ્રવ્રજયા લેવા ઇચ્છે છે. તો હે દેવાનુંપ્રિયે ! આપ આ શિષ્યા-દાન ગ્રહણ કરો.' | [આર્યાએ કહ્યું-] જેમ સુખ થાય તેમ કરો, વિલંબ ન કરો.” ત્યાર પછી તે પોટ્ટિલા સુવ્રતા આયાનું આવું વચન સાંભળી હષ્ટ તુષ્ટ થઈ ઉત્તરપૂર્વ દિશા(ઈશાન કોણ)માં ગઈ, ત્યાં જઈને પોતાની જાતે જ પોતાનાં આભરણ-અલંકારો ઉતાર્યા, ઉતારીને પોતાની જાતે જ પંચમુષ્ટિ કેશલોચ કર્યો, પછી જ્યાં સુવ્રતા આર્યા હતાં ત્યાં ગઈ, જઈને વંદનનમસ્કાર કર્યો, વંદન-નમન કરીને આ પ્રમાણે કહ્યું- હે આય! આ લોક સળગી રહ્યો છે...” –થાવત્ દેવાનંદાની જેમ જ-થાવત્ અગિયાર અંગોનું અધ્યયન કર્યું, અનેક વર્ષોને શ્રામપર્યાય પાળ્યો અને પછી એક માસની સંલેખના દ્વારા આત્મશુદ્ધિ કરી, અનશન વડે સાઠ ભક્તનું છેદન કરી, આલોચના અને પ્રતિક્રમણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy