SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ શૂન્યવાદ यः प्रतीत्यसमुत्पादः शून्यतां तां प्रचक्ष्महे । सा प्रज्ञप्तिरुपादाय प्रतिपत्सैव मध्यमा ॥ મ ૨૪-૧૮ આમ શૂન્યવાદનો પુરસ્કર્તા નાગાર્જુન મનાયો. નાગાર્જુનના આ નિરૂપણ કરનાર બે પુસ્તકો છે—વિગ્રહવ્યાવર્તની અને મધ્યમકશાસ્ત્ર. આમ પુદ્ગલનૈરાત્મ્યમાંથી ધર્મનૈરાત્મ્ય સુધી નાગાર્જુને બૌદ્ધદર્શનની પ્રગતિ કરાવી. એટલે આભાસ એવો ઊભો થયો કે નાગાર્જુન તો ધર્મ પણ માનતા નથી અને એ જ માન્યતાને આધારે તેનું નિરાકરણ કરવામાં આવ્યું. એટલે બૌદ્ધધર્મમાં વિજ્ઞાનવાદે શૂન્યવાદમાંથી આગળ પ્રસ્થાન કર્યું. તેનું મંતવ્ય એવું હતું કે બાહ્ય ધર્મનું અસ્તિત્વ કે તેનો સ્વભાવ ભલે ન હોય કારણ તેના અસ્તિત્વનો આધાર આપણા પોતાનું જ્ઞાન છે. અને જ્ઞાન તો સ્વાનુભવસિદ્ધ છે. માટે બાહ્ય ધર્મો ભલે ન મનાય પણ આંતરધર્મ-વિજ્ઞાન-ચિત્ત એનો તો ઇન્કાર થઈ શકે તેમ નથી. માટે વિજ્ઞાન સત્ છે, બીજું મિથ્યા છે એવી માન્યતાનો પ્રચાર વિજ્ઞાનવાદે કર્યો. શૂન્યતાવાદની જેમ વિજ્ઞાનવાદનાં મૂળ પણ લંકાવતારમાં મળી આવે છે. પણ તે તે વાદના નિરૂપણના સ્વતંત્ર ગ્રંથો પછીથી લખાયા તેમાં શૂન્યવાદ અને પછી વિજ્ઞાનવાદ એવો ક્રમ છે. આમ બૌદ્ધધર્મની અનેકવિધ જે દાર્શનિક પ્રગતિ થઈ તેનાં આ સોપાનો છે. હવે આપણે નાગાર્જુનના શૂન્યવાદ વિશે થોડી વધુ ચર્ચા કરીએ. અન્ય દાર્શનિકોના વિવિધ તર્કોનું નિરાકરણ કરવામાં નાગાર્જુને સ્પષ્ટ કર્યું છે કે મારી કોઈ પ્રતિજ્ઞા નથી જેને સિદ્ધ કરવાની મારી જવાબદારી હોય. મારું કાર્ય તો અન્ય દાર્શનિકો જે તર્કને આધારે પ્રમાણ અને પ્રમેયની ચર્ચા કરે છે તે કેટલો લૂલો છે તે દર્શાવવાનું છે— यदि काचन मम प्रतिज्ञा स्यान्मे तत एव भवेद् दोषः । નાસ્તિ ૨ મમ પ્રતિજ્ઞા તસ્માત્રવાસ્તિ મે વોષ: ॥ વિગ્રહ ૨૯. પણ આનો અર્થ એ પણ નથી કે તેને દાર્શનિક રીતે કશું જ માન્ય નથી. આનું સ્પષ્ટીકરણ કરવા નાગાર્જુને બે પ્રકારના સત્યની વાત કરી છે. એક સંવૃતિ સત્ય અને બીજું પારમાર્થિક સત્ય સંવૃતિ છે. ૨૦૧ द्वे सत्ये समुपाश्रित्य बुद्धानां धर्मदेशना । लोकसंवृति सत्य च सत्यं च परमार्थतः ॥ મ ૨૪.૮ સંવૃત્તિસત્ય એટલે જેને વેદાન્તીઓ વ્યવહારનું સત્ય કહે છે તે છે અને પારમાર્થિક એટલે વસ્તુની શૂન્યતા, સ્વભાવશૂન્યતા, પ્રતીત્યસમુત્પન્નતા. Jain Education International ચન્દ્રકીર્તિએ સંવૃત્તિસત્યની વ્યાખ્યા કરી છે કે મ. ટી. ૨૪.૮ - (१) समन्तात् वरणं संवृतिः । अज्ञानं हि समन्तात् सर्वपदार्थतत्त्वावच्छादनात् संवृतिरुच्यते । અજ્ઞાન એ સમગ્ર પદાર્થના તાત્ત્વિક સ્વરૂપનું સર્વપ્રકારે આવરણ કરે છે તેથી તે (२) परस्परसंभवनं वा संवृतिः अन्योन्यसमाश्रयणेत्यर्थः । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001940
Book TitleSruta Sarita
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2001
Total Pages310
LanguageEnglish, Prakrit, Hindi
ClassificationBook_Devnagari & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy