SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૧૦૯૦ १. ता जया णं एते दुवे सूरिया सव्वब्धंतरं मण्डलं उवसंकमित्ता चारं चरंति तया णं णवणउइं जोयणसहस्साई, छच्च चत्ताले जोयणसए अण्णमण्णस्स अन्तरं कट्टु चारं चरंति आहितेति वएज्जा । તિર્યક્ લોક : સૂર્યની એકબીજાથી અંતર ગતિ तया णं उत्तमकट्ठपत्ते उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहण्णिया दुवालसमुहुत्ता राई મવર્ २. ते निक्खममाणा सूरिया णवं संवच्छरं अयमाणा पढमंसि अहोरत्तंसि अब्भिंतराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरंति । ता जया णं एते दुवे सूरिया अब्भिंतराणंतरं मण्डलं उवसंकमित्ता चारं चरंति, तया णं णवणउई जोयण- सहस्साइं छच्च पणयाले जोयणसए पणतीसं च एगट्ठिभागे जोयणस्स अण्णमण्णस्स अन्तरं कट्टु चारं चरंति आहितेति वएज्जा । तया णं अट्ठारसमुहुत्ते दिवसे भवइ, दोहिं एगट्टिभाग मुहुत्तेहिं ऊणे, दुवालसमुहुत्ता राई . दोहिं एगट्ठिभाग मुहुत्तेहिं अहिया, સવર, ३. ते निक्खममाणा सूरिया दोच्चंसि अहोरत्तंसि अब्धिंतरं तच्चं मंडलं उवसंकमित्ता चारं चरंति । ता जया णं एते दुवे सूरिया अब्भिंतरं तच्वं मण्डलं उवसंकमित्ता चारं चरंति, तया णं णवणउई जोयणसहस्साइं छच्च इक्कावण्णे, जोयणसए नव य एगट्ठिभागे जोयणस्स अण्णमण्णस्स अन्तरं कट्टु चारं चरंति, आहितेति वदेज्जा । तया णं अट्ठारसमुहुत्ते दिवसे भवइ चउहिं एगट्ठमुहुत्तेहिं ऊणे दुवालसमुहुत्ता राई भवइ चहिं एगट्टिभागमुहुत्तेहिं अहिया । Jain Education International ગણિતાનુયોગ ભા.-૨ ૧૨૧ (૧) જ્યારે એ બન્ને સૂર્ય સર્વાભ્યન્તર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે નવાણું હજા૨ છસો ચાલીસ યોજનનું પરસ્પર અંતર રાખીને ગતિ કરે છે. For Private ત્યારે પરમ ઉત્કર્ષને પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને જઘન્ય બાર મુહૂર્તની રાત્રિ હોય છે. (૨) (સર્વાભ્યન્તર મંડળથી)નીકળતા એવા તે બન્ને સૂર્ય નવા સંવત્સરના દક્ષિણાયનનો પ્રારંભ કરતા એવા પ્રથમ અહોરાત્રમાં આભ્યન્તરાનાર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. જ્યારે એ બન્ને સૂર્ય આભ્યન્તરાનન્તર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. ત્યારે તેઓ નવાણુ હજાર છસો પીસ્તાલીસ યોજન તથા એક યોજનના એકસઠ ભાગોમાંથી પાંત્રીસ ભાગ જેટલું અંતર રાખીને ગતિ કરે છે. ત્યારે એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી બે ભાગ ઓછા (જેટલો) અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી બે ભાગ વધુ (જેટલી)બાર મુહૂર્તની રાત્રિ હોય છે. (૩) (આભ્યન્તરાનન્તર મંડળમાંથી) નીકળતા એવા તેઓ બન્ને સૂર્ય બીજી અહોરાત્રમાં આભ્યન્તર ત્રીજા મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. Personal Use Only જ્યારે એ બન્ને સૂર્ય આભ્યન્તર ત્રીજા મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે તેઓ નવાણું હજાર છસો એકાવન યોજન તથા એક યોજન ના એકસઠભાગોમાંથી નવ ભાગ જેટલું પરસ્પર અંતર રાખીને ગતિ કરે છે. ત્યારે એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી ચાર ભાગ ઓછા (જેટલા) અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી ચાર ભાગ વધુ (જેટલી) બાર મુહૂર્તની રાત્રિ હોય છે. www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy