SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનગ–મહાવીર તીર્થમાં ઉદાયનરાજ કથાનક : સત્ર ૫૪૪ ૧૮૯ ધારણ કરી બ્રહ્મચારીવનું બની મણિ–સુવર્ણ આદિનો ત્યાગ કરી, માળા-ગાર-પ્રસાધનો અને વિલેપનાને છોડીને, શસ્ત્ર મૂશળ વગેરેને બાજુ પર મૂકીને, સંકલ્પ-વિકલ્પ રહિત બની, દર્ભના આસન પર બેસી પાક્ષિક પૌષધમાં રહી, જાગરણ કરતો વિચરવા લાગ્યા. ઉદાયનની મહાવીરને વંદનાદિની અભ લાષા ૫૪૧. ત્યારબાદ તે ઉદાયન રાજાને મધ્યરાત્રિને સમયે ધર્મ–જાગરણ કરતાં આવા પ્રકારનો સંકલ્પ થાવતુ-વિચાર ઉત્પન્ન થયો કે તે ગ્રામ, આકર, નગર, ખેડ, કબૂટ, મડંબ, દ્રોણમુખ, પતન, આશ્રમ, સંવાહ, સન્નિવેશ ધન્ય છે, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિહરે છે. તે રાજા, સામંત, તલવર, માડંબિક, કૌટુમ્બિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિ ધન્ય છે, જેઓ શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરે છે–પાવત–પર્યુંપાસના સેવા કરે છે. જો શ્રમણ ભગવાન મહાવીર અનુક્રમે વિહરતા, એક ગામથી બીજા ગામે જતા અને સુખપૂર્વક વિહાર કરતા, અહીં આવે, અહીં સાસરે અને આ વીતિભય નગરની બહાર મૃગવન નામે ઉદ્યાનમાં યથાયોગ્ય અવગ્રહને ગ્રહણ કરી, સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિચરે તો હું શ્રમણ ભગવંત મહાવીરને વંદન કરું, નમસ્કાર કરું—પાવતેમની પથુપાસના કરું. મહાવીર દ્વારા અભિલાષા જાણવી૫૪૨. ત્યાર બાદ શ્રમણ ભગવંત મહાવીર ઉદાયન રાજાના આ પ્રકારના ઉત્પન્ન થયેલા અધ્યવસાય–પાવત-સંક૯૫ને જાણીને ચંપાનગરીથી અને પૂર્ણભદ્ર ચૈત્યથી બહાર નીકળ્યા, નીકળીને અનુક્રમે ગમન કરતા, એક ગામથી બીજે ગામ ભ્રમણ કરતાં, સુખપૂર્વક વિહાર કરતાં, જયાં સિંધુ સૌવીર દેશ છે, જ્યાં વીતિભય નગર છે અને જ્યાં મૃગવન ઉદ્યાન છે ત્યાં આવ્યા, આવીને યાવસંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિહરવા લાગ્યા. વીતિભયમાં સમવસરણ– ૫૪૩. ત્યાર બાદ વીતિભયમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચશ્વર, ચતુર્મુખ, રાજમાર્ગ અને બીજામાર્ગમાં-યાવ-પરિષદ્ પય્ પાસના કરે છે. ત્યાર બાદ ભગવાન મહાવીર પધાર્યાની આ વાત સાંભળી તે ઉદાયન રાજાએ હર્ષિત અને સંતુષ્ટ થઈ કૌટુબિક પુરુષોને બોલાવી તેમને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિ ! શીધ્ર વીતિભય નગરની અંદર અને બહાર જળ છંટકાવ કરો_થાવત જેમ પપાતિકસત્રમાં કૃણિકનું વર્ણન છે તેમ જાણવું-યાવત-પર્યું પાસના કરે છે. પ્રભાવતીપ્રમુખ રાણીઓ પણ તે જ પ્રમાણે-પાવત-પર્યું પાસના કરે છે. ધર્મકથા કહી. ઉદાયનના પ્રવ્રજ્યાસંક૯પ૫૪૪ ત્યાર બાદ તે ઉદાયન રાજા શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધર્મ શ્રવણ કરી અને અવધારી હર્ષિત અને સંતુષ્ટ થઈ સ્થાન પરથી ઊડ્યો, ઊઠીને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર પ્રદક્ષિણ કરી-વાવ-નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા હે ભગવન્! તે એ પ્રમાણે જ છે. તે ભગવનએ સત્ય છે; યાવતુ-જે પ્રમાણે તમે કહો છો તેમ જ છે–પરંતુ એટલું વિશેષ છે કે – હે દેવાનુપ્રિય! અભિચિકુમારને રાજ્યશાસન માટે નિયુક્ત કરું, ત્યારબાદ હું દેવાનુપ્રિય એવા આપની પાસે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરીને આનગારિક પ્રવ્રજ્યાનો સ્વીકાર કરીશ.” હે દેવાનુપ્રિય! જેમ સુખ થાય તેમ કરો. વિલંબ ન કરો – [ ભગવાને કહ્યું. ' ત્યાર બાદ તે ઉદાયન રાજા શ્રમણ ભગવાન મહાવીરની આવી વાત સાંભળીને હૃષ્ટ-તુષ્ટ થયે અને શ્રમણ ભગવાન મહાવીરને વંદનનમસ્કાર કર્યા, વંદન-નમન કરી અભિષેકહસ્તી પર આરૂઢ થયો, આરૂઢ થઈને શ્રમણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy