SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ જૈન દર્શન અને જીવનસાધના નું જે મહત્ત્વ છે તે સૌના ધ્યાનમાં આવતું નથી. વળી અન્ય ધર્મો કરતાં જૈન ધર્મનું કડક આચરણ પણ આવી માન્યતા માટે જવાબદાર છે એ ભૂલવું ન જોઈએ. પરંતુ એ કડક આચરણ અથવા તો કષ્ટ સહેવાની તૈયારી અને આવશ્યકતા જે મનાઈ છે તે પાછળ પણ ધ્યાન માટેની અનુકૂળ ભૂમિકા જ રહેલી છે તે તરફ તો ધ્યાન અપાયું નથી. આથી જ આવો ભ્રમ ફ્લાવા પામ્યો છે કે જૈનો તો માત્ર દેહદમનમાં માને છે. ભગવાન મહાવીરની સાધનાના વર્ણનમાં તેમનાં કષ્ટોની વાત છે જ પરંતુ તેઓ સતત ધ્યાનમાં રહેતા. આ બાબત પણ વિશેષરૂપે જણાવી છે. પરંતુ જૈન પરંપરામાં પણ આ એક દોષ દાખલ થઈ જ ગયો કે ધ્યાન સિદ્ધ કરવા દેહકષ્ટો હતાં તેને બદલે દેહકષ્ટોથી જ જાણે સર્વ સિદ્ધિ હોય એવો બાહ્યાચાર ગોઠવાયો. આમ જૈનોનો બાહ્ય આચાર જ આવો ભ્રમ ઊભો કરવા માટે જવાબદાર છે. વસ્તુસ્થિતિ એથી ઊલટી જ છે. જૈનોની પ્રત્યેક આચારક્રિયામાં કાયોત્સર્ગની જે વાત આવે છે તેનું તો મહત્ત્વ ભુલાઈ ગયા જેવું છે અને બાહ્ય આચરણનું મહત્ત્વ વધી ગયું છે. ભગવાને સ્પષ્ટપણે પ્રમાદને કર્મ કહ્યું છે. તે માનસિક અથવા આંતરિક જ છે, આ રીતે જોઈએ તો બાહ્ય ક્રિયાથી બંધ નહિ પણ પ્રમાદથી જ બંધ થાય છે તે તરફ ધ્યાન અપાતું નથી એટલે જૈનોને કાયદંડ મહત્ત્વનો છે અને મનોદંડ નહિ એવી ખોટી માન્યતા પ્રચલિત થઈ છે. પરંતુ હિંસા આદિની વ્યાખ્યામાં વધુ કે હત્યાને જીવન મરણને જેટલું મહત્ત્વ નથી અપાયું તેટલું આત્માના પ્રમાદને મહત્ત્વ અપાયું છે તે મૌલિક પરંપરા છે અને તેની ઉપેક્ષા થવાથી જ બાહ્યાચાર જોઈને આક્ષેપ કરવામાં આવ્યો છે અને જો આજના જૈનોનું જીવન જોઈને જ કોઈ નિર્ણય કરવાનો હોય તો તે આક્ષેપ સાચો જ ઠરે. એટલી હદ સુધી જૈનોનું પતન થયું છે એમ માનવું જોઈએ. પરંતુ મૂળ માન્યતામાં તો અને સમગ્ર ભાવે કર્મ-વિચારણામાં પણ કર્મબંધનું ખરું કારણ કાયિક પ્રવૃત્તિ નહીં પણ કષાયો જ છે–એ વાત આજસુધી પણ માન્ય છે. તેમાં કશો ભેદ કોઈ પણ આચાર્યે પાડ્યો નથી. આથી કહી શકાય કે જૈનોને મતે પણ માનસિક ક્રિયા જ કર્મબંધનું કારણ છે એ સ્વીકૃત હકીકત છે. આથી જૈન ધર્મ ઉપર કાયદંડના મહત્ત્વનો જે આક્ષેપ છે તે ઉચિત નથી. જીવનસાધનામાં તપનું મહત્ત્વ છે. ભ. મહાવીરપૂર્વે તપ એટલે શરીરકષ્ટો સહેવાં એ માત્ર અર્થ હતો. પણ ભગવાન મહાવીરે તપનો અર્થ વિસ્તૃત કર્યો છે. બાહ્ય અને આત્તર એવા તપના બે વિભાગ કર્યા છે અને બાહ્યને તો માત્ર આન્તરતપનું સાધન માન્યું છે, અને આન્તરતામાં ધ્યાન અને સમાધિનું વિશેષ મહત્ત્વ સ્વીકાર્યું છે. આવી સ્થિતિમાં અનશન વગેરે કરવા જરૂરી ખરા પણ તે જ સમાધિ કે ધ્યાનમાં બાધક ન બનતા હોય તો આ વસ્તુ આપણે સમજી લેવી જોઈએ. પરંતુ આજે તો આંતરતપનું કોઈ મહત્ત્વ રહ્યું નથી, માત્ર બાહ્ય તપસ્યાનું મહત્ત્વ વધી ગયું છે. આ જોઈ કોઈ આક્ષેપ કરે તો તેમાં તેનો દોષ નથી પણ જૈનોના આચરણનો દોષ છે. આ વસ્તુમાં વિવેકની જરૂર છે અને બાહ્ય આચરણની જે મર્યાદા છે તે સમજી લેવી જરૂરી છે. તે ન સમજવાથી તપસ્યા કર્યા છતાં મોહ-મમતા રાગ-દ્વેષ ઓછા થતા નથી અને છતાં ધર્મ કર્યાનો સંતોષ લેવાય છે તે અવિવેકની પરાકાષ્ઠા છે. બૌદ્ધોમાં જેને વિપશ્યના કહેવામાં આવી છે તેની સિદ્ધિ જૈનોમાં અનુપ્રેક્ષાથી થાય છે. પણ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001940
Book TitleSruta Sarita
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2001
Total Pages310
LanguageEnglish, Prakrit, Hindi
ClassificationBook_Devnagari & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy