SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ વિહાર કરતાં, વિસામો લેતા અને વળી આગળ વધતા, તેઓ વાંદરા પાસેથી પસાર થઈ રહ્યા. એમણે ગીધને આકાશમાં ઉડતાં જોયા. એમને જાણ થઈ કે અહીં તલખાનું છે. એમના હૃદયમાં કરુણા ાગી. એમની નજર સામે ભૂતકાળનો એક પ્રસંગ દેખાવા લાગ્યો તેઓ અમદાવાદ હતા. તેઓ વહોરવા ગયા હતા. ખોરાક લઈને તેઓ પાછા ફરતા હતા. રસ્તામાં એક ઘાયલ ગધેડો પડયો હતો એ અશક્ત હતો. પિતા એ નબળા પ્રાણી પાસે ઊભા રહ્યા. પોતાના માટે લાવેલ ખોરાક ગધેડાને ખવરાવવા લાગ્યા. એ સમયે પિતાના ચહેરા પર શાંતિ, મધુરતા અને હર્ષ હતો. મુનિના મનમાં નવજીવન પામેલી માછલી, અશક્ત ગધેડો અને કતલખાનામાં કત્લ કરાતાં પ્રાણીઓ હતાં. બીજી તરફ એમની નજર સામે મુંબઈના માનવીઓ હતા. આ નગરના માનવીઓ બે ટૂંક માટે દોડતાં હતા. વળી આખો દિવસ દોડીને ધન એકઠું કરવા છતાં તૃપ્ત ન થતા માનવીઓ જોયા. અહીં ગરીબ અને ધનવાનના ભેદ હતા. નાતજાત હતી. માનવી બીજા માનવીનું શોષણ કરતો હતો. એમને લાગ્યું કે અહીં ઘણું કરવાનું છે. ઘણું બદલવાની જરૂર છે. અહીં માનવ મહિમા જાગૃત કરવાની જરૂરત છે. જે પડેલ છે એને ઊભા કરવાની જરૂર છે. દુ:ખીઓના દુ:ખ દૂર કરવાની જરૂર છે. પણ બીજે વર્ગ છે જે ધનની પાછળ દોડીને પોતે જ દુ:ખ ઊભું કર્યું છે તેથી પોતે જ પોતાની જાત પર જુલમ કરે છે. મનમાં રહેલા અયોગ્ય વિચારોને લીધે, અયોગ્ય ટેવોને લીધે શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ Jain Education International For Private & Personal Use Only ૫૯ www.jainelibrary.org
SR No.001805
Book TitleShantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Original Sutra AuthorN/A
AuthorClare Rosenfield
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy