SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ‘દ્રવ્યગુણપર્યાયનો રાસ' : એક નોંધ ૨૧૯ ભારતીય દર્શનોમાં ભેદવાદ અને અભેદવાદના વ્યવસ્થાપકો થયા છે અને એ વાદોની પરાકાષ્ઠા થયા પછી જ જૈન દર્શને વાદવિવાદમાં પ્રવેશ કર્યો છે એટલે સ્વાભાવિક છે કે તે દર્શનમાં વિરોધી વાદોના સમન્વયને સ્થાન મળે તેથી જ જૈનોના ભેદભેદવાદ છે. આમ જૈન દર્શન સમન્વયવાદી હોઈ તે અનેકાંતવાદી દર્શન તરીકે પ્રતિષ્ઠિત થયું છે. - અન્ય દર્શનોએ પદાર્થ વિશે વિચાર કર્યો છે તેમાં વેદાંતના અદ્વૈતદર્શનમાં એકમાત્ર બ્રહ્મપદાર્થનું અસ્તિત્વ માન્યું છે. બાકી બધો તેનો જ પ્રપંચ છે અને તે તેનાથી ભિન્ન નથી– આમ અભેદવાદનું પ્રાધાન્ય તેમાં છે. એ સિવાયના દાર્શનિકોએ પદાર્થની સંખ્યા એકાધિક માની છે. એ બધાનો ભેદભાવ એટલા માટે છે કે એકાધિક પદાર્થો એકબીજાથી સર્વથા ભિન્ન છે. એવી સૌની માન્યતા સ્થિર થયેલી છે. આ બન્ને વાદોનો સમન્વય કરી જૈનોએ ભેદભેદવાદની સ્થાપના કરી છે. પ્રસ્તુત ગ્રંથમાં એવી સ્થાપના છે કે જગતમાં પદાર્થ બે જ છે–દ્રવ્ય અને પર્યાય. ગુણ એ પર્યાય જ છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય–આમ ત્રણ પદાર્થ માનનારા જૈનોમાં પણ થયા છે, પરંતુ ઉપાધ્યાયજીએ એ મત સ્વીકાર્યો નથી પણ ગુણ અને પર્યાયની એકતા માની છે. આમ બે જ મૂળ પદાર્થો જૈનોને માન્ય છે એમ ઉપાધ્યાયજીની સ્થાપના છે. વૈશેષિક અને નૈયાયિકોએ પદાર્થની લાંબી યાદી આપી હતી તેમાં તેમણે પણ દ્રવ્ય અને ગુણનો સ્વીકાર કર્યો જ છે. ભેદ એ છે કે તેમણે ગુણ અને દ્રવ્યનો આત્યંત ભેદ માની તેમને જોડનાર એક અન્ય પદાર્થ સમવાય નામના સંબંધનો સ્વીકાર કર્યો છે; જયારે જૈનોએ તેમને જણાવ્યું કે સમવાય નામના સંબંધને કારણે જ બે પદાર્થો જોડાતા હોય તો એ ત્રીજા પદાર્થ સમવાયને પણ દ્રવ્ય-ગુણ સાથે જોડનાર અન્ય પદાર્થ કલ્પવા જતાં અનવસ્થા થશે માટે દ્રવ્ય અને ગુણનું તાદાભ્ય=અભેદ માનવો જોઈએ. એ બન્ને અભિન્ન છતાં લક્ષણભેદને કારણે અનુભવને આધારે તેમને ભિન્ન માની શકાય. અનુભવ એવો છે કે ગુણના ગ્રહણ માટે કોઈ એક જ ઇન્દ્રિય કામે લાગે છે, જ્યારે દ્રવ્યગ્રહણ એકાધિક ઇન્દ્રિયો વડે થઈ શકે છે. આમ બન્ને અભિન્ન છતાં તેમને ભિન્ન માનવામાં આપત્તિ નથી. ગુણને પર્યાય એટલા માટે કહેવામાં આવે છે કે ગુણ સદેવ પરિવર્તનશીલ છે. તેનું અસ્તિત્વ દ્રવ્ય સાથે સદૈવ છે જ પણ તે નવાનવા રૂપે તેમાં રહે છે, એક રૂપે નહીં. આથી તેને પર્યાય સંજ્ઞા દીધી છે. અહીં એક બીજી ચર્ચા પણ શરૂ થાય છે કે પર્યાય જે નવાનવા રૂપે આવે છે તે કાર્ય હોઈ તેને સત્કાર્ય–એટલે કે વિદ્યમાન એવું કાર્ય માનવું કે અસત્કાર્ય એટલે કે સર્વથા વિદ્યમાન ન હોય છતાં નવું જ ઉત્પન્ન થાય છે, એમ માનવું. અહીં પણ બે પક્ષો છે. નૈયાયિકો કાર્યને અસત્કાર્ય માને છે જ્યારે સાંખ્યો અને બીજા અભેદવાદીઓ સત્કાર્ય માને છે. અહીં પણ જૈનોને મતે કાર્ય સ-અસત્ બને છે. તે ગુણ રૂપે સદૈવ સત્ છે જ. વળી દ્રવ્યના અભેદને કારણે પણ સત્ છે જ. તે કાર્ય અવ્યક્ત હતું તે માત્ર હવે વ્યક્ત રૂપે પ્રકટ થયું છે તેથી તે સત્ય અને અસત્ બને છે. અવ્યક્ત રૂપે હતું જ માટે સતુ અને વ્યક્ત ન હતું માટે અસત્—આમ બે વિરોધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001940
Book TitleSruta Sarita
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2001
Total Pages310
LanguageEnglish, Prakrit, Hindi
ClassificationBook_Devnagari & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy