SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૭ અમર યશોવિજયજી એકલે હાથે વાચક યશોવિજયજીએ જૈન શાસ્ત્રમાં કર્યો છે. તેમના આ મહાન કાર્યનો જયારે વિચાર કરીએ છીએ ત્યારે તેમની પ્રતિભાને નમન કર્યા વિના છૂટકો નથી થતો. તેમણે અનેક વિષયોના ગ્રંથો લખ્યા છે પણ તે ન જ લખ્યા હોત તો પણ તેમણે જે જૈન દર્શનને નવ્ય ન્યાયની શૈલીમાં મૂકીને અપૂર્વ કાર્ય કર્યું છે તેને લઈને તેઓ અમર થઈ ગયા છે. અઢારમી સદીમાં ઉપાધ્યાયજી મ. શ્રી યશોવિજયજીએ જે કાર્ય કર્યું તે પાછું ત્યાં જ અટકી ગયું. ત્યાર પછી ભારતીય દર્શનોમાં પણ કશો વિશેષ વિકાસ થયો નથી જે હાલમાં વીસમી સદીના પૂર્વાર્ધમાં થયો છે. ડૉ. રાધાકૃષ્ણ જેવાએ પશ્ચિમનાં દર્શનોનો અભ્યાસ કરીને પૂર્વ અને પશ્ચિમનો સમન્વય કરતું નૂતન વેદાંત દર્શન આપ્યું છે અને એ રીતે ભારતીય દર્શનોમાંના વેદાંત પક્ષને અદ્યતન બનાવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ આધુનિક દર્શન શાસ્ત્રમાંથી ગ્રાહ્ય કે ત્યાજ્યનો વિચાર કરનાર હજુ કોઈ જૈન દાર્શનિક પાક્યો નથી. એ જ્યાં સુધી નહિ પાકે ત્યાં સુધી વાચક યશોવિજયજી જૈન દર્શન વિશે અંતિમ પ્રમાણ રહેશે, પરંતુ વાચક યશોવિજયજીના આત્માને એથી સંતોષ ભાગ્યે જ થાય. તેમણે અષ્ટસહસ્રી જેવા ગ્રંથને દશમી સદીમાં બહાર કાઢીને અઢારમી શતાબ્દીનો બનાવી દીધો તે તેમના એ અષ્ટસહસ્ત્રીના વિવરણને જ્યાં સુધી કોઈ વીસમી સદીમાં લાવીને ન મૂકે ત્યાં સુધી એમનો આત્મા અસંતુષ્ટ જ શા માટે ન રહે ? જૈન સમાજ તેમના સારસ્વત સત્ર નિમિત્તે એ સુકાઈ ગયેલા વિદ્યાગ્નોતને ફરી સજીવન કરશે તો તેની ભક્તિ સાચી અને મૂલ્યવાન ગણાશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001940
Book TitleSruta Sarita
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2001
Total Pages310
LanguageEnglish, Prakrit, Hindi
ClassificationBook_Devnagari & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy