SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ [ દશ વિકાલિક કર્મોને ભોગવવાનું શિક્ષણ આપે છે. એ માટે ચારિત્રધર્મ સર્વશ્રેષ્ઠ સાધન છે. ગૃહસ્થાશ્રમમાં કમને બંધ સર્વથા અટકી શકતો નથી અને નિર્જરા અ૯પ થાય છે. સાધુતાથી નવાં કર્મો બંધાતાં નથી અને જુનાંની નિર્જરા સંપૂર્ણ પણ કરી શકાય છે. માટે સાધુતાથી દુઃખમુક્તિ થઈ શકે છે. મુક્તિનું (સર્વ દુઃખોથી છૂટવાનું) ચારિત્રરૂપ આવું સુંદર સાધન પામીને પુનઃ ગૃહસ્થાશ્રમની ઈચ્છા કરવી તે સુખને માટે ઓલામાંથી અકળાઈને ચૂલામાં પડવા જેવું અજ્ઞાનભર્યું સંસારભ્રમણ વધારવાનું કાર્ય છે, માટે ગૃહસ્થાશ્રમની ઈચ્છા હિતકર નથી, એમ સમજાવીને આત્માને સંયમમાં સ્થિર કરે. આ અઢાર વાક્યો ખૂબ મનનીય છે, ખરાબે ચઢેલા વહાણને બેટનું આલમ્બન મળવાથી જેમ બચી જાય તેમ સાધુધર્મરૂપી મેરુપર્વતથી પડતા આત્માને આ વાક્યોનું આલંબન બચાવી શકે તેવું છે, માટે આત્માર્થીએ એનું સતત અધ્યયન કરવું જોઈએ.] भवइ अ इत्थ सिलोगो॥ =આ વિષયમાં સિટોનો=શ્લોક મારૂ છે. અર્થાત્ અઢાર વાક્યોમાં કહેલા, કે નહિ કહેલા વિષયને જણાવનાર શ્લોકો હવે કહીયે છીએ. [ જે કે બ્લેક શબ્દને “એક જ શ્લેક' એવો અર્થ થાય, તો પણ અહીં તે જાતિવાચક હોવાથી અનેક લોકે સમજવા. તે હવે ક્રમશઃ કહેવાય છે.] ઉપરની શીખામણે અનાદર કરવાથી શું થાય? (४८४) जया य चयइ धम्मं, अणज्जो भोगकारणा। से तत्थ मुच्छिए बाले, आयई नावबुज्झइ ॥चू० १-१॥ ઉપર પ્રમાણે ચારિત્રમાં સ્થિર થવાનાં અઢાર ઉપદેશવાકયોની ઉપેક્ષા કરીને માનો=અનાર્ય (મૂખ) નયા= Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy