SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ŚRUTA-SARITĀ જેમ ક્ષત્રિયો, બ્રાહ્મણ સંપ્રદાયમાં વિશેષ રસ લેતા થયા હતા તેમ શ્રમણ પરંપરામાં પણ રસ લેતા થયા હતા. અને તેને પરિણામે બુદ્ધ અને મહાવીર જેવા તેજસ્વી પુરુષો ક્ષત્રિયકુળમાં જન્મ્યા હતા છતાં ધાર્મિક ક્ષેત્રમાં પોતાનો વિશિષ્ટ પ્રભાવ દાખવી ગયા છે. એ કાળ ક્ષત્રિયોનો જાગૃતિ કાળ કહી શકાય. સ્થૂલ અને નકામાં ક્રિયાકાંડો સામે તેમનો બળવો હતો અને તેથી આપણે કોષ્ટકમાં જોઈએ છીએ તે પ્રમાણે બ્રાહ્મણ કરતાં ક્ષત્રિયોની સંખ્યા વિશેષ છે. 176 વળી ભગવાન મહાવીર પોતે ક્ષત્રિયકુળમાં જન્મ્યા હતા. તેથી ક્ષત્રિયો તેમના પ્રભાવમાં વિશેષ આવે તે સ્વાભાવિક છે અને બ્રાહ્મણ ક્ષત્રિયોને પોતાના કરતાં હલકા સમજતા હોઈ તેમનું શિષ્યપદ સ્વીકારવામાં હીણપદ માને છે. તેથી મહાવીરના અનુયાયીઓમાં ક્ષત્રિયની અપેક્ષા બ્રાહ્મણની ઓછી સંખ્યા રહે તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું જ નથી. કોષ્ટકમાં એક પણ બ્રાહ્મણ શ્રમણોપાસક નથી તેનો અર્થ એવો નથી કે કોઈ પણ બ્રાહ્મણ શ્રમણોપાસક નહિ જ હોય. હશે ખરા પરંતુ તેમની સંખ્યા બહુ જ અલ્પ હશે. એમ થવાનું કારણ એ છે કે જો બ્રાહ્મણને જૈન થવું હોય તો તેમને સાધુ થવું ઠીક પડતું. કારણ કે એમ કરવાથી તેનાં સામાજિક બંધનો તૂટી જતાં. તેને સમાજની કશી પરવા કરવાની જરૂર ન રહેતી. પરંતુ જો શ્રમણોપાસક થાય તો તો તેને સમાજમાં જ રહેવું પડે. અને એ બ્રાહ્મણસમાજ તેના પ્રત્યે તે વેદવરોધી મહાવીરના સંઘમાં ભળ્યો હોવાથી સર્તન કરવાને તૈયાર ન હતો. તેથી બ્રાહ્મણોને શ્રમણોપાસક થવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવાનો હોઈ તેમને માટે જો મહાવીરના સંઘમાં ભળવું હોય તો સામાજિક બંધનો ફેંકી દઈ સાધુ થવું વધારે સરલ પડતું અને તેથી બ્રાહ્મણ શ્રમણ કરતાં બ્રાહ્મણ શ્રમણોપાસકની સંખ્યા ઓછી રહે એમાં આશ્ચર્ય પામવા જેવું નથી. કોષ્ટકમાં સૌથી ઓછી સંખ્યા શૂદ્રોની છે તે જરા વિચારણીય છે. ભગવાન મહાવીરના શૂદ્ર અનુયાયીઓની સંખ્યા બીજા કરતાં ઓછી જરૂર હશે. પરંતુ કોષ્ટકમાં બતાવેલ સંખ્યાથી તે ક્યાંય વધારે હશે જ. જો કે મહાવીરે, જન્મથી જાતિવાદનો નાશ કરવા પ્રયત્ન કર્યો એ સાચું પરંતુ તેમના ક્ષત્રિય તેમજ બ્રાહ્મણ શ્રમણો પૂર્વસંસ્કારને લીધે એ જાતિવાદની મહત્તા તદ્દન છોડી શક્યા ન હતા અને ધર્મપ્રચારમાં તેમજ આગમની ગૂંથણીમાં તેમનો મુખ્ય હાથ હોવાથી તેમણે એ શૂદ્રો તરફ જરા ઉપેક્ષા રાખી હોય એ સંભવિત છે. અને તેથી પ્રભાવશાળી કોઈક જ શૂદ્ર સિવાયના બીજા શૂદ્રોની નોંધ લેવામાં ઉપેક્ષા રખાઈ હોય, પરિણામે આગમમાં આપણને માત્ર ગણ્યાગાંઠ્યા શૂદ્રોનાં ચરિત્રો મળી આવે છે. વળી બ્રાહ્મણ તથા ક્ષત્રિયમાં જેટલા તેજસ્વી પુરુષો હતા તેટલા શૂદ્રમાં મળી આવવાનો સંભવ ઓછો હતો અને તેથી માત્ર કોઈક જ પ્રભાવશાળીની નોંધ આગમમાં રહી છે અને બીજા ભુલાઈ ગયા છે. વળી આજ બને છે તેમ તેઓ પોતાના મનુષ્યત્વને ભૂલી ગયેલા હોઈ બ્રાહ્મણ અને ક્ષત્રિયની સમાન કોટિમાં આવતા સંકોચ કરતા હશે. એ કારણે મહાવીરના સંઘમાં તેમની અલ્પ સંખ્યા રહે એ સ્વાભાવિક છે. ભગવાન મહાવીરના સંઘમાં દીક્ષિત થનારા શ્રમણો શરૂઆતમાં ઉગ્ર તપસ્યા કરતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001940
Book TitleSruta Sarita
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2001
Total Pages310
LanguageEnglish, Prakrit, Hindi
ClassificationBook_Devnagari & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy