SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ - -- -- ભાષામાં પોતાના વિચારો કંઈ રીતે વ્યક્ત કરી શકશે? અંગ્રેજીમાં વાતચીત કરવી અને વ્યાખ્યાન આપવું એ અલગ બાબત છે. તેઓ વિચારતા હતા, હવે શું થશે, સફળતા મળશે કે નહિ?' એકાદ બે ક્ષણ મુંઝવણ અનુભવી. એમણે ઊંડો શ્વાસ લીધો. અને પોતાની વિચારધારા બદલી. પોતાના મનને બીજી દિશામાં વાળી દીધું. “મારે નિષ્ફળતા વિશે વિચારવું ન જોઈએ. હું એક હેતુ, એક ધ્યેય સિદ્ધ કરવા અહીં આવ્યો છું. એ ધ્યેય સિદ્ધ કરવા સફળ થવાનું જ છે, હું અવશ્ય સફળ થઈશ.' એમણે એક ક્ષણ આંખ મીંચી, પ્રભુ સ્મરણ કર્યું, અને આંખ ખોલીને મનોમન બોલ્યા, “હે મહાવીર પ્રભુ, મારી જાતને હું તને સમર્પણ કરું છું. માત્ર નબળા વિચાર, નકારાત્મક વલણને હું તારા ચરણે ધરું છું, તમે મારી સાથે છો, હું અહીં તમે આપેલ અહિંસા અને સત્યનો સંદેશ આપવા આવ્યો છું. પશ્ચિમની પ્રજાએ ભયાનક યુદ્ધો જોયાં છે. એક એક ઘરમાંથી પુરુષો યુદ્ધમાં મરાયા છે. એમને શાંતિ જોઈએ છે. હું જાણું છું કે તારા ચિંધ્યા માર્ગે ચાલનાર પૂર્ણ શાંતિ પામશે.' “આ દુનિયા પર સત્ય ટકશે. અસત્યનો નાશ થશે. વળી હું એમને અનેકાન્તવાદ વિશે કહીશ. જેથી દરેક સ્થિતિમાં તેઓ વિચારી શકે કે આમ પણ હોઈ શકે છે. આવું પણ બની શકે - ---- --- ---- મહાવીર તું મારી વાણીમાં વહેજે.' ચિત્રભાનુએ આ પ્રેક્ષકગણ પાસે સત્ય અને અહિંસા વિશે વ્યાખ્યાન આપ્યું. એમણે વળી કહ્યું “જીવ માત્ર સાથે મિત્રતા કરો. જ્યાં મિત્રતા છે ત્યાં તિરસ્કાર ટકી શકતો નથી.' “જે મિત્રતા બંધાશે તો મિત્ર પોતાના મિત્રનું ખૂન કરવાનું ઈચ્છશે નહિ, ઝગડાઓ અટકી જશે, યુદ્ધ થશે નહિ અને આ દુનિયામાં સૌ શાંતિપૂર્વક જીવશે.” શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રા ચિત્રભાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001805
Book TitleShantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Original Sutra AuthorN/A
AuthorClare Rosenfield
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy