SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ 188. ŚRUTA-SARITĀ અર્થમાં વપરાયો હોત તો તેનું સંસ્કૃત એક જ પારસ્થ એવું થવું જોઈએ. પરંતુ ટીકાકારો એ પત્થ શબ્દનું સંસ્કૃતરૂપાન્તર પાર્થસ્થ એવું પણ કરે છે. પરંતુ તેનો અર્થ જયારે સમજાવે છે ત્યારે એ પાશ્વસ્થ એવા શબ્દમાંથી શિથિલાચારીનો ભાવ કાઢવા માટે તેમને બહુ જ ખેંચતાણ કરવી પડે છે. જેમકે साधुगुणानां पार्श्वे तिष्ठतीति पार्श्वस्थः (सू. १.९) पार्श्वः सम्यकत्वं तस्मिन् ज्ञानादिपार्वे तिष्ठतीति पार्श्वस्थ: ( ૬. રૂ. ૪) શનીવારે (ત્ર 9) જ્ઞાનાવિહિર્વર્તી. (અ. . ૪.) અને એ જ બતાવે છે કે સમય જતાં એ પાર્થીિ શબ્દ તેના મૂળ અર્થને છોડીને શિથિલાચારીના અર્થમાં રૂઢ થઈ ગયો. આ લેખનો ઉદેશ માત્ર પાર્થાપત્યીયો અને મહાવીરના સંઘમાં મળેલી વ્યક્તિઓનો પરિચય કરાવવાનો છે. પાર્થાપત્યયોની કેટલીક મહાવીરથી જુદી પડતી માન્યતાઓ વિશે તેમના સ્વતંત્રસિદ્ધાંતો વિશે તથા એવી જ કેટલીક બાબતો વિશે ઘણું લખવાનો અવકાશ છે. પરંતુ આ લેખમાં એ વિશે ચર્ચા કરવામાં નહિ આવે. એ વિષય માટે તો એક સ્વતંત્ર નિબંધની જરૂર જણાય છે, અને તે અવકાશે લખાશે. ભગવતીના પંદરમા શતકમાં ગોશાળક છ દિશાચરને મળે છે. ટીકાકાર જણાવે છે કે તેઓ પ્રથમ પાર્થાપત્યીય શ્રમણો હતા. તેમને મેં અહીં ગણ્યા નથી. કેટલીક વખતે થેર શબ્દ બહુવચનમાં વપરાયેલો છે. તે પ્રસંગે બેથી વધારે ઘેર હોવાનો સંભવ છે છતાં મેં અહીં તેને પ્રસંગે ગણતરીમાં બે જ ગણ્યા છે. ૫. જૈનોના આગમમાં આવતા આ પ્રદેશી રાજાની હકીકતને બિલકુલ મળતી હકીકત બૌદ્ધોના ત્રિપિટકમાં “પાયાસીસુત્તમાં” આવે છે. દિગ્ધ. ૨૩. મુળમાં સુપાસ, નંદિવર્ધાણ અને સુદેસણા વિશે તેમની મહાવીર સાથેની સગાઈની હકીકત સિવાય વિશેષ કાંઈ વિગત મળતી નથી. જો તેઓ મહાવીરના સંઘમાં હોત તો સંકલનકાર જેણે આવી વિશિષ્ટ વ્યક્તિઓનાં ચરિત્રની નોંધ લેવાની બહુ કાળજી રાખી છે, તેમના વિશે જરૂર વિશેષ માહિતી આપત. પરંતુ એવું કાંઈ નથી તેથી મેં તેમને પાર્થાપત્યય ગણ્યા છે. જો કે આવશ્યક નિર્યુક્તિની ૨૩૦૭મી ગાથામાં–‘જમાલી જયારે મહાવીરથી જુદો પડ્યો ત્યારે સુદંસણા તેને અનુસરી' એવું મળે છે છતાં તે ઉપરથી સુદંસણા–મહાવીરની મોટી બહેન–એ મતભેદ પહેલા મહાવીરને અનુસરતી હતી એમ નિશ્ચિતપણે કહેવું કઠિન છે, કારણ કે તે ગાથાની ટીકામાં એ ‘સુદેસણા’ શબ્દના અર્થ માટે બે મતની નોધ છે. તેમાં એક મતે સુદેસણા તે મહાવીરની પુત્રી અને બીજ મતે તેમની બહેન એમ જણાવ્યું છે. વળી ભગવતીસૂત્રમાં જમાલીનું વિસ્તારથી જીવન આપવામાં આવ્યું છે ત્યાં પણ પ્રિયદંસણા કે સુદંસણા બેમાંથી એકેય જમાલીને અનુસર્યા એવી નોંધ નથી લેવાઈ. પરવર્તી સાહિત્યમાં પ્રિયદંસણાને જમાલીની પત્ની તરીકે જણાવી છે. વળી જયારે જમાલીનો મહાવીર સાથે મતભેદ થયો ત્યારે પ્રથમ તો તેણી તેને અનુસરી એવો ઉલ્લેખ તો મળે છે પરંતુ સુદંસણા જમાલીને અનુસરી એવો ઉલ્લેખ આ સંદિગ્ધ સ્થળ સિવાય ક્યાંય પણ પ્રાચીન ગ્રંથોમાં નથી મળતો. તેથી સુદંસણાને પાર્થાપત્યીય ગણવી વધારે ઉચિત છે. (ટી. ૬૧૨). સ્થાનાંગસૂત્રમાં ભવિષ્યમાં તીર્થકર થનારા નવ વ્યક્તિઓનાં નામો આપ્યાં છે, અને તેમાંનો એક સુપાસ છે. ટીકાકારે એ સુપાસને મહાવીરના કાકા જણાવ્યા છે. પરંતુ મૂળ કે ટીકા એ એક વાત સિવાય સુપાસના જીવન વિશે કશું જ જણાવતા નથી, તેથી એ કહેવું કઠણ છે કે તે ભગવાન મહાવીરના સંઘમાં શ્રમણ તરીકે કે ઉપાસક તરીકે હતા. ટીકાકારે બીજા ભવિષ્યના થનારા તીર્થકરના જીવન વિશે થોડી ઘણી માહિતી આપી છે પરંતુ આ સુપાસ વિશે તો સાવ મૌન જ પકડ્યું છે. એ જ બતાવે છે કે તેઓ મહાવીરે સંધ સ્થાપ્યો ત્યાં સુધી જીવ્યા જ નહિ હોય. તેથી તેમને પાર્થપત્રીય ગણવા વધારે ઉચિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001940
Book TitleSruta Sarita
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2001
Total Pages310
LanguageEnglish, Prakrit, Hindi
ClassificationBook_Devnagari & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy