SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુગ–મુનિસુવ્રત તીર્થમાં કાર્તિક શ્રેષ્ટિ આદિના કથાનકેઃ સુત્ર ૫૮ હે દેવાનુપ્રિય! જો તમે સંસારભયથી ઉદ્વિગ્ન થઈ યાવતુ-પ્રજ્યા ગ્રહણ કરશો તો અમને બીજું શું આલંબન છે? બીજો શો આધાર છે? અને બીજો શો પ્રતિબંધ છે? હે દેવાનુપ્રિય! અમે પણ સંસારભયથી ઉદ્વિગ્ન થયા છીએ, જન્મ અને મરણથી ભય પામ્યા છીએ, તે આપની સાથે મુનિસુવ્રત અહંતની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અનગારપણું ધાવતુ-ગ્રહણ કરીશું.' ત્યારબાદ તે કાર્તિક શેઠે તે એક હજાર આઠ વણિકોને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિમો! જો તમે પણ સંસાર-ભયથી ઉદ્વિગ્ન થયા હો, જન્મ અને મરણથી ભય પામ્યા હો, તથા મારી સાથે જ મુનિસુવ્રત અહંત પાસે યાવતુ-પ્રવજ્યા લેવા ઇચ્છતા હો તો તમે તમારે ઘેર જાઓ, અને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવે, તૈયાર કરાવીને મિત્રો, જ્ઞાતિજનો, પારિવારિક જનો, સંબંધીઓ અને પરિજનોને આમંત્રિત કરીને તે મિત્રો, જ્ઞાતિજનો, કુટુંબીઓ, સંબંધીઓ અને પરિજનોનું વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, ગંધ, માલા, અલંકારો દ્વારા સત્કાર-સન્માન કરો અને તે મિત્રો, જ્ઞાતિજનો, કુટુંબીઓ, સંબંધીઓ અને પરિજનોની સમક્ષ જયેષ્ઠ પુત્રને કુટુંબના વડા તરીકે સ્થાપિત કરો. સ્થાપિત કરીને તે મિત્રો જાતિજને કુટુંબીજને, સબંધિયા, પરિજનો અને જયેષ્ઠ પુત્રને પૂછો, પૂછીને હજાર પુરુષો વડે ઊંચકી શકાય તેવી શિબિકામાં બેસી, અને માર્ગમાં તમારી પાછળ ચાલતા મિત્ર, શાતિ યાવતુ-પરિવાર વડે અને જયેષ્ઠ પુત્ર વડે અનુસરાયેલા, સર્વ દ્ધિથી યુક્ત યાવતુવાદ્યોના ઘેષપૂર્વક વિલંબ કર્યા સિવાય મારી પાસે આવ.' પ૬. ત્યાર પછી કાર્તિક શેઠના એ કથનને વિનયપૂર્વક સ્વીકારી તે બધા વણિકો પોતપોતાને ઘેર ગયા અને તેઓએ પુષ્કળ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન તૈયાર કરાવ્યું બનાવીને મિત્રો, જ્ઞાતિજને, સંબંધીઓ, પરિ. જનોને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન દ્રારા અને વસ્ત્ર, ગંધ, માલા, અલંકારોથી સત્કાર-સન્માન કર્યું અને તેઓની સમક્ષ મોટા પુત્રને કુટુંબને ભાર સંપી ને મિત્ર, જ્ઞાતિ વગેરે અને પુત્રને પૂછી હજાર પુરુષોથી ઉપાડી શકાય એવી શિબિકામાં બેસી, માર્ગમાં મિત્ર જ્ઞાતિ યાવતુ-પરિજન વડે તથા જયેષ્ઠ પુત્ર વડે અનુસરતા, યાવર્તુ–સર્વઋદ્ધિયુક્ત યાવત્ વાદ્યના શેષપૂર્વક તેઓ તુરત કાર્તિક શેઠની પાસે હાજર થયા. ૫૭. ત્યારબાદ તે કાર્તિક શેઠે ગંગદત્તની પેઠેવિપુલ અશન-યાતુ-તૌયાર કરાવ્યાં. યાવતુ-મિત્ર, જ્ઞાતિ, યાવન્-પરિવાર, જયેષ્ઠ પુત્ર અને એક હજાર આઠ વણિક વડે અનુસરાત સર્વ ઋદ્ધિથી યુક્ત એવો કાર્તિક શેઠ યાવતુ-વાદના ઘોષપૂર્વક હસ્તિનાપુર નગરની મધ્યમાં થઇ ગંગદત્તની પેઠે નીકળ્યો અને શ્રી મુનિસુવ્રત અહંત પાસે જઈ આ પ્રમાણે બોલ્યો “હે ભગવન્! આ સંસાર ચોતરફ સળગી રહેલો છે, હે ભગવન્! આ સંસાર અત્યન્ત પ્રજવલિત થઈ રહેલો છે, માટે આપની પાસે પ્રવ્રયા ગ્રહણ કરવી એ મને શ્રેયરૂપ થશે. તેથી ભગવન્! આ એક હજાર આઠ વણિકો સાથે હું આપની પાસે સ્વયમેવ પ્રવજ્યા લેવાને અને આપે કહેલ ધર્મ સાંભળવાને ઇચ્છું છું.' અષ્ટાધિક સહસ વણિકો સાથે કાર્તિકની પ્રવજ્યા૫૮ ત્યારબાદ તે કાર્તિક શેઠે એક હજાર આઠ વણિકો સાથે મુનિસુવ્રત અહંત પાસે પ્રવ્રયા ગ્રહણ કરી યાવતુ અહંત અરિષ્ટનેમિએ ઉપદેશ આપ્યો-હે દેવાનુપ્રિયો! આ રીતે ચાલવું, આ રીતે બેસવું-પાવતુ આ પ્રકારે સંયમનું પાલન કરવું. ત્યારબાદ તે કાર્તિક શેઠે એક હજાર આઠ વણિકો સાથે મુનિસુવ્રત એહતે કહેલા આવા પ્રકારના ધાર્મિક ઉપદેશને સારી રીતે સ્વીકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy