SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ નાન ધ્યાન કેન્દ્ર એટલે વેદનાની જગ્યાએ આનંદનું આગમન. અપરિગ્રહ વિશે શીખવીને મનને દરેક સ્થિતિમાં શાંત રાખી શકાય એવું જ્ઞાન આપવામાં આવતું હતું.' ધીરે ધીરે અમેરિકામાં ઘણા ધ્યાન કેન્દ્રોની સ્થાપના થઈ. પરદેશીઓ જૈન ધર્મના મંત્રો બોલવા લાગ્યા. એમનો ધર્મરસ જોઈને ચિત્રભાનુએ એમને ભારતના તીર્થધામોની જાત્રા કરાવવાનું નક્કી કર્યું. તેઓ દર વરસે થોડા પરદેશીઓને લઈને તીર્થધામમાં જાય છે ત્યારે પરદેશીઓ એક અવાજે કહે છે, “આ શત્રુંજય પર્વત પર આવેલ મંદિરોનું પવિત્ર નગર, આબુના દેલવાડાનાં દેરાસરના દર્શન કે રાણકપુરના મંદિરને જોતાં જ અમે કોઈ અનહદ આનંદાનુભૂતિમાં ગરક થઈ જઈએ છીએ.” એવી આનંદાનુભૂતિ પશ્ચિમમાં કદી મળવી શક્ય ન હતી.' એકવાર આબુ પર્વત પર એક માનવીએ નિર્દોષતાથી પ્રશ્ન કર્યો, ‘તમે શા માટે પરદેશ ગયા હતાં?’ ‘પરદેશીઓને અહીં ઘરે લાવવા માટે.' ઉત્તર સાંભળીને પેલો માનવી ખુશ થઈ ગયો હતો. ધ્યાન કેન્દ્રનો વ્યાપ વધતો ગયો ત્યારે એમાં શાકાહાર વિશે પણ જ્ઞાન આપવાનું શરૂ કર્યું અને શાકાહારનો પ્રચાર શરૂ કર્યો. એને લીધે જુદા જુદા દેશોમાં અનેક લોકોએ શાકાહાર શરૂ કર્યો છે. ચિત્રભાનું કહે છે, “દુનિયામાં કદી ન હતી એટલી સ્નેહની, મિત્રતાની અને ધર્મની જરૂરત છે. આપણે દુનિયાને પ્રેમનો સંદેશ આપવાનો છે કે દ્વેષનો એ આપણે નક્કી કરવાનું છે.’ ‘આપણે શાંતિ જોઈએ છે કે યુદ્ધ એ આપણે વિચારવાનું છે.' ‘જો યુદ્ધથી બચવું હશે, વેરનો ત્યાગ કરવો હશે તો આપણે જીવમાત્રનો આદર કરતાં શીખવું પડશે.' ફક્ત અહિંસા દ્વારા જ આ દુનિયાને સુખશાંતિના માર્ગે લઈ જઈ શકાશે’ (સંપૂર્ણ) ૯૦ Jain Education International શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001805
Book TitleShantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Original Sutra AuthorN/A
AuthorClare Rosenfield
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy