SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ધર્મકથાનગ–અરિષ્ટનેમિ-તીર્થ માં ગજસુકુમાલ આદિ શ્રમણો : સૂત્ર ૧૪૮ ઇન્દ્ર, અસુરોમાં ચમર, નાગોમાં ધરણ, તારાઓમાં ચંદ્ર અને મનુષ્યોમાં ભરત ચકવતી સમાન થઈને તું દ્વારાવતી નગરી તથા બીજાં અનેક ગ્રામ, આકર, નગર, ખેડ, કબૂટ, દ્રોણમુખ, મોંબ, પાટણ, આશ્રમ, નિગમ, સંવાહ, સંનિવેશ આદિનું આધિપત્ય સ્વામિત્વ, ભર્તૃત્વ, આજ્ઞાધારકત્વ, ઈશ્વરત્વ અને સેનાપતિત્વ કરતાં કરતાં તથા પાલન કરતાં કરતાં જોરશોરથી વાગતાં વાજિત્રો-તંત્રી, તલ, તાલ, ગુટિન, ઘન, મૃદંગ, ઢોલ અને નગારાં સાથેના રવ સાથેના નૃત્ય–ગીત સાથે વિપુલ ભોગો ભોગવતો વિલાસ કરી એમ કહી “જય જય’ શબ્દનો ઘોષ કર્યો. કોણ જશે અને કોણ પછી જશે ? એટલા માટે હે દેવાનુપ્રિયા ! આપની આજ્ઞા લઈને હું અહંતુ અરિષ્ટનેમિ ભગવંત પાસે મુંડિત બની, ગૃહત્યાગ કરી પ્રજ્યા લેવા ઈચ્છું છું.' ગજસુકમાલનું એક દિવસ રાજ્ય૧૪૮, ત્યાર પછી જ્યારે કૃષ્ણ વાસુદેવ અને વસુ દેવ તથા દેવકી દેવી ગજસુકમાલને વિષયોને અનુકૂળ અને વિષયથી પ્રતિકૂળ અનેક પ્રકારની આખ્યાપના, પ્રજ્ઞાપના, સંજ્ઞાપના અને વિજ્ઞાપના વાણી દ્વારા સમજાવવા, સંબોધવા, શીખવવા, વીનવવામાં સફળ ન થયા ત્યારે આ પ્રમાણે બોલ્યા‘હે પુત્ર! અમે લોકો મને એક દિવસ તો એક દિવસ માટે પણ રાજ્ય સિંહાસન પર બેસાડીને તારી રાજ્યશ્રી જોવા ઇચ્છીએ છીએ. માટે તું એક દિવસ માટે પણ આ રાજ્યલક્ષ્મીનો સ્વીકાર કર. માતા-પિતા અને કૃષ્ણ વાસુદેવના આ આગ્રહને કારણે ગજસુકુમાલ મૌન થઈ ગયા. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે તરત જ જાઓ અને ગજસુકુમાલના રાજ્યાભિષેક માટે મહાથે મહઈ, મહામૂલ્યવાન વિપુલ સામગ્રી લઈ આવો.' ત્યારે તે કૌટુંબિક સેવકો ગજસુકુમાલના રાજ્યાભિષેક માટેની મહઈ, મહામૂલ્યવાન વિપુલ સામગ્રી લઈ આવ્યા. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે મહાન રાજ્યાભિષેક ઉત્સવ સાથે ગજસુકુમાલનો રાજ્યાભિષેક કર્યો, અભિષેક કરી બન્ને હાથ જોડી અંજલિ મસ્તકે અડાડી આ પ્રમાણે કહ્યું– હે નંદન ! તારો જય હો. હે ભદ્ર! તારે જય હે. હે નંદન ! તારું કલ્યાણ હો. તું ને જીતેલાને જીતી લે અને જીતેલાનું પાલન કર. વિજયની વચ્ચે તારો નિવાસ હો. દેવામાં ત્યારે તે ગજસુકુમાલ રાજા બન્યા યાવત્ રાજયશાસન કરતા વિહારવા લાગ્યા. ત્યાર બાદ કૃષ્ણ વાસુદેવ તથા માતા-પિતાએ તે ગજસુકુમાલ રાજાને આ પ્રમાણે કહ્યું હે લાલ ! કહે તને શું આપીએ ? શું ભેટ કરીએ ? અથવા તારી હાર્દિક ઇચ્છા શું છે ? ગજસુકમાલની પ્રવજ્યા૧૪૯. ત્યાર બાદ તે ગજસુકુમાલ રાજાએ કૃષ્ણ વાસુદેવ તથા માતાપિતાને આમ કહ્યું “હે દેવાનુપ્રિયે ! હું કુત્રિકાપણ(જ્યાં સર્વ વસ્તુઓ મળે તેવી હાટીમાંથી રજોહરણ અને ભિક્ષાપાત્ર મંગાવવા અને હજામને બોલાવવા ઈચ્છું છું.' [ મહાબલની જેમ અભિનિષ્ક્રમણ (વર્ણન). ત્યાર પછી ગજસુકુમાલ કુમારે અહેતુ અરિષ્ટનેમિ ભગવંતની પાસે આવે આ પ્રકારનો ધર્મોપદેશ સારી રીતે ગ્રહણ કર્યોતેમની આજ્ઞા મુજબ જ તે ચાલતા, ઊભા થતા, બેસતા, આહાર લેતા, બોલતા અને અપ્રમત્ત બની સાવધાનીપૂર્વક અન્ય પ્રાણે જીવો ભૂત, સર્વેની યતનાપૂર્વક સંયમપાલન કરવા લાગ્યા. ત્યાર બાદ તે ગજસુકુમાલ અનગાર બન્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy