SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ 204 व्यवहारमनाश्रित्य परमार्थो न देश्यते । परमार्थमनागम्य निर्वाणं नाधिगम्यते । म. २४-१० જગતમાં કશું જ વાસ્તવિક નથી એ સિદ્ધ કરવામાં અન્ય દાર્શનિકોનાં મંતવ્યો જેવાં કે કાલ, આકાશ, ગતિ, હેતુ-પ્રત્યય, આત્મા ઇત્યાદિની જેમ સ્વયં બૌદ્ધોની સ્થિર માન્યતાઓ જેવી કે ચાર આર્યસત્ય, સંસા૨, નિર્વાણ અને બુદ્ધ પણ~~~ प्रपञ्चन्ति ये बुद्धं प्रपञ्चातीतभव्ययम् । ते प्रपञ्चहताः सर्वे न पश्यन्ति तथागतम् ॥ ૨૨.૧૫ તથાપતો નિ:સ્વમાવો નિ:સ્વભાવમિમં નાત્ || મ ૨૨.૧૬ આવું બધું જ પારમાર્થિક સત્ય નથી, પણ વ્યાવહારિક સત્ય છે એમ બતાવી આપ્યું છે. સંસારમાં કશું જ પરમાર્થતત્ત્વ નથી. આ જગતને કેવલ વ્યાવહારિક સત્તા છે. વસ્તુઓ ક્ષણિક પણ નથી, નિત્ય પણ નથી, તે ઉત્પન્ન થતી નથી, નષ્ટ થતી નથી, તે તે બધી અભિન્ન છે એમ પણ નહિ, ભિન્ન છે એમ પણ નહિ, માત્ર આપણને તે ઉત્પન્ન અને નષ્ટ થતી દેખાય છે. આપણા મનથી તેના ગુણધર્મો અને સંબંધો કલ્પીને એક કાલ્પનિક જગત આપણી સમક્ષ આપણે ખડું કરીએ છીએ. સંસારના પદાર્થો સાપેક્ષ છે, એકબીજાને આધારે રહેલા છે અને તેથી જ તે પ્રતીત્યસમુત્પન્ન છે, પારમાર્થિક નથી, નિઃસ્વભાવ છે, શૂન્ય છે. સ્વભાવશૂન્ય કે નિઃસ્વભાવનું સ્પષ્ટીકરણ ચન્દ્રકીર્તિએ કર્યું છે. તેમાં સ્પષ્ટપણે તેણે સમીકરણ કર્યું છે કે પ્રતીત્યસમુત્પન્ન શૂન્ય સાપેક્ષવ્યવહાર મધ્યમાર્ગ. પ્રતીત્યસમુત્પન્નની સ્પષ્ટતા એ છે કે વસ્તુની ઉત્પત્તિ સ્વાભાવિક નથી અથવા સ્વભાવથી વસ્તુનો ઉત્પાદ નથી અને જે સ્વભાવસિદ્ધ નથી તેની સત્તા પણ નથી, તેનું અસ્તિત્વ પણ નથી, તેનો ઉત્પાદ પણ નથી. અને જેનો ઉત્પાદ નથી તેનો નાશ કેમ હોય ? તેનું નાસ્તિત્વ પણ કેમ હોય ? માટે તેને શૂન્ય કહેવું કે સાપેક્ષ કહેવું એ જ ઉચિત ગણાય. આમ વસ્તુના બે અંત ઉત્પત્તિ અને વિનાશ એ નહિ પણ વસ્તુ મધ્યમાર્ગી છે. તે નથી ઉત્પન્ન કે નથી વિનષ્ટ પણ શૂન્ય છે, પ્રતીત્યસમુત્પન્ન છે, મધ્યમમાર્ગી છે. ŚRUTA-SARITĀ = = Jain Education International = આ રીતે શૂન્યવાદીઓએ વસ્તુવિચારના બે છેડામાં જે વિરોધ છે તેનું જ સ્પષ્ટીકરણ કર્યું છે—એ બે છેડા આ છે—એક એવું વિધાન છે કે જે કાંઈ સત્ છે તેનો સ્વભાવ હોવો જોઈએ અને બીજું વિધાન છે કે બધી જ વસ્તુઓની ઉત્પત્તિ અન્યથી થાય છે. આ બંને વિધાનોમાંના પ્રથમથી એ ફલિત થાય છે કે જે કાંઈ સત્ છે તે સ્વાભાવિક હોઈ તેની ઉત્પત્તિ સંભવે જ નહિ, કારણ સ્વભાવનું નિર્માણ થઈ શકતું નથી. માટે તે ઉત્પન્ન થતાં નથી. અને નષ્ટ પણ થતાં નથી. માટે કહેવું જોઈએ કે સ્વભાવ એ નિરપેક્ષ છે અને પરિણામ કે પરિવર્તનથી શૂન્ય છે. બીજા વિધાનનો ફલિતાર્થ એ છે કે જગતની બધી જ વસ્તુઓ અન્યથી ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે. અર્થાત્ બધી જ વસ્તુઓ સાપેક્ષ છે, પરિવર્તનશીલ છે. આમ બંને પરસ્પરવિરોધી વિધાનોનો વચલો માર્ગ માધ્યમિકો સ્વીકારે છે કે બધું જ શૂન્ય છે, કશામાં કોઈ સ્વભાવ નથી. વિગ્રહવ્યાવર્તિનીમાં નાગાર્જુન પોતાના મંતવ્યનો સાર આપી દે છે કે— शून्यतेति साधुक्ता । यश्च प्रतीत्य भावो भवति हि यश्च प्रतीत्य भावो भावानां For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001940
Book TitleSruta Sarita
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2001
Total Pages310
LanguageEnglish, Prakrit, Hindi
ClassificationBook_Devnagari & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy