SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ તિથિ ૧૦૫૭૫૦૦ ૧૬૦૨૯૪૭૩૬૮ ૯ ૨૫૦૮૧૭૬૮ તિથિક્ષય ૧૬૫૪૭ થીબોની અનુસાર ઉપરોક્ત ઇ.સ. ૪૦૦ લગભગ રચાયેલ હશે. પૌલિશ સિદ્ધાંતનું ગ્રહ ગણિત પણ અંકો દ્વારા સ્થળ રીતિથી ગણવામાં આવ્યું છે. અલબેરૂની અનુસાર યુનાની સિદ્ધાંતોથી એની રચના કરવામાં આવી છે પરંતુ કર્નેએ એનું ખંડન કર્યું છે. સૂર્ય સિદ્ધાંતમાં યુગાદિથી અહર્ગણ લાવીને મધ્યમઝહ સિદ્ધ કરવામાં આવ્યા છે. આ પછી સંસ્કાર આપીને સ્પષ્ટગ્રહવિધિ પ્રતિપાદિત કરવામાં આવી છે. ગ્રહગમન પરિધિની અનુસાર સિદ્ધ કરવામાં આવ્યું છે; જેનાથી ગ્રહોની યોજનાત્મક અને કલાત્મક ગતિઓ પ્રમાણિત થઈ જાય છે. એ ગ્રંથમાં મધ્યમ, સ્પષ્ટ, ત્રિપ્રશ્ન ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, પરલેખ, ગ્રહયુતિ નક્ષત્રગ્રહયુતિ, ઉદયઅસ્ત, હૃગોન્નતિ, પાત:અધિકાર તથા ભૂગોલ અધ્યાય આપવામાં આવ્યા છે. પંચસિદ્ધાંતો સિવાય નારદસંહિતા, વર્ગ સંહિતા આદિ ગ્રંથ પણ છે. પારાશર દ્વારા પણ ફલિત જ્યોતિષનું બૃહત્પારાશર હોરાશાસ્ત્ર પ્રસિદ્ધ છે.' : ૬. બૌદ્ધ સંસ્કૃતિમાં ભૂગોલ, જ્યોતિષ તેમજ ખગોલાદિ અંગેનું ગણિત : જ્ઞાત થયું છે કે - વેદાંગ જ્યોતિષના સ્ત૨૫૨ ગણિતજ્યોતિષ અંગેનો બૌદ્ધગ્રંથ શાર્દુરકરણ-અવદાન છે. ગણિત - જ્યોતિષનું એવું વિવરણ ચીની બૌદ્ધ ગ્રંથમાં છે. જેમાં આ ગ્રંથના બે અનુવાદ પણ સામિલ છે. એ પછીનો ગ્રંથ તિબ્ધતિ તાંત્રિક ગ્રંથ છે જેનું નામ કાળચક્ર-તંત્ર (લ. ૧૦મી સદી) અને એની ટીકા વિમલપ્રભા છે. બૌદ્ધ મતાનુસાર લોકવર્ણન આચાર્ય વસુબધુના અભિધર્મકોશમાં પ્રાપ્ત થાય છે.? એમાં ઈકાઈઓ યોજન અને કલ્પના વિભાજન રૂપમાં છે. ક્ષેત્રમાપ આ ગ્રંથમાં નીચે પ્રમાણે છે૭ પરમાણું = ૧ અણુ, ૭ અણુ = ૧ લૌહરજ, ૭ લૌહરજ = ૧ જબરજ, ૭ જલરજ = ૧ શશરજ, ૭ શશરજ = ૧ મેષરજ, ૭ મેષરજ = ૧ ગોરજ, ૭ ગોરજ = ૧ છિદ્રરજ, ૭ છિદ્રરજ = ૧ લિક્ષા, ૭ શિક્ષા = ૧ યવ, ૭ યવ = ૧ આંગળીપર્વ, ૨૪ આંગળીપર્વ = ૧ હસ્ત, ૪ હસ્ત = ૧ ધનુષ, ૫૦૦ ધનુષ = ૧ કોશ, ૮ કોશ = ૧ યોજન, કાળમાપ નીચે પ્રમાણે છે. ૧૨૦ ક્ષણ = ૧ તત્પણ; ૬૦ તત્પણ = ૧ લવ; ૩૦ લવ = ૧ મુહૂર્ત; ૬૦ મુહૂર્ત = ૧ અહોરાત્રિ; ૩૦ અહોરાત્રિ = ૧ માસ; ૧૨ માસ + ઊનરાત્ર = ૧ વર્ષ કે સંવત્સર. એની અનુસાર લોક ધાતુ. અનન્ત છે. (એજ ૫.૪૧૩) અહીં કલ્પનો પણ વિચાર કરવામાં આવ્યો છે.*(૧) સંવર્તકલ્પ (૨) વિવર્તકલ્પ (૩) અત્તરકલ્પ, એંસી અંતરકલ્પોનો એક મહાકલ્પ થાય છે. એનું વિવરણ થોડું જૈન ઉત્સર્પિણી અવસર્પિણી કાળાદિ સાથે સરખાવ્યા જેવું છે. જ્યાં સુધી સંકેતના દાલમિકના પ્રક્રમોનું વિવરણ છે. તે અંગે બી. એલ. વાનડર વાએર્ડરનો મત' ઉલ્લેખનીય 9. In this manner Buddha continues through = 23 stages According to an arithmetic book koti is a hundred Times One handred thousand ( Sata sata sahassa). so that the Largest number mentioned by Buddha is 107 1046 = 1053 But in most arithmetic. these same Words ayuta and niyuta have Other Values Viz. 104 and 105 ૧. વિશેષ વિવરણ માટે જુઓ. શંકર બાલકૃષ્ણ દીક્ષિત, ભારતીય જ્યોતિષ (અનુ. શિ.ઝારખંડી) લખનઉ. ૧૯૭૫. ૨. અભિધર્મકોશ, લેખક આચાર્ય વસુબંધુ. અનુ. આચાર્ય નરેન્દ્રદેવ, પ્ર. હિન્દુસ્તાની અકાદમી, ઈલાહાબાદ, ૧૯૫૮ ૩. એજ. ૩, ૮૮-૮૯ ૪. એજ. ૩, ૮૯-૧૦૧ ૫. science Awakening, હાલેન્ડ, (અ.અનુ.) ૧૯૪૫, પૃ. પર. 65 365 365 365 366 367 36 361361361 59 361 66 35 36} {}{G} {6} $6 6 J &6} : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy