SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ પર ધર્મકથાનુગ–મલ્લી-જિન-ચરિત્ર : સત્ર ૨૩ ૩ ત્યારે તે વૈશ્રમણદેવ દેવેન્દ્ર દેવરાજ શક્ર હતો ત્યાં આવ્યો અને બન્ને હથેળી ભેગી કરી વાવ-તે આજ્ઞા પૂરી કર્યાની જાણ કરી. ૨૩૧. ત્યાર બાદ મલી અહંત પ્રતિદિન-પાવ મગધ દેશના સમય મુજબ પ્રભાતકાળના ભોજન સુધી ઘણા સનાથ, અનાથ, મુસાફરો, વટેમાર્ગુઓ, ભિખારીઓ અને કંથાધારી ઓને રોજ એક કરોડ આઠ લાખ મુદ્રાઓનું દાન કરે છે. ત્યાર બાદ કુંભ રાજાએ મિથિલ રાજધાનીમાં અનેક સ્થળે, જગ્યાએ જગ્યાએ ભોજનશાળાઓ કરાવી. ત્યાં ઘણા માણસો ભજન અને વેતન લઈને પ્રતિદિન વિપુલ પ્રમાણમાં અશન, પાન,ખાદિમ અને સ્વાદિમ ભોજન બનાવતા હતા,ભોજન બનાવીને જે જે ત્યાં આવે, જેમ કે માર્ગે જનારા, પયિકો, ભિખારીઓ,સાધુઓ કે ગૃહસ્યો-તેમને આવ્યા. સન આપી,વિશ્રામ કરાવી,ઉત્તમ સુખાસન પર બેસાડી, વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ભોજન આપતા, વહેંચતા રહેતા. ત્યાર પછી મિથિલાનગરીમાં શૃંગાટક (શીંગડા આકારના માર્ગ), ત્રીક (ત્રીભેટા), ચતુષ્ક (ચોક), ચત્વર (ચોરા), ચતુર્મુખ (ચૌટા), રાજમાર્ગ, માર્ગ આદિ સ્થાનોમાં ઘણા લોકો મળે ત્યારે એકબીજાને કહેવા લાગ્યા- હે દેવાનુપ્રિય! કુંભ રાજાની ભવનમાં સર્વ ઇચ્છા પૂરે તેવાં, મનભાવે તેવાં, વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભેજન ઘણા શ્રમણોને, બ્રાહ્મણોને, સનાથને, અનાથોને, પથિકોને, વટેમાર્ગુઓને, કાપાલિકોને, ભિખારીઓને ખવડાવવામાં આવે છે, આપવામાં આવે છે. સિંગ્રહણી ગાથાર્થ સુર, અસુર, દેવ, દાનવ અને નરેન્દ્રો દ્વારા પૂજિત એવા તીર્થકરોના અભિનિષ્ક્રમણના અવસર પર દાનઘાષણ કરાય છે કે “માગે, . જેની જે ઇચ્છા હોય તે માગો, બહુ પ્રકારે કિમિચ્છક (ઇચ્છાનુસાર) દાન આપવામાં આવી રહ્યું છે.” (1) ૨૩૨. ત્યાર બાદ મલ્લી અર્હતે વષીદાન રૂપે ત્રણસો અઠયાશી કરોડ એંશી લાખ મુદ્રા જેટલું ધન દાનમાં આપી હું દીક્ષા લઈશ એ નિશ્ચય મનમાં કર્યો. તે કાળે તે સમયે બ્રહ્મલોક ક૯૫માં, અરિષ્ટ વિમાન પ્રસ્તર(માળ) પર રહેનાર લોકાનિક દેવે પોતપોતાના ઉત્તમ પ્રાસાદોમાં, પ્રત્યેક પોતપોતાના ચાર હજાર સામાનિક દેવ, ત્રણ પરિષદો, સાત સેનાઓ, સાત સેનાપતિઓ, સોળ હજાર આમરક્ષક દે અને બીજા પણ અનેક લોકાનિક દેવે તથા દેવીઓથી વીંટળાઈને જોર જોરથી વગાડાતાં વાદ્યો અને નૃત્ય, ગીત, વાદ્ય, તંત્રી, તલ, તાલ, ગુટિત, ઘન, મૃદંગ, પડહ, નગારાના અવાજ સાથે વિપુલ ભેગો ભોગવતા વિહરી રહ્યા હતા, તે આ પ્રમાણે– સિંગ્રહણી ગાથાર્થ – ૧. સારસ્વત, ૨. આદિત્ય, ૩, અગ્નિ, ૪. વરુણ, ૫. ગોય, ૬. તુષિત, ૭. અવ્યાબાધ અને ૮. આગ્નેય-એ આઠ લોકાતિક અરિષ્ટ પુસ્તરમાં રહે છે. ૨૩૩. ત્યાર બાદ તે લેકાતિક દેવેમાંના દરેકનું આસન ચલાયમાન થયું ઇત્યાદિ પૂર્વવતુ-વાવનું અભિનિષ્ક્રિમણની ઇચ્છાવાળા અને ભગવંતોને સંબોધ કરવાનો લોકાંતિક દેવેન પરં. પરાગત આચાર છે. “તો આપણે જઈએ અને મલી અહંતને સંબોધ કરીએ' એમ વિચાર કર્યો, વિચારીને ઉત્તરપૂર્વ દિશામાં ગયા, જઈને વૈક્રિય સમુદઘાત કર્યો, સમુદઘાત કરીને સંખ્યાત યોજન પ્રમાણનો દંડ કાઢો, જભક દેવાની જેમ જ-થાવત્ જયાં મિથિલા રાજધાની હતી, જયાં કુંભક રાજાનું ભવન હતું, જ્યાં મલી અહંત હતા, ત્યાં ગયા, જઈને અંતરિક્ષમાં રહીને, ઘુઘરીઓવાળાં પચરંગી ઉત્તમ વસ્ત્રો પહેરીને, દશે આંગળીઓ જોડી મસ્તક સમીપે અંજલિ રચી ઇષ્ટ, કાન્ત, પ્રિય, મનોહર સુરો વડે આ પ્રમાણે બોલ્યા “હે ભગવંત લોકનાથ ! બોધ પામો, ધર્મ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy