SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા રાવ જેતસીનો છંદ : આ. છંદમાં બીકાનેરના રાવ જેતસીના પરાક્રમનું વીરરસમાં વર્ણન કરવામાં આવ્યું છે. આવી જ એક રચના ચારણી કવિ વીઠુએ પણ કરી છે. જૈન સાહિત્યની છંદ રચનાઓ : શાંતિનાથનો છંદ : શાંતિનાથની છંદની રચના ઋષિ જેમલજીએ ૨૬ કડીમાં કરી છે. તેમાં શાંતિનાથ ભગવાનનાં પાંચ કલ્યાણકની અને જીવનમાં કરેલી આરાધનાની તથા પરિવારની માહિતી આપવામાં આવી છે. મધ્યકાલીન સાહિત્યમાં ચરિત્રાત્મક રચનાઓ વિશેષ થઈ છે. આ રચના પણ શાંતિનાથ ભગવાનના ચરિત્રનો પરિચય કરાવે છે. તીર્થકર ભગવાનનું ચરિત્ર એ સંસારી જીવોને માટે અગણિત ઉપકાર કરનારું છે. તેમાં શ્રી શાંતિનાથ ભગવાન સર્વ રીતે શાંતિ પ્રાપ્ત કરાવનાર અને પરમપદની પ્રાપ્તિ માટે પથપ્રદર્શક હોઈ, એમનો મહિમા અપરંપાર છે. શાંતિનાથ ભગવાનની ઉપાસનાથી શું ફળ મળે છે તે માટે કવિ જણાવે છે કે : “તુમ નામ લિયા સવિ કાજ સરે તુમ નામે મુગતિ મહેલ મળે, તુમ નામે શુભ ભંડાર ભરો. | ૨૫ | ઋષિ જેમલજીએ એહ વિનંતી કરી પ્રભુ તોરા ગુણનો પાર નહી, મુજ ભવભવનાં દુઃખ દૂર કરો. || ૨૬ ! મધ્યકાલીન સમયમાં મોટા ભાગની રચનાઓ પદ્યમાં થતી હતી એટલે પદ્યના માધ્યમ દ્વારા તીર્થકરોના ચરિત્રને વિષય તરીકે પસંદ કરીને એક કરતાં વિવિધ સ્વરૂપોમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ છંદરચનાની શૈલી સરળ અને સુગ્રાહ્ય છે. શાંતિનાથનો છંદ : કવિ ગુણસાગરે શાંતિનાથના છંદની એકવીશ ગાથામાં રચના કરીને શાંતિનાથનો મહિમા વર્ણવ્યો છે. તદુપરાંત શાંતિનાથ ભગવાને દીક્ષા લઈ, કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું પછી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, દેશના આપી, સર્વ કર્મનો ક્ષય કરી નિર્વાણ પામ્યા તે વિષેની માહિતી આપવામાં આવી છે. આમ આ છંદ બે વિભાગમાં વહેંચાયો છે. શ્રી શારદા દેવીની સ્તુતિ કરીને શાંતિનાથનો મહિમા દર્શાવતા કવિ જણાવે છે કે, “શારદા માય નમું શિરનામી, હું ગુણ ગાઉ ત્રિભુવન કે સ્વામી, શાંતિ શાંતિ જપે સબ કોઈ, તે ઘર શાંતિ સદા સુખ હોઈ. / ૧ / શાંતિ જપી જે કિજે કામ, સોહિ કામ હોવે અભિરામ, શાંતિ જપી જે પરદેશ સધાવે, તે કુશળે કમળા લેઈ–આવે.” || ૨ | આ છંદ ગુજરાતી ભાષામાં રચાયો છે, તેના પર હિન્દી ભાષાનો પ્રભાવ પડ્યો હોય તેમ લાગે છે. નરકું, સાહીબ, તેરો, તુમકુ–આ શબ્દો હિન્દી ભાષાના પ્રભાવવાળા છે. ઉપરોક્ત છંદમાં સાચા અર્થમાં શાંતિનાથનો મહિમા ગાવામાં આવ્યો છે. છંદના અંતે કવિ જણાવે છે કે, “જનમ-મરણના ભય નિવારો, ભવસાગરથી પાર ઉતારો, શ્રી હત્યિનાઉર મંડણ સોહે, ત્યાંથી શ્રી શાંતિ સદા મન મોહે.”|| ૨૦ || શાંતિનાથ ભગવાનના ગુણગાન ગાવાથી જન્મ-મરણનો મહાભય દૂર થાય છે અને ભવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy