SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ જેની દિશા નક્કી નથી એના પથનો અંત નથી 3 રૂપ પાલિતાણા પહોંચ્યો. બીજા દિવસની સવાર પડી. એણે શંત્રુજય પર્વત ચડવાની શરૂઆત કરી. આ પર્વત પર અનેક ધર્મપુરૂષોનાં પગલાં થયાં છે. તેથી આ પવિત્ર પર્વત અંતરમાં પ્રકાશ પાથરે છે. આ એવો પર્વત છે જે પર્વત હજારો વર્ષથી ઉર્ધ્વગામી જીવન પથિકોનું આકર્ષણ રહ્યો છે. આ એક મહાન તીર્થ છે. પવિત્ર તીર્થ એ એવો પુલ છે જે, જીવન નૈયાને ભવસાગરની પેલી પાર ઉતારી શકે છે. યાત્રાળુઓ અહીં દુ:ખ સાગર જેવા સંસારને પાર કરવા, જન્મ મરણના ફેરા ટાળવા અને મુક્તિ પામવા આવે છે. - આ પર્વત આદીશ્વરદાદાની ચરણ ૨જથી પાવન થયેલ છે. આ પર્વત ચડતાં લાગે છે કે હૃદયમાં પવિત્ર લાગણીઓ જાગે છે. મન શુદ્ધ બને છે. એથી અંદર રહેલા શત્રુને જીતી શકાય છે. માનવીમાત્રમાં શત્રુઓ વસે છે. મનની નબળાઈ, દેહની આસક્તિ, લોભ, મોહ અને માયા એ માનવીના શત્રુ છે. આ શત્રુઓ માનવીની ઉર્ધ્વગમન યાત્રાને રૂંધે છે. પણ શત્રુંજયની યાત્રા કરે છે, તે શત્રુઓને જીતે છે. આ પર્વતનો કણકણ યાત્રાળુના હૃદયમાં શુભ ભાવ જગાડે છે. જે આંતરિક શત્રુઓને જીતે છે. એના જન્મ મરણના ફેરા ટળી જાણે છે. રૂપ પર્વત ચડતાં શત્રુંજય વિષે વિચારો કરતો હતો. એની . શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાન ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001805
Book TitleShantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Original Sutra AuthorN/A
AuthorClare Rosenfield
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy