SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૧૦૫ ત્યાં પાત્ર, ટોપલી, એક તરફ મૂકીને તેણે વેદિકા બનાવી અને તે પછી સ્નાન કર્યું. દર્ભ વગેરે કિયા એનું અનુષ્ઠાન કર્યું'. એક દેવે અન્તરીક્ષમાં ઉપસ્થિત થઈ સેમિલને કહ્યું: ‘તારું કાર્ય ઉચિત નથી.” એણે દેવના કથનની ઉપેક્ષા કરી, પરંતુ દેવના વારંવારના ઉબેધનથી એણે શ્રાવકનાં પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત ગ્રહણ કર્યા. તે પછી વિવિધ પ્રકારનાં તપ કરતા રહ્યો. અંતમાં અર્ધમાસિક સંલેખના કરી આત્માને ભાવિત કરતો એ પૂર્વકૃત પાપકર્મોની આલેચના કર્યા વગર ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી શુક્ર નામના મહાગૃહમાં ઉપન્ન થયો. ત્યાંથી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે. અહીં એ યાદ રાખવું જોઈએ કે સેમિલ નામના બે શ્રમણ ઉપાસકેનું વર્ણન આગમ સાહિત્યમાં મળે છે. એકનું વર્ણન પુફિયા આગમમાં છે, તે બીજાનું વર્ણન ભગવતીના શતક અઢારના ઉદ્દેશક દશમામાં જોવા મળે છે. બન્ને વણે તે બ્રાહ્મણ હતા, એકે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યા હતા, તો બીજાએ ભગવાન પાર્શ્વને. ભગવાન પાર્શ્વને પ્રશ્ન કરનારે સેનિલ વારાણસીને રહેનારે હતા અને મહાવીર પ્રભુને પ્રશ્ન કરનાર સમિલ બ્રાહ્મણ વાણિજ્યગામનો રહેવાસી હતે. બનેને સમય જુદે જુદો છે. નામમાં સામ્ય હોવાને કારણે આ અંગે કોઈ ભ્રમ ઊભો ન થાય તેનું વાચકે ધ્યાન રાખે. રાજા પ્રદેશી આમલકપ્પા નગરીના અપ્રસાલ ચૈત્યમાં ભગવાન મહાવીર પધાર્યા. એ સમયે સૂર્યાભદેવ ભગવાનનાં દર્શન કરવા આવ્યું. એણે બત્રીસ પ્રકારનાં નાટક કર્યા. બત્રીસમાં નાટકમાં એણે ભગવાન મહાવીરના વનથી શરૂ કરીને પરિનિર્વાણ સુધીના પ્રસંગે અંગે અભિનય કર્યો. અભિનય કર્યા પછી સૂર્યાભદેવ ચાલે ગયે. ગૌતમે એના અંગે જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યો: “આ વિશિષ્ટ દેવઋદ્ધિ અને કેવી રીતે પ્રાપ્ત થઈ ? ભગવાને કહ્યું : “વેતાંબિકા નગરીમાં પ્રદેશ નામનો રાજા હતા. એની રાણીનું નામ સૂર્ય કાન્તા અને પુત્રનું નામ સૂર્યકાન્ત હતું. એમના સારથીનું નામ ચિત્ત હતું. એ બહુ બુદ્ધિમાન હતા. એક દિવસ પ્રદેશ રાજાએ ચિત્તસારથીને ઉપહાર આપીને શ્રાવસ્તીના રાજા જિતશત્રુ સમીપ મોકલ્યો. ત્યાં એણે પાર્થાપત્ય કેશી શ્રમણનાં દર્શન કર્યા, એમનું પ્રવચન સાંભળી એણે શ્રાવકવૃત પ્રહણ કર્યું. રાજ જિતશત્રુ તરફથી ઉપહાર લઈને ચિત્તસારથી ફરીથી તાંબિકા તરફ પ્રસ્થાન કરવા તૈયાર થયા. તે વખતે તેણે કેશી શ્રમણને જણાવ્યું કે, “આપ શ્વેતાંબિકા નગરીમાં પધારો.” કેશીશ્રમણે ઉત્તર આપ્યો : “રાજા પ્રદેશ અધાર્મિક છે, એટલે અમે ત્યાં કેવી રીતે આવી શકીએ ?' ચિત્તસારથીએ કહ્યું : “આપ ત્યાં પધારે અને એને ઉપદેશ આપીને ળા.” એની પ્રાર્થનાને સ્વીકાર કરી દેશીશ્રમણ તાંબિકા નગરીના ઉદ્યાનમાં પધાર્યા. ચિત્તસારથી ડાઓની પરીક્ષા કરવાની છે એમ બહાનું બતાવીને રાજ્ય પ્રદેશને મૃગવન ઉદ્યાનમાં લાવ્યો. રાજા પ્રદેશી કેશીશ્રમણનું દિવ્ય અને ભવ્ય રૂપ જોઈને અત્યંત પ્રભાવિત થયા. તે એમની સમીપમાં આવ્યું અને એણે પૂછયું : “શું આપ જીવ અને શરીરને પૃથફ માને છે ?' દેશી : “હા, અમે જીવ અને શરીરને પૃથફ માનીએ છીએ.” પ્રદેશીએ તર્ક કરીને કહ્યું: “મારા દાદા અધાર્મિક હતા. પ્રજાનું સારી રીતે પાલન કરતા ન હતા. આપની દૃષ્ટિએ તેઓ મરીને નરકમાં ગયા હશે. એમની અને મારી વચ્ચે ખૂબ પ્રેમ હતું. તેઓ મને આવીને શા માટે એમ કહેતા નથી કે હું નરકમાં ઉત્પન્ન થયે છું, અને ત્યાં અપાર કષ્ટને અનુભવ કરી રહ્યો છું.' કેશી : “તારી રાણીની સાથે કોઈ કામુક વ્યક્તિ વિષ–સેવનની ઈચ્છા પ્રગટ કરે તે તું એને શિક્ષા કરે ?' પ્રદેશી : “એને પ્રાણ લઈ લઉં.' કેશી : “તે વ્યક્તિ તને એમ જણાવે કે હું મારા સંબંધીઓને સૂચના આપી દઉં કે મને શિક્ષા થઈ રહી છે, એટલે તમે પણ આ કૃત્યથી તમારી જાતને બચાવે. તે શું તું તે પુરુષને આવી સૂચના આપવા મુક્ત કરીશ ?' પ્રદેશી : “ના, તે તે મારો અપરાધી છે.’ કેશી : ‘તારા દાદાને તારા પર સ્નેહ હોવા છતાં તેઓ નરકથી અહીં આવી શકે નહીં. અર્થાત જીવ અને શરીર ભિન્ન છે.” પ્રદેશીઃ “મારાં દાદી ધર્માત્મા હતાં. આપની દૃષ્ટિએ તે સ્વર્ગમાં ગયાં હશે. એમણે તો મને આવીને કહેવું જોઈએ ને?” ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy