SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૪ પ્રત્યક્ષ અને ૨. પારમાર્થિક પ્રત્યક્ષ. સાંવ્યવહારિક પ્રત્યક્ષ પણ ઈન્દ્રિય અને અનિન્દ્રિય (મન) નાં ભેદથી બે પ્રકારના છે. તથા પારમાર્થિક પ્રત્યક્ષના સકળ અને વિકળ એ બે ભેદ કર્યા છે. સકળ પ્રત્યક્ષમાં કેવળજ્ઞાનનો સમાવેશ થાય છે અને વિકલ પ્રત્યક્ષમાં અવધિજ્ઞાન અને મનઃ પર્યવજ્ઞાનની ગણના થાય છે. સિદ્ધો અને ભવસ્થ કેવળીઓના કેવળજ્ઞાનમાં કોઈ અન્તર હોતું નથી. બન્ને સમાન રુપથી જાણે છે. પરંતુ કેવળી (ભવસ્થ) ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષાર્થ - પરાક્રમથી યુક્ત હોય છે. જ્યારે સિદ્ધ આનાથી રહિત હોય છે. માટે કેવળજ્ઞાનીઓને પ્રશ્ન પૂછવાથી તેઓ તેનો જવાબ આપે છે. પરંતુ સિદ્ધ આપતા નથી. કેવળી પોતાની આંખો બંધ કરે અને ખોલે છે, જ્યારે સિદ્ધ નહિ. આ પ્રમાણે અંગોના સંકોચ, વિસ્તાર, ઉભા રહેવું, સુવું-બેસવું આદિ ક્રિયાઓની દ્રષ્ટિએ કેવળી અને સિદ્ધોમાં અંતર છે. કેવળી અને સિદ્ધોમાં વેદનીય આદિ ચાર અધાતિ કર્મોનું પણ અંતર રહે જ છે. છદ્મસ્થો અને કેવળીઓના જ્ઞાનમાં અંતર પ્રતિપાદિત કરતાં સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે - કે છદ્મસ્થ દસ વાતો (પદાર્થો)ને સંપૂર્ણ રુપથી જાણતાં-જોતાં નથી. જ્યારે કેવળી એને સર્વભાવથી સંપૂર્ણ રુપમાં જાણે-જુવે છે. તે દસ પદાર્થ આ છે ૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય, ૪. શરીર મુક્ત જીવ, ૫. પરમાણુ પુદ્દગલ, ૬. શબ્દ, ૭. ગંધ, ૮. વાયુ, ૯. આ જિન થશે કે નહિ, ૧૦. આ બધા દુઃખોનો અંત ક૨શે કે નહિ. છદ્મસ્થ અને કેવળીઓમાં સાત વાતોનું અંતર હોય છે- છદ્મસ્થ.- ૧. પ્રાણોનો અતિપાત કરે છે, ૨. મૃષા બોલે છે, ૩. અદત્તને ગ્રહણ કરે છે, ૪. શબ્દ, સ્પર્શ, રસ, રુપ અને ગંધનો આસ્વાદક હોય છે, પ. પૂજા - સત્કારનો અનુમોદના કરે છે, ૬. સાવદ્યને સાવધ કહીને પણ તેનું સેવન કરે છે, ૭. જેવું કહે તેવું કરતા નથી. કેવળીનો વ્યવહાર આ સાત વાતોથી વિપરીત હોય છે તથા તેઓ પ્રાણોનો અતિપાત કરતા નથી વગેરે. અનુત્તરોપપાતિકદેવ પોતાના સ્થાનપર રહીને જ અહીં રહેલ કેવળીઓની સાથે આલાપ અને સંલાપ કરી શકે છે. કેવળીના દસ અનુત્તર (ઉત્કૃષ્ટ) કહ્યા છે- ૧. અનુત્તરજ્ઞાન, ૨. અનુત્તરદર્શન, ૩. અનુત્તર ચારિત્ર, ૪. અનુત્તર તપ, ૫. અનુત્તર વીર્ય, ૬. અનુત્તર ક્ષાન્તિ, ૭. અનુત્તર મુક્તિ, ૮. અનુત્તર આર્જવ, ૯. અનુત્તર માર્દવ અને અનુત્તર લાઘવ. કેવળી પ્રશસ્ત મન અને વચનને ધારણ કરે છે. કેટલાક દેવતા એને જાણે છે તથા કેટલાક નથી જાણતા. પાંચ જ્ઞાનોમાંથી કોઈપણ વિશુદ્ધ જ્ઞાનની ઉત્પત્તિમાં શ્રવણ તથા જાણપણના નિમિત્ત બને છે. તેમજ આ જ્ઞાનોની વિશુદ્ધતા માટે આરંભ અને પરિગ્રહને જાણીને છોડવું આવશ્યક છે. કેવળી પ્રરુપિત ધર્મનું શ્રવણ કર્મપુદ્દગલોનો ક્ષય કે ઉપશમ થવાથી થાય છે. અજ્ઞાન ત્રણ પ્રકારના હોય છે- ૧. મતિ અજ્ઞાન, ૨. શ્રુત અજ્ઞાન અને ૩. વિભંગજ્ઞાન. મન:પર્યાયજ્ઞાન અને કેવળજ્ઞાન આ બે જ્ઞાન અજ્ઞાન રુપ હોતા નથી. બાકીના ત્રણ જ્ઞાન અજ્ઞાન રુપ હોય છે. સમ્યગ્દષ્ટિ જીવને એ ત્રણે જ્ઞાન જ્ઞાનરુપ હોય છે તથા મિથ્યાદૅષ્ટિના આ ત્રણેય અજ્ઞાન રુપ હોય છે. અજ્ઞાનનો અર્થ જ્ઞાનનો અભાવ નથી પરંતુ અશુદ્ધ (મિથ્યાદષ્ટિ યુક્ત) જ્ઞાનને અજ્ઞાન કહેવાય છે. મતિ- અજ્ઞાનના પણ આભિનિબોધિક જ્ઞાનની જેમ ચાર ભેદ થાય છે- ૧. અવગ્રહ, ૨. ઈહા, ૩. અવાય અને ૪. ધારણા. આ ચારેના ભેદોપભેદ પણ અજ્ઞાનમાં ઘટિત થાય છે. અજ્ઞાની મિથ્યાદૅષ્ટિયો દ્વારા સ્વચ્છંદ બુદ્ધિથી કલ્પિત ગ્રંથ 'શ્રુત અજ્ઞાન' કહેવાય છે. જેમ મહાભારત યાવત્ સાંગોપાંગ વેદ. અવધિજ્ઞાન જ્યારે અજ્ઞાન રુપ હોય છે તો તેને વિભંગજ્ઞાન કહેવામાં આવે છે તે પણ મિથ્યાદષ્ટિઓને હોય છે. સમ્યગ્દષ્ટિઓને અવધિજ્ઞાન નથી થતો. વિભંગજ્ઞાનને ગ્રામસંસ્થિત, દ્વીપ સંસ્થિત, સમુદ્રસંસ્થિત વગેરે ભેદોથી અનેક પ્રકારનો કહેવામાં આવ્યો છે. વિભંગજ્ઞાન સાત પ્રકારના પણ કહેવાય છે. જેમ- ૧. એક દિશામાં લોકનું જ્ઞાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy