SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ 172 ŚRUTA-SARITĀ એટલું તો ચોક્કસ જ છે કે ભગવાન મહાવીરે શ્રમણોનો ચાતુર્યામિક ધર્મ હતો તેના બદલે પાંચ મહાવ્રતો કર્યા. તેમના પહેલા પાંચ મહાવ્રતોની પ્રથા પાર્શ્વના અનુયાયીઓમાં હતી જ નહિ, તો શ્રમણોપાસકમાં પાંચ અણુવ્રતોનો સંભવ કઈ રીતે થઈ શકે ? શ્રમણોપાસકના પાંચ અણુવ્રતો હતાં જો એમ માનીએ તો સાધુનાં પાંચ મહાવ્રત સ્વીકારવાં જોઈએ. પરંતુ એ વાત સ્વીકારવાની તો ઇતિહાસ સ્પષ્ટ ના પાડે છે. એથી આ અસંગતિનું સમાધાન બીજી રીતે મેળવવું રહ્યું. ભગવાન મહાવીરે સાધુઓ માટે પાંચ મહાવ્રતની પ્રથા પાડી એ તો સુવિદિત જ છે તેથી પાંચ અણુવ્રતની પ્રથા પણ તેમણે જ પાડી હતી એમ ભારપૂર્વક આપણે કહી શકીએ, કારણ કે એ પાંચ મહાવ્રતની અપેક્ષાએ આ પાંચ વ્રતો અણુ છે. અને તેથી જ આપણે નિશ્ચિતરૂપે કહી શકીએ કે ભગવાન પાર્શ્વના અનુયાયીઓ પાંચ અણુવ્રતોનો અંગીકાર કરતા ન હતા. પરંતુ હજુ એક પ્રશ્નનો જવાબ દેવાનો રહે છે. જો પાર્થના ગૃહસ્થ અનુયાયીઓ પાંચ અણુવ્રતો લેતા ન હતા તો સર્વત્ર તેઓ પાંચ અણુવ્રત સ્વીકારતા એવા ઉલ્લેખો કેમ મળે છે? આપણે આગળ જોઈશું તે પ્રમાણે જૈનાગમમાં વધારે વર્ણનો મહાવીરના શ્રમણોપાસકના આવે છે અને આગળ જોયું તે પ્રમાણે માત્ર સાત જ પાર્શ્વના અનુયાયી શ્રમણોપાસકની નોંધ મળી આવે છે. તે સાતમાંથી પણ માત્ર બેનું જ જીવન જરા વિસ્તારથી છે. બાકીના પાંચના તો માત્ર નામોલ્લેખ સિવાય કશું જ મળતું નથી. વળી જૈન આગમમાં એકને મળતી હકીકતોને વારંવાર વર્ણવવામાં નથી આવતી તે તો આપણે જાણીએ છીએ એટલે તેને પ્રસંગે વર્ણકથી કામ લેવાય છે. તેવી જ રીતે સમાન જીવનવૃત્ત પણ ફરી ફરી લખવામાં નથી આવતા પરંતુ તેને મળતા જીવનવૃત્તમાં જોઈ લેવાનું કહી દેવામાં આવે છે. અને આને પરિણામે સંકલનકારે પ્રમાદથી મહાવીરના શ્રમણોપાસકના જીવનવૃત્ત જેવું જ આ પાર્થાપત્યીયોનું પણ જીવન ઘડી કાઢ્યું હોય એ સંભવિત છે. અને તેથી જ પાર્શ્વનુયાયી શ્રમણોપાસકને પણ તેમણે પાંચ અણુવ્રતો લેતા એમ જણાવી દીધું. અને એ જ પ્રમાણે અત્યાર સુધી એ વાત આપણે માનતા આવ્યા છીએ તેથી સર્વત્ર આગમમાં સમાન ઉલ્લેખ હોવા છતાં પાર્શ્વનુયાયી શ્રમણોપાસક પાંચ અણુવ્રતો લેતા, એમ માત્ર ઉલ્લેખના આધારે માનવું એ ભૂલભરેલું ગણાય. આમ થવામાં એક બીજું કારણ પણ આપી શકાય. સંકલનકાર પાસે સાધુનાં વ્રતો વિશે ભગવાન મહાવીર અને પાર્શ્વપરંપરાના મતભેદની પરંપરા હતી. પરંતુ શ્રમણોપાસકનાં વ્રતો વિશે એ પરંપરામાં કાંઈ જ કહેવામાં આવ્યું ન હતું. અને તેથી સંકલનકારે ઉપાસકનાં વ્રતોમાં એ બને તીર્થંકર વચ્ચે કાંઈ મતભેદ નહિ હોય એમ માની લીધું હશે અને તેથી ભગવાન મહાવીરના ઉપાસકોનાં વ્રતો પાર્શ્વના ઉપાસકોને પણ લાગુ પાડી દીધાં. અને તેથી આગમમાં તેઓ પાંચ અણુવ્રતો લેતા એ ઉલ્લેખ આવે તે સ્વાભાવિક છે. આશ્ચર્ય તો એ છે કે સંકલનકારની આ ભૂલ ટીકાકારો પણ જોઈ શક્યા નથી. આ ઉપરથી આપણે એટલું તો નિશ્ચિત ભાવે કહી શકીએ કે તેઓ પાંચ અણુવ્રતો તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001940
Book TitleSruta Sarita
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2001
Total Pages310
LanguageEnglish, Prakrit, Hindi
ClassificationBook_Devnagari & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy