SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ 196 ŚRUTA-SARITĀ આ આગમિક નયવાદની પ્રાથમિક દશા સૂચવે છે. આગમના નિકટના પરવર્તી નિયુકિત તથા ભાષ્યોમાં એ સમન્વયની શરૂઆત થઈ છે જેને પરવર્તી સંસ્કૃત સાહિત્યમાં આચાર્યોએ અત્યંત વિકસાવ્યો છે. આગમમાં નયોની ઉત્તરોત્તર વિશુદ્ધિ માટે પ્રસ્થક દષ્ટાંત આગમોમાં નયોની વ્યાખ્યા આપવામાં આવી નથી પરંતુ અનુયોગ દ્વાર સૂત્રમાં તે દરેક નયોની ઉત્તરોત્તર વિશુદ્ધિ પ્રસ્થકાદિ દષ્ટાંતો વડે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એ ઉપરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે આગમની સંકલના સમયે પણ નયોનું ચોક્કસ સ્વરૂપ સંકલનકારના ખ્યાલમાં હશે જ. પરવર્તી સાહિત્યમાં નયોની વ્યાખ્યા જે રીતે કરવામાં આવી છે તે પ્રાયઃ આ દૃષ્ટાંત પાછળના નયના વિચારને ધ્યાનમાં રાખીને કે અત્યારે આગમમાં ઉપલબ્ધ નહિ એવી કોઈ આગમિક વ્યાખ્યાને જ આભારી હોય એમ માનવું નાપાયાદાર તો નહિ જ ગણાય. પ્રસ્થક દષ્ટાંત દ્વારા નિયોની ઉત્તરોત્તર વિશુદ્ધિ આ પ્રમાણે સમજાવવામાં આવી છે. કોઈ એક મનુષ્યને કુહાડો લઈને જંગલ તરફ જતો જોઈને તેને કોઈ પૂછે કે “તું ક્યાં જાય છે ?” તો “હું પ્રસ્થક લેવા જાઉં છું” એ જવાબ અવિશુદ્ધ નૈગમ ગણાય. કારણ કે તે ખરી રીતે પ્રસ્થક માટે નથી જતો પરંતુ પ્રસ્થક માટે લાકડું લેવા જતો હોય છે. તેને લાકડું કાપતો જોઈને કોઈ પૂછે કે “તું શું કરે છે ?” તો તેનો “પ્રસ્થક કાપું છું” એ જવાબ વિશુદ્ધ નૈગમ ગણાય. કારણ કે પૂર્વ કરતાં તેના જવાબમાં સત્યનો અંશ વધારે છે. તેવી જ રીતે પ્રસ્થક પૂરું થાય ત્યાં સુધીની ઉત્તરોત્તર ક્રિયાઓ વખતે પુછાયેલા પ્રશ્નોના જવાબો ઉત્તરોત્તર વિશુદ્ધ નૈગમ છે. કારણ કે ઉત્તરોત્તર કાર્યની નજીકમાં છે. તેવી જ રીતે વ્યવહારનયમાં પણ સમજવાનું છે. કારણ કે આ નય પણ નૈગમની પેઠે લૌકિક વ્યવહારપ્રધાન હોવાથી ઉપચારવાળો છે. સંગ્રહનયની દૃષ્ટિમાં તો ધાન્ય સહિત પ્રસ્થકને પ્રસ્થક કહેવાય છે. તેની દૃષ્ટિમાં એ લાકડાનું માપ પ્રસ્થક નહિ પણ મેય સહિત હોય તો જ તે પ્રસ્થક કહેવાય છે. તેથી નૈગમ કરતાં વિશુદ્ધ છે. ઋજુસૂત્રની દષ્ટિમાં પ્રસ્થક પણ પ્રસ્થક તેમજ મેય વસ્તુ પણ પ્રસ્થક છે અને એથી તે સંગ્રહ કરતાં વિશુદ્ધતર છે, કારણ કે તે સંગ્રહ કરતાં જરા વધારે ઊંડો જઈ એ બન્નેમાં પ્રસ્થક શબ્દનો વ્યવહાર થાય છે એમ બતાવે છે, વળી તે વર્તમાન માન અને મેયમાં જ તેનો વ્યવહાર કરે છે. ત્યાર પછીના ત્રણ શબ્દનયો તો તેથી પણ જરા ઊંડા જાય છે અને શબ્દનો જે અર્થ હોય તેને જ ગ્રહણ કરે છે. તેને મતે પ્રસ્થક તે બહાર પડેલ લાકડાનો પદાર્થ કે મેય વસ્તુ નહિ પરંતુ અમુક પરિમાણ તે પ્રસ્થક કહેવાય એવો જે જીવનો ઉપયોગ તે પ્રસ્થક છે. એથી તે સૌથી ઊંડો ઊતરે છે તેથી વિશુદ્ધતમ છે. આગમમાં નૈગમ-વ્યવહાર એક જેવા આપણે ઉપર જોયું તે પ્રમાણે અહીં નૈગમ અને વ્યવહારના વિષયમાં ભેદ પાડ્યો નથી. પરંતુ પરવર્તી સાહિત્યમાં તેમ નથી. માત્ર ઉપચારપ્રધાન લૌકિક વ્યવહારનો જ વ્યવહારનયમાં સમાવેશ નથી કરવામાં આવ્યો પરંતુ સંગ્રહના વિષયનો વિસ્તાર તે પણ વ્યવહારનો વિષય ગણવામાં આવ્યો છે. નિર્યુક્તિ તેમજ ઉમાસ્વાતિના તત્ત્વાર્થમાં બન્નેના વિષયનો સ્પષ્ટ ભેદ દર્શાવ્યો છે. અને એ રીતે બન્નેને ભેદ સ્પષ્ટ કરી દીધો છે. જો તેમ ન કરવામાં આવે તો બેમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001940
Book TitleSruta Sarita
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2001
Total Pages310
LanguageEnglish, Prakrit, Hindi
ClassificationBook_Devnagari & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy