SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શન અને જીવનસાધના આમ ઉપનિષદમાં માત્ર એક જ તત્ત્વ બ્રહ્મ કે આત્મા મનાયું હતું અથવા તો નાસ્તિકોમાં માત્ર અજીવ તત્ત્વ જ મનાયું હતું, તેને સ્થાને જૈન દર્શનમાં જીવ અને અજીવ એમ બે તત્ત્વોની માન્યતા રૂઢ થઈ. ક્રમે કરી અજીવ એટલે પરમાણુ-પુદ્ગલ એવો જડ પદાર્થ સ્વીકૃત થયો. આ જડ પદાર્થમાં રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શ આ ગુણો છે, જ્યારે આત્મા અથવા જીવમાં આમાંનું કાંઈ જ નથી. તે અરૂપી, અગંધ, અરસ અને અસ્પર્શ મનાયો. પરમાણુ-પુદ્ગલ મૂર્ત મનાયા એટલે કે તેમનું જ્ઞાન ઇન્દ્રિયો કરી શકે તેવો તે પદાર્થ છે, જ્યારે આત્મા કે જીવ અતીન્દ્રિય મનાયો. તેનું જ્ઞાન ઇન્દ્રિયથી ન થઈ શકે તેવો તે અમૂર્ત પદાર્થ છે, આમ જીવ અને અજીવનું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવ્યું. ૨૦૯ આપણી આસપાસ દેખાતું જગત છે તેની તો ના કહી શકાય નહીં. પણ તેની ઉત્પત્તિ અને સ્વરૂપ વિશેના અનેક પ્રશ્નો પ્રાચીન કાળથી થતા આવ્યા છે. તેની ઉત્પત્તિ કોઈ એક પદાર્થથી થઈ છે કે અનેક પદાર્થથી, તેની ઉત્પત્તિ કોણે કરી છે, ક્યારે કરી છે, આવા અનેક પ્રશ્નો દાર્શનિક જગતમાં ચર્ચાતા હતા. જૈન આગમપૂર્વેની માન્યતા એવી હતી કે જગતમાત્ર પાંચ ભૂત ધરાવે છે—પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. એ પાંચમાંથી જ કોઈ એક આત્માની ઉત્પત્તિ છે અને તેમના વિનાશ સાથે આત્માનો પણ વિનાશ થાય છે. વળી એવી પણ એક માન્યતા હતી કે એક જ નાના રૂપે દેખાય છે. અને તે વિશ અથવા તો આત્મા છે. વળી કોઈની એવી માન્યતા હતી કે સંસારમાં પાંચ મહાભૂતો છે અને તે ઉપરાંત છઠ્ઠો આત્મા છે. તેમને મતે આત્મા અને લોક શાશ્વત છે અને બધું જ નિયત છે. સંસારને ક્ષણિક માનનારની વળી એવી માન્યતા હતી કે આ લોકમાં માત્ર પાંચ સ્કંધો છે. વળી એવી પણ માન્યતા હતી કે આ લોકની ઉત્પત્તિ ઈશ્વરે કરી છે, અથવા તો સ્વયંભૂએ કરી છે કે બ્રહ્મ અથવા તો અંડથી આ લોક ઉત્પન્ન થયો છે. આ બધી જ માન્યતાઓથી જુદા પડીને જૈન દર્શને આગમકાળમાં સ્વીકાર્યું કે લોક તો અનાદિ છે. તેનું નિર્માણ કોઈએ કર્યું નથી. પરંતુ ધર્મ, અધર્મ, આકાશ, જીવ અને પુદ્ગલ— આ પાંચ મળીને જ લોક છે. તેની ઉત્પત્તિ કોઈએ કદી કરી નથી. તે અનાદિકાળથી જ છે અને અનંતકાળ સુધી રહેવાનો છે. આ લોકના અધો, મધ્ય અને ઊર્ધ્વ એવા ત્રણ ભાગ છે. મધ્યલોકમાં મનુષ્ય અને તિર્યંચ જીવો છે અને ઊર્ધ્વલોકમાં દેવો અને અધોલોકમાં નારકો છે. લોકાગ્રે—એટલે કે ઊર્ધ્વલોકના છેડે સિદ્ધ કે મુક્ત જીવોનો નિવાસ છે. જીવ પોતાના કર્મ અનુસાર ત્રણે લોકમાં નાના જન્મ ધારણ કરે છે અને એ જ્યારે કર્મવિહીન થઈ મુક્ત થાય છે ત્યારે સદૈવ માટે લોકના અગ્ર ભાગમાં સ્થિત થાય છે. ત્યાંથી તેને કદી પાછા વળવાનું નથી. આમ જીવ અને તેના કર્મને કેન્દ્રમાં રાખીને લોકની વ્યવસ્થા છે એ સ્પષ્ટ થાય છે. આથી જીવ અને કર્મ—એ બે તત્ત્વો જ મુખ્ય છે. બાકીના તેને આધારે, તેના સ્પષ્ટીકરણ માટે જરૂરી એવાં તત્ત્વો સ્વીકૃત થયેલાં છે. તે આ પ્રમાણે :— જીવ કે આત્માને જૈન દર્શનમાં પ્રારંભથી જ ગતિશીલ માનેલ છે એટલું જ નહિ પણ શરીરપરિમાણી પણ માનેલ છે. એક તરફ જીવને શ૨ી૨પરિમાણી માન્યો અને બીજી તરફથી તેની મુક્તિનું સ્થાન ઊર્ધ્વલોકમાં અને તેના પુનર્જન્મનું સ્થાન લોકમાં અનેક જગ્યાએ માન્યું—વળી આકાશ તો અનંત અને તેના અમુક જ ભાગમાં લોક—આવી માન્યતા બંધાઈ. પરિણામે ધર્મનું For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001940
Book TitleSruta Sarita
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2001
Total Pages310
LanguageEnglish, Prakrit, Hindi
ClassificationBook_Devnagari & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy