SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ નયવાદનો પ્રારંભિક ઇતિહાસ ૧૯૫ આગમમાં નય જૈન સાહિત્યમાં નય વિશેની સૌથી પ્રાચીન માન્યતા શ્વેતાંબરોના આગમોમાં અને શ્વેતાંબર તથા દિગંબરને સરખી રીતે માન્ય ઉમાસ્વાતિના તત્ત્વાર્થ સૂત્રમાં સચવાયેલી મળી આવે છે. આગમોમાં નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ સાતને મૂળ નયો ગણવામાં આવ્યા છે. શ્વેતાંબરોમાં આગમિક પરંપરાને સાચવનારા પ્રાચીન તેમ જ અર્વાચીન ગ્રંથોમાં એ સાતને જ મૂળ નયો ગણવામાં આવ્યા છે. દિગંબરોમાં ઉમાસ્વાતિના પણ પૂર્વવર્તી કુન્દકુન્દના આધ્યાત્મિક ગ્રંથોમાં નયની સ્પષ્ટ જુદી ચર્ચા મળતી નથી પરંતુ જીવની પ્રરૂપણા કરતી વખતે કુંદકુંદે વ્યવહારનય અને નિશ્ચયનયનો ઉપયોગ કર્યો છે અને દ્રવ્યોની ચર્ચા કરતી વખતે તેમણે દ્રવ્યાર્થિક તેમજ પર્યાયાર્થિક નયનો ઉપયોગ કર્યો છે. પરંતુ તેમના ગ્રંથોમાં ક્યાંય પણ નયોની જુદી ચર્ચા ન હોવાથી તેમના મતે મૂળ નાયો કયા હતા તે જાણવું કઠિન છે. આગમોમાં પણ કોઈ વખતે નિશ્ચયનય અને વ્યવહારનયનો ઉપયોગ થયેલો છે અને દ્રવ્યાર્થિક તેમજ પર્યાયાર્થિક દષ્ટિ વિના તો આગમમાં એક પણ ડગલું આગળ ચાલે તેમ નથી. તત્ત્વાર્થસૂત્રમાં નય બીજી પરંપરા ઉમાસ્વાતિના તત્ત્વાર્થસૂત્રની છે તેમાં નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ એ પાંચને મૂળ નયો ગણવામાં આવ્યા છે. ઉમાસ્વાતિએ આ પાંચ મૂળ નયો મન કલ્પનાથી માન્યા નથી પણ એ પાંચ મૂળ નય માનવાની પરંપરા તેમણે નિયુક્તિમાંથી લીધી છે. દિગંબરોમાં તત્ત્વાર્થની પ્રાચીન ઉપલબ્ધ ટીકા સર્વાર્થસિદ્ધિ મનાય છે અને તે ટીકામાન્ય સૂત્રપાઠમાં નૈગમાદિ સાત નો આગમિક પરંપરાને મળતા જણાવવામાં આવ્યા છે પરંતુ એ ટીકા તત્ત્વાર્થભાષ્ય કરતાં પ્રાચીન નથી એમ અનેક પ્રમાણોથી પં. સુખલાલજીએ સિદ્ધ કર્યું છે. તેથી તત્ત્વાર્થભાષ્યસંમત સૂત્રપાઠમાં આવેલ પાંચ નયવાદને જ ઉમાસ્વાતિની મૂળનય વિશેની માન્યતા ગણવામાં જ વધારે પ્રામાણિકતા છે. આગમમાં નયનું અવિકસિત પ્રાથમિક સ્વરૂપ જે પ્રકારનું નયનું પ્રતિપાદન પાછલા સાહિત્યમાં મળે છે તેવું જૈનાગમોમાં મળતું નથી. જૈનાગમોની સંકલના જે સમયે થઈ હતી ત્યારે પાછળના પ્રાકૃત તેમજ સંસ્કૃત સાહિત્યમાં મળી આવે છે તેવો દાર્શનિક સંઘર્ષ જૈનોના એ પ્રાકૃત આગમ સાહિત્યમાં પ્રવેશ પામ્યો ન હતો. એટલું જ નહિ પરંતુ એ સમયમાં આગમના પરવર્તી સાહિત્યમાં મળે છે તેવું તીવ્ર રૂપ દાર્શનિક સંઘર્ષે ધારણ પણ કર્યું ન હતું. તેથી નયવાદ તો અવિકસિત સ્વરૂપમાં અને મર્યાદિત ક્ષેત્રવાળો આગમમાં દષ્ટિગોચર થાય છે. આગમિક નયવાદમાં તેમજ આગમના નિકટના પરવર્તી ઉપલબ્ધ નિર્યુક્તિ સાહિત્યમાં સપ્તભંગીનાં દર્શન નથી થતાં. જો કે ભગવતી સૂત્રના એક ઉલ્લેખ પરથી એક જ વસ્તુમાં અસ્તિત્વ અને નાસ્તિત્વ બને મનાતા એમ સ્પષ્ટ થાય છે અર્થાત્ એ સપ્તભંગીનું મૂળ આગમમાં મળી આવે છે ખરું. વળી નયોમાં તત્કાલીન પ્રચલિત સમસ્ત વાદોનો સમન્વય જે પાછલા સાહિત્યમાં કરવામાં આવ્યો છે તે પણ આ આગમિક નયવાદમાં નજરે પડતો નથી એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001940
Book TitleSruta Sarita
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2001
Total Pages310
LanguageEnglish, Prakrit, Hindi
ClassificationBook_Devnagari & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy