SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ [દશ વૈકાલિક [પરનિન્દા અને આત્મશ્લાઘા કરવાથી જીવ નીચગોત્ર, દુર્ભાગ્ય, અનાદેય, અપયશ, અશાતા, વગેરે પાપકર્મને બંધ કરે છે. ઉપરાંતપરની નિન્દાથી જ્ઞાનાવરણુયાદિ ઘાતી કર્મોને બંધ પણ થાય છે. પરિણામે ભવભ્રમણ વધી જાય છે, બેધિ દુર્લભ થાય છે અને જિનશાસનથી ભ્રષ્ટ થવાય છે, માટે કેઈને અપ્રીતિ થાય તેવું ન બોલવું. અહીં “પર સાધુને” કુશીલ વગેરે કહેવાને નિષેધ કર્યો તેમાં આશય એ છે કે પિતાની નિશ્રામાં હોય તેને તે જ્ઞાન-ક્રિયા શીખવાડવા માટે કહેવું પણ પડે, ત્યારે ગુર્વાદિ વડીલે તેવું કડવું પણ વચન કહેવાના અધિકારી છે. તેમાં નિંદાને આશય નહિ પણ હિત- બુદ્ધિ રહેલી હોવાથી અશુભ કર્મબંધ થતો નથી. હા, વિના કારણે કે અસૂયાભાવથી તો પિતાના સાધુને પણ દુઃખ થાય તેવું બોલવું ન જોઈએ. પોતાની પ્રશંસા પોતે કરવી તે તો સૌથી મોટો દોષ છે, બીજાને મુખે પણ પોતાની પ્રશંસા સાંભળી ન શકે તે સાધુ સ્વમુખે સ્વપ્રશંસા કેમ કરે ? અર્થાત ઉત્તમ સાધુ કદાપિ સ્વપ્રશંસા ન કરે. (૪૮૧) ૨ લાફમત્તે જ હવન, न लाभमत्ते न सुएण मत्ते । मयाणि सव्वाणि विवज्जइत्ता; धम्मज्झाणरए जे स भिक्खू ॥१०-१९। હું બ્રાહાણુ છું, ક્ષત્રિય છું” વગેરે 7 કારણે જાતિમદવાળે ન હોય, હું રૂપવાળે છું ઈત્યાદિ = ૨ વમત્તે રૂપના મદવાળે ન હોય, હું લબ્ધિવાળે છું, વગેરે નામમત્તે લાભના મદવાળે ન હોય, અને હું “સર્વ શાસ્ત્રને જાણુ છું” વગેરે ગુણા=સ્કૃતથી પણ =મદ ન કરે. એમ કુળમદ વગેરે વાળિ સર્વ માળિ=મદેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy