SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - માટે આશીર્વાદ બને.' કોન્ફરન્સનો છેલ્લો દિવસ પૂરો થયો. અહિંસાની વ્યાખ્યા અને અહિંસાનો સંદેશ સાંભળીને અનેક દેશના પત્રકારોએ એમનો ઈન્ટરવ્યુ લીધો. બી.બી.સી. અને વોઈસ ઑફ અમેરીકાએ એમનો અહિંસાનો સંદેશ જગતભરમાં પ્રસારિત કર્યો. ત્યાંથી મુનિ એમના એક ફ્રાન્સના વતની શિષ્યના આશ્રમમાં ગયા. શિષ્ય પોતાનું નામ હંસાનંદજી રાખ્યું હતું. તે એક પર્વત પર બે ગુફામાં આશ્રમ ચલાવતા હતા. ત્યાં ધ્યાન શીખવવામાં આવે છે અને ત્યાં નવકારમંત્રનો જાપ કરાવવામાં આવે છે. એ ગુફાઓના પવિત્ર વાતાવરણમાં મુનિ બે દિવસ રહ્યા. ત્યાંથી બ્રિટન ગયા. ત્યાં ચાર્લ્સ ડાર્વિનના પ્રપૌત્રને મળ્યા. એણે કહ્યુ કે, ‘તમે જે વિશે અમને કહેવા માગો છો એમાં એક વિષય શાકાહાર છે. તેથી કહું છું કે મારા દાદાએ જીવનના છેલ્લા વરસોમાં ફક્ત શાકાહાર કર્યો હતો. વચન આપું છું. હું પણ બે વરસ માટે પ્રયત્ન કરીશ.' બ્રિટનમાં ઓક્સફર્ડ, કેમ્બ્રીજ જેવી વિદ્યાનગરમાં અને યુનિક વિદ્યાપીઠમાં પ્રવચનો આપી ત્યાંથી રોમ આવ્યા. રોમના વેટિકન સીટીમાં પોપ પોલ સાથેની મૈત્રી ભરી મુલાકાતમાં અહિંસા જ ધર્મનો પાયો છે એ વાત ઉપર ચર્ચા વિચારણા થઈ. અને છેલ્લે મુનિશ્રીએ એ વાત પર ભાર મૂક્યો કે પ્રાણીદયા ધર્મપુષ્પની સુવાસ છે. એનાથી જ જગતમાં શાંતિ આવશે. પ્રાણીઓના શ્રાપ નહિ આશીર્વાદ જ શાન્તિનો માર્ગ છે. તેઓ છ અઠવાડિયા સુધી યુરોપનો ધર્મ પ્રવાસ કરીને પાછા કાપી તી ભરી મુલકાઇ. અવાર ફર્યા. ૭૫ | શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001805
Book TitleShantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Original Sutra AuthorN/A
AuthorClare Rosenfield
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy