SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ D ધમકથાનુગ—એવા વિશિષ્ટ પુરુષની જીવન-કથા, ચરિત્ર અને સાધનાનું વર્ણનાત્મક સંકલન છે, જેમનાં જીવનમાં ધમ સાકારરૂપે પ્રતિષ્ઠિત થયા હતા. તપ, ત્યાગ, ધ્યાન, તિતિક્ષા, સેવા, સમતા, કરુણા અને નિ:સ્પૃહતા આદિ ઉત્તમ ગુણો જેમનાં ચરિત્રમાં પ્રતિબિંબિત થયા હતો. જૈન આગમોમાં યત્ર-તત્ર વિકીણરૂપમાં આવાં સેંકડો ચરિત્રો અંકિત થયેલાં છે, જેમનું અધ્યયન-અનુશીલન કરવા માટે વાચકને અનેક આગમાનું અનુશીલન કરવું પડે, જે અત્યંત પ્રયત્નસાધ્ય અને અશકયવત્ કાર્ય છે. આગમ-ગત આવાં સમસ્ત ચરિત્રોનું વર્ગીકરણ કરી એકત્ર પુસ્તકાકારે પ્રકાશિત કરવાની આ યોજના-ધર્મકથાનુગ નામે વાચકોના હાથમાં પ્રસ્તુત છે. આગમ અનુયાગનું’ આ દુરૂહ, અત્યધિક શ્રમસાય, માનસિક એકાગ્રતા અને બૌદ્ધિક પરિશ્રમનું કાર્ય કરવા માટે સંકલ્પશીલ છે–શાનગી મુનિ શ્રો કહેયાલાલજી મ. સા. ‘કમલ', | મુનિ શ્રી જૈન આગમ, ટીકા, ચૂણિ, ભાષ્ય આદિના ગહન અભ્યાસી, શોધન અને વિવેચનમાં અત્યંત સુદક્ષ છે. સમ્યગુ જ્ઞાનારાધના જ તેઓશ્રીના જીવનનું એક વિશિષ્ટ લક્ષ્ય છે. આગમાની પ્રાચીન અનુયાગ શૈલીને વર્તમાનમાં સર્વસુલભ કરવાના હેતુથી તેઓશ્રી ધર્મકથાનુગ (પ્રકાશિત), ગણિતાનુયાગ (પ્રકાશિત), દ્રવ્યાનુયોગ (કાર્યાધીન) અને ચરણાનુયોગ (કાર્યાધીન)માં ક્રમશ: સમસ્ત આગમ સાહિત્ય નવીન શૈલીમાં પ્રસ્તુત કરવા માટે અહર્નિશ કાર્યશીલ છે. 3 આ મહાન કાર્યમાં સહયોગી છે–સુપ્રસિદ્ધ મનીષી, ભારતીય તત્વવિદ્યાના ગહન અભ્યાસી શ્રી દલસુખભાઈ માલવણિયા, જેમની વિદ્રત્તા, તટસ્થ દષ્ટિ તથા મૌલિક સૂઝ દેશ-વિદેશમાં સુવિખ્યાત છે. આગમ અનુયાગ ટ્રસ્ટ, અમદાવાદ (રજિ.) - આ મહાન શાનરાશિને મુદ્રિત-પ્રકાશિત કરી અ૯૫ મૂલ્યમાં જિજ્ઞાસુજનાને સુલભ કરી આપવા પ્રયત્નશીલ છે.. જો વાચક એક એક સ્વતંત્ર ગ્રંથ ખરીદે તો સંભવત: આ પૂરો સેટ 1200, રૂપિયા કે 1500, રૂપિયાથી પણ વધુ કિંમતના થાય, પરંતુ આગમ અનુગ ટ્રસ્ટે તેવા જિજ્ઞાસુઓ માટે પૂર્વ પ્રકાશન સભ્ય યોજના બનાવી છે– રૂ. પ૦૦, આપીને જે વ્યક્તિ સભ્ય બનશે તેને ક્રમશ: પ્રકાશિત થનાર બધા આગમ ગ્રંથ વિનામૂલ્પ મળશે. હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી-ત્રણે ભાષામાં અલગ અલગ અનુવાદ સાથે પ્રકાશિત થનાર સેટમાંથી કોઈ પણ એક ભાષાના સેટ, આપ પોતાની રુચિ અનુસાર નોંધાવી શકો છો. LI સંપર્ક કરો-આગમ અનુયોગ ટ્રસ્ટ, 15, સ્થાનકવાસી સંસાયટી, નારણપુરા ક્રોસિંગ, અમદાવાદ-૩૮૦ 013 er Education International For Private & Personal use only www.jainelibrary
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy