SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ 200 ŚRUTA-SARITĀ અનેક પ્રકારે થવા લાગી અને બૌદ્ધધર્મમાં અનેક સંપ્રદાયો ઊભા થયા. તેમાંનો એક સંપ્રદાય તે શુન્યવાદને નામે ઓળખાય છે. આ શૂન્યવાદ શબ્દ એવો ભ્રામક છે કે તે શબ્દ જ એ સંપ્રદાય વિશે વિરોધીને તેના વિશે ભ્રમ ફેલાવવાની પૂરી તક આપી છે. આમ તો સ્વયં બુદ્ધે પણ શૂન્ય શબ્દનો પ્રયોગ કરીને પોતાના મંતવ્યને રજૂ કર્યું હતું “વે તે સુન્તા તથા તમfસતા રશ્મીરા ભીરત્થા તત્તરો સુગ્ગત પરિસંયુત્તા” ઇત્યાદિ. અર્થાત્ તથાગતનો ઉપદેશ ગંભીર છે, લોકોત્તર છે અને શૂન્યતાથી યુક્ત છે ઇત્યાદિ. (સંયુત્તનિકાય-ભાગ ૪ મહાવગ્ન, સં. પ૫ સુર પ૩, પૃ. ૩૪૮). એટલે શૂન્યની ચર્ચા નવી નથી. પરંતુ નાગાર્જુને તેને દર્શનનું રૂપ આપ્યું ત્યારે તે શબ્દના અર્થનો ઘણો વિકાસ થયો. અને દાર્શનિક ક્ષેત્રે તેણે મોટો ભ્રમ એ ઊભો કર્યો કે શૂન્યવાદી એ કશામાં માનતા નથી. પરંતુ વાસ્તવિકતા એવી નથી. બધા જ બૌદ્ધ સંપ્રદાયોમાં બીજા ગમે તે મતભેદો હોય પણ પ્રતીત્યસમુત્પાદ વાદનો સિદ્ધાંત સર્વસ્વીકૃત છે અને નાગાર્જુને તો પ્રતીત્યસમુત્પાદ અને શૂન્યતા એનાર્થક છે એમ સ્પષ્ટ કહ્યું છે. એટલે સર્વશૂન્યનો અર્થ એ તો તો નથી જ કે નાગાર્જુનને મતે જગતમાં કશું જ તત્ત્વ નથી. પરંતુ એ છે કે જે કાંઈ છે તે પ્રતીત્યસમુત્પન્ન છે. બૌદ્ધ સંપ્રદાયનો વિકાસક્રમ જોઈએ તો તે આ પ્રમાણે છે.–ભગવાન બુદ્ધે બધી જ વસ્તુઓ ક્ષણિક છે એમ કહ્યું ત્યારે તેમની દલીલો હતી કે બધી જ વસ્તુઓ તેના આત્માથી શૂન્ય છે. અહીં આત્માથી શૂન્યનું તાત્પર્ય એ હતું કે કોઈપણ વસ્તુમાં કશું જ સ્થાયી કહી શકાય એવું તત્ત્વ નથી. એટલે કે દ્રવ્ય કે ધર્મી નથી પણ તેનાં પરિણામો કે ધર્મો છે. આમ ધર્મ-ધર્મીમાંથી ધર્મીનો વિચ્છેદ બુદ્ધ કર્યો અને માત્ર ધર્મોનું અસ્તિત્વ સ્વીકાર્યું. આ અર્થમાં બુદ્ધ અનાત્મવાદી છે. બૌદ્ધોનો હીનયાન એ ધર્મવાદ છે. અને ધર્મીનો નિષેધ કરે છે. અભિધમપિટકમાં આ ધર્મો કયા છે તેનું વિસ્તારથી નિરૂપણ થયું છે. આપણે પ્રવાહ જોઈ તેને નદી એવું નામ આપીએ છીએ. વસ્તુતઃ એ બિન્દુઓનો પ્રવાહ છે. આથી બિન્દુઓ અસ્તિ છે પણ નદી અસ્તિ નથી. નદી એ એ તો માત્ર આપણી કલ્પના છે. તે જ પ્રમાણે પ્રતિક્ષણ ઉત્પન્ન થતા નવાનવા ચિત્તો એ જ આત્મપ્રવાહ છે કે ચિત્તસંતતિ છે. આમાં ચિત્તો એ અસ્તિ છે પણ આત્મા જેવું કશું નથી. આમ પ્રથમ તબક્કામાં ધર્મીશૂન્યતાનો સિદ્ધાન્ત સ્થિર થયો. ધર્મોમાં નામ અને રૂપ–એવા બે મુખ્ય ભેદો પડ્યા જેને આપણે ચેતન-જડ એવું નામ આપી શકીએ. આમ આંતર અને બાહ્ય ધર્મોનું અસ્તિત્વ પ્રથમ તબક્કામાં સ્વીકારાયું. આનું બીજું નામ છે પુગલનેરાલ્ય અથવા ધર્મિનૈરાભ્ય. અભિધર્મપિટકમાં આ ધર્મોનો ઘણો બધો વિસ્તાર કરવામાં આવ્યો અને તેમનો પણ કાંઈક સ્વભાવ છે એવું નિરૂપણ કરવામાં આવ્યું અને તે તે ધર્મના તે તે સ્વભાવભેદને કારણે તે તે ધર્મો જુદા જુદા મનાયા. આમ સર્વાસ્તિવાદને નામે એક પ્રકારે સ્વભાવવાદ ઊભો થયો. પરંતુ તે કાળે ભારતીય દર્શનોમાં સ્વભાવના સ્વરૂપ વિશે જે ચર્ચા થઈ તેમાંથી એ ફલિત થયું કે વસ્તુનો સ્વભાવ એ કોઈપણ કારણે ઉત્પન્ન થતો નથી. એ તો સદૈવ વિદ્યમાન હોય છે. જે કાંઈ કારણથી ઉત્પન્ન થાય તે સ્વાભાવિક કહેવાય નહિ. તેથી સ્વભાવ એટલે નિત્ય એવું સમીકરણ થયું. આથી નાગાર્જુને બધા ધર્મોને પણ નિઃસ્વભાવ માન્યા એટલે કે સ્વભાવશૂન્ય માન્યા એટલે કે પ્રતીત્યસમુત્પન્ન માન્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001940
Book TitleSruta Sarita
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2001
Total Pages310
LanguageEnglish, Prakrit, Hindi
ClassificationBook_Devnagari & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy