SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુગ–અરિષ્ટનેમિ તીર્થમાં અણુયસકુમાર અને બીજા ઃ સૂત્ર ૧૦૬ ૨. સાગર ૩. સમુદ્ર૪. હિમવન પ. અચલ ૬, ધરણ ૭. પૂરણ અને ૮, અભિચન્દ્ર-એ આઠ રાજકુમારો હતા. ૧૦૬ તે કાળે તે સમયે દ્વારાવતી નગરી હતી પિતાનું નામ વૃષ્ણિ હતું. માતાનું નામ ધારિણી. (ગૌતમાદિ દશ કુમારની પેઠે ગુણરત્ન નામે તપસ્યા. સોળ વર્ષ સુધી દીક્ષા પર્યાય. શત્રુંજય પર્વત પર આરોહણ તથા માસિક સંલેખના દ્વારા સિદ્ધગતિ. ૭. અરિષ્ટનેમિ-તીર્થમાં અણુય કુમાર અને બીજા ૧૦૭, અણીયસ, ૨. અનન્તસેન, ૩. અજિનસેન, ૪, અનિહરિપુ, પ. દેવસેન, ૬. શત્રુસેન, ૭. સારણ, ૮. ગજ, ૯. સમુદ્ર, ૧૦. દુમુખ, ૧૧. ફૂપક, ૧૨. દારૂક, તેથી ૧૩, અનાદષ્ટિ. ભલિપુરમાં નાગ ગૃહપતિ અને તેના પુત્ર અણીયસ૧૦૮. તે કાળે તે સમયે ભક્િલપુર નામે નગર હતું. વર્ણન. તે ભદ્દિલપુર નગરની બહાર ઈશાનકોણમાં શ્રીવન નામક ઉધાન હતું–વર્ણન. થાવત્ જિતશત્રુ રાજા રાજ્ય કરતો હતો. તે ભદિલપુરમાં નાગ નામે એક ધનિક ગૃહપતિ રહેતો હતો. તે ધનાઢય યાવતુ કોઈથી પરાભવ ન પમાડી શકાય તેવો હતો. તેની પત્નીનું નામ સુલસા હતું, જે બહુ સુકોમળ યાવત્ રૂપવતી હતી. ૧૦૯. તે નાગ ગૃહપતિને સુલસાથી અણીયસ નામે પુત્ર ઉત્પન્ન થયા, જે સુકોમળ યાવત્ અત્યંત સુંદર હતો. તથા તે ક્ષીરધાત્રી, મજજનધાત્રી, મડનધાત્રી, અને અંકધાત્રી–એ પાંચ પ્રકારની ધાઈમાતાઓથી દઢપ્રતિજ્ઞકુમારની જેમ જ ઉછેરાતો, પર્વતની ગુફામાં લીન મનોહર ચંપકલતાની જેમ સુખથી વધવા લાગ્યો. ત્યારબાદ આઠ વર્ષથી કંઈક અધિક ઉમર થયા પછી તે અણીયસકુમારને માતાપિતાએ કલાચાર્યની પાસે કળાઓનું અધ્યયન કરવા માટે મોકલ્યો-થાવતુ-તે યુવાવસ્થા પ્રાપ્ત કરી ભોગો ભોગવવા સમર્થ બન્યો. ત્યારે તે અણીયસકુમારને બાળપણ વિતાવી ગયેલ જોઈને માતાપિતાએ સમાન વય, સમાન ત્વચા, સમાન લાવણ્ય, રૂપ, યૌવન, અને ગુણાથી યુક્ત, સમાન કુળમાંથી લાવેલી, શ્રેષ્ઠિઓની વિવાહયોગ્ય બત્રીસ કન્યાઓની સાથે એક જ દિવસમાં તેનાં લગ્ન કરી દીધાં. ત્યાર પછી તે નાગ ગૃહપતિએ અણીય કુમારને આ આવા પ્રકારનું પ્રીતિદાન આપ્યું, તે આ પ્રમાણે છે, યથાબત્રીસ કરોડ સુવર્ણ મહોરો-જેમ મહાબળને તેવી જ રીતે વાવ-શ્રેષ્ઠ પ્રાસાદના ઉપરના માળે રહી તે નિરંતર વાગતા મુદગેના ધ્વનિ સાથે વિવિધ ભોગો ભોગવતો રહેવા લાગ્યો. અરિષ્ટનેમિ સમક્ષ અણીયસની પ્રવ્રજ્યા અને શત્રુંજય પર સિદ્ધિ– ૧૧૦. તે કાળે તે સમયે અહંત અરિષ્ટનેમિ જ્યાં ભદ્દિલપુર નગર હતું, જ્યાં શ્રીવન ઉદ્યાન હતું ત્યાં પધાર્યા, પધારીને યથાવિધિ અવગ્રહ ધારણ કરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા રહેવા લાગ્યા. પરિષદ ધર્મ સાંભળવા મળી. ત્યારબાદ અણીયસકુમારે પણ મનુષ્યોને કોલાહલ સાંભળીને અને જોઇને ગૌતમકુમારની પેઠે ઉત્તમ અધ્યવસાય, સંકલ્પ, મનોરથ થનાં ઘેરથી નીકળી ભગવાનની પાસે જઇ ધર્મ સાંભળ્યું અને પછી અનગાર થઈ ગયા. વિશેષ માત્ર એટલું છે કે–ગૌતમ અનગાર સામાયિકથી લઈ ચૌદ પૂર્વ સુધીનું અધ્યયન કર્યું. શેષ વર્ણન પૂર્વવર્યાવતુ વીસ વર્ષ સુધી દીક્ષા પર્યાય પાળ્યો. ત્યાર પછી શત્રુંજય પર્વતનું આરોહણ કર્યું, માસિક સંલેખના દ્વારા આત્માને નિર્મળ કરી અનશન દ્વારા સાઠ ભક્તનો ત્યાગ કરી ઉત્તમ કેવળજ્ઞાન-દર્શન પામી સિદ્ધ થયા. અનંતસેનાદિ કુમાર– ૧૧૧. જેવું અણીયસસેન કુમારનું વર્ણન છે તેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy