SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ બેઈએ.’ મુનિને એક ક્રાંત દર્શન થતું હતું. જેને મનમાં સાચવી રાખ્યું હતું. જ્યારે ગુઢ દર્શનનો પ્રત્યક્ષ પરિચય થાય એવું લાગ્યું ત્યારે તેઓ યુરોપ જવા તૈયાર થયાં હતાં. માનવ માત્ર સુખ સમૃદ્ધિ ઈચ્છે છે. એ મળે પણ છે. સુખ સમૃદ્ધિ સાથે માનવી શાંતિ પણ ઈચ્છે છે. પણ શાંતિ ક્યાંય નથી. માનવી રાગદ્વેષથી ઘેરાયો છે. વૈરવૃત્તિને ત્યજી શકતો નથી. હિંસાથી નખ ખરડાયેલા છે. તેથી દુનિયાના કોઈને કોઈ ખૂણે યુદ્ધ અને ખૂનામરકી ચાલુ રહે છે. ‘હું એમને અહિંસાનો પ્રેમ સંદેશ આપીશ.’ અહિંસાનો સંદેશ એ સનાતન સંદેશ છે. એ શાશ્વત જ્ઞાન છે. આ મહામૂલા જ્ઞાનને દેશની સીમાઓની પાર લઈ જવાની જરૂર છે. રહું પંથ ભૂલેલાઓને પંથ બતાવીશ. હિંસાનો માર્ગ ત્યજવા કહીશ. અહિંસા પરમ ધર્મ છે એ સમજાવીશ.' એમને વેર ને બદલે પ્રેમથી જીવતા શીખવીશ. આ સંદેશ એમને નવા માર્ગનું જ્ઞાન આપશે જીવન જીવવાની અનોખી રીતનું એમને જ્ઞાન થશે. દ્રઢ નિર્ણય કરી લીધો. પણ ફરી ખોટી ધાંધલ ધમાલ ન થાય, લોકોમાં વિરોધના જુવાળ જાગે, અને રાગ, દ્વેષ અને વેર ન વધે એ માટે પોતાના નિર્ણયનો ચૂપચાપ અમલ કરવાનું મુનિએ નકકી કર્યું. જે સ્થાન પર હતા એ સ્થાનનો ત્યાગ કરવાનું મનમાં નક્કી કરી લીધું હતું. એમને જે જરૂરી હતું તેનો ત્યાગ કર્યો. તેઓ ફક્ત ચિત્રભાનુ બન્યા. ચિત્રભાનુ એક માનવી હતા, મુક્ત હતા, સર્વસંબંધથી પર હતા. આ સમાચાર આફ્રિકા પહોચ્યાં. ત્યાં વસતા જીજ્ઞાસુ જીવો ૭. Jain Education International શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001805
Book TitleShantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Original Sutra AuthorN/A
AuthorClare Rosenfield
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy