SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ૪ અનેક લાકો દ્વારા પણ પરાજિત ન થનારા, શૂરવીર, પરાક્રમી, વિસ્તી વિપુલ સેના અને વાહનાવાળા, યુદ્ધોમાં પાતાનું લક્ષ્ય ન ચૂકનારા અર્થાત્ વિજય મેળવનારા એવા હતા. ૫૩૪. ત્યાર પછી તે આવાડ ચિલાતાના દેશમાં કોઈ એક વખત સે’કડા ઉત્પાત ઉત્પન્ન થયા, જેવા કે-અકાળ મેઘગર્જના, અકાળ વીજળીના ચમકારા, અકાળે વૃક્ષોને ફૂલા આવવા, વારંવાર આકાશમાં દેવાના નાચ વગેરે, ત્યારે તે આવાડચિલાતાએ પોતાના દેશમાં સેંકડો ઉત્પાતા ઉત્પન્ન થતા જોયા, જોઈને એકબીજાને બાલાવ્યા, બોલાવીને અાન્ય આ પ્રમાણે કહેવા લાગ્યા– ‘હે દેવાનુપિયા ! આપણા દેશમાં સેંકડો ઉત્પાતા ઉત્પન્ન થયેલા જણાય છે, જેમ કે અકાળ મેઘગર્જના થવી, અકાળે વીજળી ચમકવી, અકાળે વૃક્ષો પર ફૂલા આવવાં, વાર વાર દેવતાઓ આકાશમાં નાચતા દેખાવા, તે ન જાણે આપણા દેશમાં શું અનિષ્ટ થવાનુ છે.’ આમ કહી જેમની માનસિક શક્તિ ક્ષીણ થઈ ગઈ છે. એવા ને ચિલાતા ચિંતા અને શાકના સાગરમાં ડૂબી ગયા અને શાકાતુર થઈ હથેળી પર માં રાખી આશાન કરવા લાગ્યા અને જમીનમાં નજર ખેંચાવી ચિંતા મગ્ન થઈ ગયા. ૫૩૫. ત્યાર બાદ ચક્રરત્ન દ્વારા પ્રદર્શિત માર્ગે તે ભરત રાજા–ધાવતુ-સમુદ્ર ગર્જના જેવા અવાજ કરતા સૈન્ય સહ તિમિસ્ર ગુફાની ઉત્તર બાજુના દ્રારથી જેવી રીતે ધેાર અંધકારના સમૂહમાં ચદ્ર નીકળે તેવી રીતે તિમિમ્રગુફાથી બહાર નીકળ્યા. ત્યારે તે આવાડ ચિલાતાએ ભરત રાજાની આગળ વધતી સેનાને જોઈ, જોઈને ક્રોધાભિભૂત, રુટ, કોપાયમાન થઈને હોઠ ભીડતા Jain Education International ધર્મ કથાનુયાગ—ભરત ચક્રવતી --ચરિત્ર: સૂત્ર ૫૩૬ અન્યાન્યને બોલાવ્યા, બોલાવીને પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા— ‘હે દેવાનુપ્રિયા ! આ કોણ અનિષ્ટની ઇચ્છા કરનાર, દુર્લક્ષણ, પુણ્યહીન, ચતુર્દશીએ જન્મનારો, હી. અને શ્રી વિનાના છે જે આપણા દેશ પર આક્રમણ કરવા વેગપૂર્વક ચડી આવ્યા છે ? હે દેવાનુપ્રિયા ! આપણે તેને એવી રીતે પાછે હટાવી દઈએ કે જેથી તે આપણા દેશ પર આક્રમણ કરતા અટકે.' આવે વિચાર કરીને તે ભીલાએ એકબીજાની વાત સ્વીકારી, સ્વીકારીને યુદ્ધ માટે સજ્જ થયાશરીરે કવચ આદિ પહેર્યા’, બાણ અને ભાથા બાંધ્યાં, ગળે ગળાબંધ પહેર્યા, પાતપાતાના ધ્વજાદિ ચિહ્નોના પટ્ટા બાંધ્યા, આયુધે!શસ્ત્રાસ્ત્રો લીધાં અને જયાં ભરત રાજાનુ અગ્રસૈન્ય હતુ ત્યાં આવ્યા, આવીને ભરત રાજાના અગ્ર સૈન્ય સાથે લડાઈ કરવા લાગ્યા. ત્યાર બાદ તે આવાડ ચિલાતાએ ભરત રાજાના આગળના સૈન્યને હેરાન-પરેશાન કર્યું, ઉત્તમ યાદ્વાઓને ઘાયલ કર્યા, તેમની ધ્વજા-પતાકાઓ ક્ષત-વિક્ષત કરી નાખી, અને જેના ગળે પ્રાણ આવી ગયા છે તેવા તે સૈન્યને દશે દિશાઓમાં ભગાડી દીધુ. ૫૩૬, ત્યાર બાદ તે સેનાના નાયકે-અહી· બેઢ દ્વારા પૂર્વ વર્ણન-યાવ-ભરત રાજાના અગ્ર સૈન્યને આવાડ ચિલાતા દ્વારા ખેદાન-મેદાન, ધાયલ અને દિશેદિશામાં ભાગતું જોયું, જોઈને ક્રોધાવિષ્ટ, રુષ્ટ, પ્રચ’ડ કોપાયમાન થઈ દાંત કચકચાવી તે કમલામેલ નામક અશ્વરત્ન પર સવાર થયા. તે અશ્વરત્ન એશી આંગળ ઊંચા હતા, નવ્વાણુ આંગળ શરીરવિસ્તારવાળા હતા, એકસા આઠ આંગળ લાંબો હની, તેનું માથુ બત્રીસ આંગળ ઊંચું હતું, ચાર આંગળના એના કાન હતા, મસ્તકની નીચે ઘૂંટણથી ઉપર સુધી તે વીશ આંગળ પ્રમાણ હતા, તેનાં ધૂંટણ ચાર આંગળનાં હતાં, તેની જાંધ સાળ આંગળની અને ખરીએ ચાર For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy