SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શન અને જીવનસાધના (પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આપેલ વ્યાખ્યાન) જૈન દર્શનનો ઇતિહાસ જોઈએ તો તેનાં મૂળ જૈન આગમોમાં છે અને જૈન આગમોમાં જે સાહિત્યનો સમાવેશ છે તે એક કાળનું નથી. આથી જૈન દર્શનના ઇતિહાસની કથા અટપટી છે. તેમાં જવાનું આ સ્થાન નથી, પણ આગમ સ્થિર થયા અને વ્યવસ્થિત થયા તે કાળ સુધીમાં જૈન દર્શને જે રૂપ લીધું તેની વાત કરીએ. આ કાળ ભગવાન મહાવીરથી માંડી લગભગ એક હજાર વર્ષ સુધીનો ગણી શકાય. એટલે આ એક હજાર વર્ષમાં આગમમાં જૈન દર્શને જે રૂપ લીધું અને તેની વ્યવસ્થા થઈ તે વિશે અહીં ચર્ચા કરવી છે. સર્વપ્રથમ એ તો નક્કી થયું જ હતું કે જૈન દર્શન એ ક્રિયાવાદી દર્શન છે, આત્મવાદી દર્શન છે અને કર્મવાદી દર્શન છે. આ ત્રણે શબ્દો ભલે જુદા રહ્યા પણ તેનો ભાવાર્થ એક જ છે કે તે આસ્તિકદર્શન છે. પ્રાચીન કાળમાં નાસ્તિકદર્શન માટે અક્રિયાવાદી એવો શબ્દ હતો. તેનું તાત્પર્ય એ હતું કે સત્કર્મ કે દુષ્કર્મ જેવું કાંઈ નથી, આ લોક સિવાય પરલોક નથી, અને જે કાંઈ છે તે આ લોકમાં જ છે. આવું દર્શન કદાચ આત્મા માને તો પણ કર્મ અને તેના ફળનો સ્વીકાર કરતું ન હોઈ તે નાસ્તિક જ ઠરે. આમ આત્મવાદ સાથે કર્મવાદ અને ક્રિયાવાદ સંકલિત હોય તે જ સાચો આત્મવાદ કહેવાય અને આસ્તિકવાદ કહેવાય એવું તે કાળે મંતવ્ય હતું. ક્રિયા એ પણ પ્રાચીન કાળમાં કર્મ માટે જ વપરાતો શબ્દ હતો. તે ઘસાતો-ભૂંસાતો થયો ત્યારે કર્મવાદ તેના વિકસિત રૂપમાં આવ્યો. જૈન દર્શને આગમિક કાળમાં એ મંતવ્ય તો સ્થિર કર્યું જ હતું કે આત્મા છે અને તેને કર્મનું બંધન છે. એ બંધન અનાદિ છતાં તેમાંથી છુટકારો સંભવે છે. અને છુટકારો એટલે મોક્ષ, સિદ્ધિ કે નિર્વાણ. આ નિર્વાણનો માર્ગ એ જ ધર્મ અને એ ધર્મની પ્રરૂપણા અરિહંતો કરે છે. આગમકાળમાં સમ્યક્દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય, આ ત્રણને મોક્ષનાં સાધન કહ્યાં છે અને સંક્ષેપમાં જ્ઞાન અને ક્રિયા અથવા ચારિત્ર એમ છે. જ્ઞાન સમ્યક્ તો જ હોય જો દર્શન અથવા તો સમ્યક્ત્વ શ્રદ્ધા—સાચી શ્રદ્ધા જીવે પ્રાપ્ત કરી હોય. આથી દર્શનને અહીં જુદું ગણ્યું નથી. સંસારી જીવ અનાદિકાળથી કર્મથી બંધાયેલો છે અને એક વાર જો બંધન છૂટે તો પુનઃ બંધનમાં પડવાને તેને કોઈ કારણ રહેતું નથી. કર્મનું બંધન એ જીવનો અજીવ સાથેનો સંબંધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001940
Book TitleSruta Sarita
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2001
Total Pages310
LanguageEnglish, Prakrit, Hindi
ClassificationBook_Devnagari & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy