SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ 202 એકબીજાનો એકબીજાથી સંભવ–ઉત્પત્તિ=અસ્તિત્વ એ સંવૃતિ છે. (૩) સંવૃત્તિ: સંતો તોવ્યવહાર । સ ચ અભિધાનાભિધેયજ્ઞાનજ્ઞેયાવિલક્ષળ:// સંકેત વડે ચાલતો લોકવ્યવહાર એ સંવૃતિ છે. એટલે કે આ શબ્દનો આ અર્થ, આ જ્ઞાન અને એનો આ વિષય——એ પ્રકારનો જે કાંઈ લોકમાં શાબ્દિક વ્યવહાર છે તે સંવૃતિ છે. આ ત્રણે પ્રકારનો લોકમાં વ્યવહાર છે તે લોકસંવૃતિ કહેવાય છે. આ લોકવ્યવહાર પારમાર્થિક સત્ય નથી. અને વચનવ્યવહારથી જે પર છે અને સામાન્ય રીતે જ્ઞાન-જ્ઞેયનો જે ભેદ કરીને વ્યવહાર ચાલે છે તેથી પણ પર પારમાર્થિક સત્ય છે—“ત: તંત્ર પરમાર્થે વામાં પ્રવૃત્તિ: कुतो वा ज्ञानस्य ? स हि परमार्थो अपरप्रत्ययः शान्तः प्रत्यात्मवेद्यः आर्याणां सर्वप्रपञ्चातीतः । નોપશ્યિતે ન વાપિ જ્ઞાયતે''-મ. ટી. ૨૪.૮ જે આપણી નજરે ચડે છે તે પારમાર્થિક સત્ય નથી પણ વ્યવહારનું સત્ય છે. પારમાર્થિક સત્ય તો શૂન્ય છે ŚRUTA-SARITĀ सर्वं च युज्यते तस्य शून्यता यस्य युज्यते । सर्वं न युज्यते तस्य शून्यं यस्य न युज्यते । મ ૨૪.૧૪ શૂન્યતાને સિદ્ધ કરવા નાગાર્જુને વિગ્રહવ્યાવર્તિની ગ્રંથ લખી પ્રમાણનાં લક્ષણોનું પરીક્ષણ કર્યું. દાર્શનિક જગતમાં પ્રમેયની સિદ્ધિ પ્રમાણને આધારે થતી હોઈ નાગાર્જુને પ્રથમ તો એ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો કે દાર્શનિકો જેને પ્રત્યક્ષાદિ પ્રમાણ માને છે તે ખરેખર પ્રમાણ નથી. કારણ પ્રમાણ પોતે જ સિદ્ધ નથી. અને એવા અસિદ્ધ પ્રમાણથી પ્રમેયની સિદ્ધિ કેવી રીતે થઈ શકે विग्रहव्यावर्तिनी ૩૧-૫૨. નાગાર્જુનની આ બાબતનું અનુસરણ તત્ત્વોપપ્લવના કર્તા ભટ્ટ જયરાશિએ કર્યું છે. Jain Education International આ પ્રમાણે નાગાર્જુને તર્ક કે ન્યાયની પ્રણાલી ઉપર જ સર્વપ્રથમ પ્રહાર કરી તે કેવી પાંગળી છે તે બતાવી આપ્યું અને દાર્શનિકોને સાવધાન કરી દીધા. અને આપણા વ્યવહા૨નાં જે જ્ઞાનો છે તે તત્ત્વગ્રહણમાં કારગર નથી. પણ તે સૌથી પર એવી પ્રજ્ઞા જ પરમાર્થનું ગ્રહણ કરવા સમર્થ છે એમ બતાવી આપ્યું. આપણને શબ્દોથી થતું અને ઇન્દ્રિયો તથા મનથી થતું જ્ઞાન વસ્તુના મર્મને પહોંચી શકતું નથી પણ અવાચ્ય એવા તત્ત્વને આપણી નિર્મળ પ્રજ્ઞા જ પામી શકે છે. આ બાબત નાગાર્જુને વારે વારે કહી છે. નાગાર્જુન પૂર્વે તાર્કિક રીતે આપણી મતિ અને ઇન્દ્રિયશક્તિ તથા શબ્દશક્તિ વસ્તુતત્ત્વનું જ્ઞાન કરાવવામાં કેવી પાંગળી છે, તેનું તર્કપુરઃસર નિરૂપણ થયું ન હતું એટલે નાગાર્જુને તે કરીને એક નવે માર્ગે દાર્શનિકોને દોરી જવા પ્રયત્ન કર્યો. કાંઈ જ જાણી નથી શકાતું એમ પણ નહિ અને બધું જ આપણે સામાન્ય જ્ઞાન વડે યથાર્થ જાણી શકીએ છીએ એમ પણ નહિ, પરંતુ નિર્મળ પ્રજ્ઞા હોય તો તત્ત્વના સ્વરૂપ સુધી પહોંચી શકાય છે એવો મધ્યમ માર્ગ નાગાર્જુને બતાવ્યો. આવું કરવા જતાં નાગાર્જુન વિશે તેના વિરોધીઓમાં એક ભ્રમજાળ ઊભી એ થઈ કે નાગાર્જુન તો સર્વશૂન્યવાદી છે અને બીજી તરફ એના અનુયાયીઓ એમ માનતા થઈ ગયા કે નાગાર્જુને બધાં જ દર્શનોનું ખંડન કરી નાખ્યું છે— બધાં જ તત્ત્વજ્ઞાનનો વિલોપ કરી નાંખ્યો છે. પણ ખરી વાત એમ ન હતી. એનો તો એટલો જ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001940
Book TitleSruta Sarita
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2001
Total Pages310
LanguageEnglish, Prakrit, Hindi
ClassificationBook_Devnagari & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy