SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ નયવાદનો પ્રારંભિક ઇતિહાસ ૧૯૭ એકની જ ઉપયોગિતા ગણાય અને બીજાને નયગણનામાં સ્થાન મળે નહિ. આ રીતે એ બન્નેને કાયમ રાખવામાં આવ્યા છે. આગળ જતાં નૈગમને મૂળ નામાંથી બાદ પણ કરવામાં આવ્યો છે અને કાયમ રાખ્યો છે તો તેની વ્યાખ્યા આગમથી જુદા પ્રકારની કરવામાં આવી છે. (૩) આગમમાં નયની મર્યાદા આગમમાં નયવાદ જૈનોની પ્રચલિત માન્યતાઓનો સમન્વય કરે છે, જૈનોની પોતાની ગણાતી કોઈ પણ માન્યતા લઈને તેના પર જયારે વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે ત્યારે એ નયદ્વારનો ઉપયોગ કરવામાં આવે છે. આ આગમના નયવાદની મર્યાદા છે. જે મર્યાદા પાછળના વિદ્વાનોએ તોડી છે અને નયવાદને જગતના સમસ્ત વાદો સુધી વિસ્તારીને તેને અમર્યાદિત બનાવ્યો છે. તત્ત્વાર્થમાં નયની મર્યાદા આગમિક મર્યાદા ઉમાસ્વાતિએ તોડી નથી. એટલું જ નહિ પરંતુ ભાષ્યમાં પણ નયવાદની એટલી જ મર્યાદા સચવાયેલી પ્રતીત થાય છે. જ્યારે પૂછવામાં આવે છે કે નય એ શું તન્ત્રાન્તરીય છે ત્યારે જવાબ આપે છે કે એ તન્નાંતરીય નથી પરંતુ જ્ઞયરૂપ અર્થના જુદી જુદી દૃષ્ટિએ થયેલ અધ્યવસાયો છે. એ ઉપરથી સ્પષ્ટ છે કે ભાષ્ય લખાયું ત્યાં સુધી નયો દ્વારા જૈનેતર માન્યતાઓનો સમન્વય કરવામાં આવતો ન હતો પરંતુ એ જૈન દષ્ટિને સમજાવવામાં જ કામમાં લેવામાં આવતા. આ વાત તેમના ભાષ્યમાંના વિવેચન ઉપરથી સ્પષ્ટ છે. તત્ત્વાર્થ મૂળમાં તેમજ ભાષ્યમાં સપ્તભંગીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ એ સપ્તભંગીનું અવિકસિત સ્વરૂપ કેવું હતું તેનાં દર્શન અવશ્ય એ મૂળ તેમજ ભાષ્યમાં કરી શકાય છે. તેમના પિતાજીત સિદ્ધઃ” એક જ વસ્તુમાં બે જુદી જુદી અપેક્ષાએ વિરોધી ધર્મોની પણ સિદ્ધિ થાય છે. એ સૂત્રમાં સપ્તભંગીનું રહસ્ય મળી આવે છે પરંતુ જેવી રીતે પરવર્તી સાહિત્યમાં કે કુન્દકુન્દના ગ્રંથોમાં સ્પષ્ટપણે સપ્ત ભંગો દર્શાવવામાં આવ્યા છે તે રીતે સ્પષ્ટપણે ભાંગાઓ દર્શાવવામાં નથી આવ્યા. તે મૂળ અને ભાષ્યના સમય સુધી નયની અવિકસિત પ્રાથમિક દશા સૂચવે છે. તત્ત્વાર્થ મૂળમાં નયની સ્વતંત્ર વ્યાખ્યા આપવામાં આવી નથી. મૂળમાં તો પ્રમાણ અને નય દ્વારા સાત તત્ત્વોનો અધિગમ થાય છે. એટલું જ જણાવવામાં આવ્યું છે. પરંતુ તેના ભાગ્યમાં નયની વ્યાખ્યા મળી આવે છે તેમાં પ્રાપક, કારક, સાધક ઇત્યાદિ શબ્દોને નયના પર્યાયવાચી શબ્દો જણાવ્યા છે અને જીવાદિ પદાર્થનું જ્ઞાન કરાવે છે તે નય એમ સ્પષ્ટ કર્યું છે. અને આગળ જતાં જીવના એક પદાર્થના જ્ઞાનમાં થતા ભિન્ન ભિન્ન અધ્યવસાયોને નય કહ્યા છે. નિર્યુક્તિમાં નય તેના જરા વિકસિત સ્વરૂપમાં નિર્યુક્તિમાં પણ સામાન્ય નયની સ્પષ્ટ જુદી વ્યાખ્યા કરવામાં આવી નથી પરંતુ નાના ઉત્તરોત્તર વિકાસનો ઇતિહાસ આપણને તેમાંથી મળી આવે છે ખરો. તેમાં સાતે નયોની જુદી જુદી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001940
Book TitleSruta Sarita
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2001
Total Pages310
LanguageEnglish, Prakrit, Hindi
ClassificationBook_Devnagari & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy