SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ‘દ્રવ્યગુણપર્યાયનો રાસ': એક નોંધ શ્રી શ્રેયસ્કર મંડળ, મહેસાણા દ્વારા ઉપા. યશોવિજયજીકૃત ‘દ્રવ્યગુણપર્યાયનો રાસ' તેના ટબા સાથે ઈ. ૧૯૩૮માં પ્રકાશિત થયેલ છે. તેમાં વિસ્તૃત વિષયાનુક્રમ ઉપરાંત અંતમાં તેના છૂટા બોલ' પણ છાપવામાં આવ્યા છે. આ કૃતિ જૂની ગુજરાતી ભાષામાં લખાઈ છે. સંસ્કૃતમાં લખાયેલ ‘દ્રવ્યાનુયોગતર્કણા' નામનો ગ્રંથ છે. આના કર્તા ભોજ સાગર છે. ભોજ સાગરે યશોવિજયજીના દ્રવ્યગુણપર્યાયરાસનો આધાર લઈને આની રચના કરી છે. ‘દ્રવ્યગુણપર્યાયનો રાસ' એ ગ્રંથ ઘણા ભાગે ગુજરાતીમાં તે સૈકામાં લખાયેલ એક માત્ર દાર્શનિક ગ્રંથ હોવાનો સંભવ છે. આમ ગુજરાતી ભાષામાં લખાયેલ દાર્શનિક સાહિત્યમાં આનું મહત્ત્વનું સ્થાન છે. આ ગ્રંથની જૂનામાં જૂની હસ્તપ્રત સં. ૧૭૨૯(ઈ. ૧૬૭૩)માં લખાયેલી મળે છે. એટલે એ પૂર્વે ક્યારેક તેની રચના ઉપાધ્યાય યશોવિજયજીએ કરી હશે એમ માની શકાય. ઉપાધ્યાય યશોવિજયજી કૃત ‘જંબૂસ્વામીનો રાસ' સં. ૧૭૩૯માં રચાયો છે એટલે ‘દ્રવ્યગુણપર્યાયનો રાસ' એ પૂર્વે જ રચાયો છે એમાં શંકા નથી. જૂના કાળથી ચાલી આવતી ચર્ચા જ્ઞાન ચડે કે ક્રિયા–એ ચર્ચા એમના કાળમાં પણ શમી ન હતી. એટલું જ નહીં પણ કેટલાક જ્ઞાનની સર્વથા ઉપેક્ષા જ કરતા હતા. તેમાં સ્થાનકવાસી સંપ્રદાય પણ એક હતો. એટલે ગ્રંથના પ્રારંભમાં શાસ્ત્રનાં અવતરણો આપીને ઉપાધ્યાયજીએ સિદ્ધ કર્યું છે કે જ્ઞાન વિનાની ક્રિયા નિષ્ફળ છે અને આચારમાં પણ અપવાદ કરવા પડે તો તેમ કરીને પણ જ્ઞાનની આરાધના કરવી જોઈએ એમ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન ઉપાધ્યાયજીએ કર્યો છે. આ ગ્રંથનું નિર્માણ કરવામાં ઉપાધ્યાયજીએ અનેક ગ્રંથોનાં અવતરણોનો ઉપયોગ કરેલ છે. તેથી તેમની બહુશ્રુતતા સિદ્ધ થાય છે અને તેથી જ કહી શકાય કે ભગવાન મહાવીરથી માંડીને ઈસાની સત્તરમી સદી સુધીમાં દ્રવ્ય-ગુણ-પર્યાય વિશે ભારતીય દર્શનોમાં જે વિચારણા થઈ હશે તેનું પરીક્ષણ આમાં છે. અને છેવટે તે બાબતમાં જૈન દર્શનની માન્યતાની સ્થાપના ઉપાધ્યાયજી જેવા બહુશ્રુત વિદ્વાન કરે એ પણ અપેક્ષિત છે જ. ગ્રંથનું પારાયણ કરતાં એ બાબત સ્પષ્ટ થાય છે કે આમાં ઉપાધ્યાયજીએ એ અપેક્ષાને ન્યાય આપ્યો જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001940
Book TitleSruta Sarita
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2001
Total Pages310
LanguageEnglish, Prakrit, Hindi
ClassificationBook_Devnagari & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy