SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ - જ્યોતિલોક - જૈન માન્યતાનુસાર સમ-ભૂમિતલથી સૂર્ય-ચંદ્ર આદિની ઊંચાઈનો જે ઉલ્લેખ છે. એનાથી વૈદિક માન્યતામાં ઘણો બધો તફાવત છે. જે બન્નેના પૂર્વે કરેલા વર્ણનોમાંથી વાચક સારી રીતે જાણી શકશે. ૮ - સ્વર્ગલોક - બન્ને માન્યતાનુસારસ્વર્ગલોકની સ્થિતિ જ્યોતિર્લોકની ઉપર હોવાનું માનવામાં આવે છે. વૈદિક માન્યતામાં સ્વર્ગલોકનું નામ મહર્લોક આપવામાં આવ્યું છે તથા ત્યાંના નિવાસીઓને જૈન માન્યતાની જેમ જ કલ્પવાસી કહેવામાં આવ્યા છે. વૈદિક માન્યતામાં સ્વર્ગલોકની સ્થિતિ સૂર્ય અને ધ્રુવની મધ્યમાં ચૌદ લાખ યોજન પ્રમાણ ક્ષેત્રમાં છે. જ્યારે જૈન માન્યતામાં તે સુમેરુની ઉપરથી લઈને અસંખ્યાત યોજન ઉપરના ક્ષેત્ર સુધી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. - ૯ - કર્મભૂમિ અને ભોગભૂમિ - જે પ્રકારે જૈનાગમોમાં કર્મભૂમિ અને ભોગભૂમિનું વર્ણન આપવામાં આવ્યું છે એ પ્રકારે હિંદ, પુરાણોમાં પણ મળે છે. વિપશુ-પુરાણના દ્વિતીયાંશના ત્રીજા અધ્યાયમાં કર્મભૂમિનું વર્ણન આ પ્રમાણે કરવામાં આવ્યું છે – उत्तरं यत्समुद्रस्यः हिमाद्रेश्च दक्षिणम् । वर्ष तभारतं नाम भारती यत्र संततिः ॥१॥ नवयोजनसहस्त्रो विस्तारोऽस्य महामुने! । कर्मभूमिरियं स्वर्गमपवर्गउच गच्छताम् ॥२॥ अतः सम्प्राप्यते स्वर्गो मुक्तिमस्मात् प्रायन्ति वै । तिर्यक्त्वं नरकं चापि यान्त्यतः पुरूषा मुने ॥३॥ इतः स्वर्गश्च मोक्षश्च, मध्य चान्तश्च गम्यते । त खल्वन्यत्र मानां कर्मभूमौ विधीयते ॥४॥ ભાવાર્થ : સમુદ્રના ઉત્તરમાં અને હિમાદ્રિના દક્ષિણમાં ભારત વર્ષ આવેલો છે. એનો વિસ્તાર નવહજાર યોજન વિસ્તૃત છે. એ સ્વર્ગ અને મોક્ષ જનારા પુરુષોની કર્મભૂમિ છે. એ સ્થાનથી મનુષ્ય સ્વર્ગ અને મુક્તિ પ્રાપ્ત કરે છે અને અહીં થી જ તિર્યંચ અને નરકગતિમાં પણ જાય છે. એટલે કર્મભૂમિ છે. આ ભારત વર્ષ સિવાય અન્ય ક્ષેત્રમાં કર્મભૂમિ નથી. અગ્નિપુરાણમાં એકસો અઢારમાં અધ્યાયના બીજા શ્લોકમાં પણ ભારત વર્ષને કર્મભૂમિ કહેવામાં આવી છે. જેમકે कर्मभूमिरियं स्वर्गमपवर्गञ्च गच्छताम्।। વિષ્ણુ-પુરાણના અંતમાં કર્મભૂમિનો ઉપસંહાર કરતા લખવામાં આવ્યું છે કે ભારત વર્ષમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર રહે છે તથા તેઓ ક્રમશ: પૂજન પાઠ, આયુધ-ધારણ, વાણિજ્ય કર્મ અને સેવાદિ કાર્ય કરે છે. જેમકે ब्राह्मणाः क्षत्रियाः वैश्या, मध्ये शुद्राश्च भागशः । इज्याऽऽयुध्वाणिज्याद्यैर्वर्तयन्तो व्यवस्थिताः ॥९॥ આ અધ્યાયનો ઉપસંહાર કરતા કહેવામાં આવ્યું છે કે ભારત વર્ષ સિવાય અન્ય બધાક્ષેત્રોમાં ભોગભૂમિ છે. જેમકે अत्रापि भारतं श्रेष्ठ, जम्बूद्वीपे महामुने । यतो हि कर्मभूरेषा ह्यतोऽन्या भोगभूमयः ॥ ભાવાર્થ : આ જંબુદ્વીપમાં ભારત વર્ષ સર્વશ્રેષ્ઠ છે. કેમકે અહીં સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત કરાવનારી કર્મભૂમિ છે. ભારતભૂમિ સિવાય અન્ય સર્વક્ષેત્રની ભૂમિઓ તો ભોગ-ભૂમિઓ છે. કેમકે- ત્યાં રહેનારા જીવ સદાકાળ કોઈપણ રોગ શોકના વિઘ્ન વગર ભોગોનો ઉપભોગ કરે છે. માર્કણ્ડય-પુરાણના પ૫ માં અધ્યાયના શ્લોક ૨૦-૨૧માં પણ ભોગભૂમિ અને કર્મભૂમિનું વર્ણન મળે છે. ૧૦ - ઉત્સર્પિણી અવસર્પિણી કાલ - જૈનાગમોમાં કાલના પરિવર્તન સ્વરૂપનું વર્ણન કરતા દર્શાવવામાં આવ્યું છે કે- જે સમયે મનુષ્યના આયુષ્ય, સંપત્તિ, સુખ-સમૃદ્ધિ તેમજ ભોગોપભોગોની વૃદ્ધિ હોય એને ઉત્સર્પિણી કાલ કહેવામાં આવે છે અને જે સમયે ઉક્ત વસ્તુઓની હાનિ કે શ્વાસ હોય તો એને અવસર્પિણીકાલ કહેવામાં આવે છે. બન્ને પ્રકારના કાલોનું પરિવર્તન કર્મભૂમિવાલી પૃથ્વીઓમાં જ થાય છે. અન્યત્ર ભોગ ભૂમિવાળી પૃથ્વીઓમાં નથી. વિષ્ણુ-પુરાણમાં પણ એનો ઉલ્લેખ આ પ્રકારે મળે છે अवसर्पिणी न तेषां, नवोत्सर्विणी द्विज ! नत्वेषाऽस्ति युगावस्था, तेषु स्थानेषु सप्तसु॥ Jain action //IA MLA 37_ka Milllllllllllllll www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy