SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ચંદનબાળા ચેલીને ખમાવ્યારે, વીર. નિંદા ખામતાં તે કેવળ પામ્યા રે, વીર. ગુરૂણી ને ચેલી મોક્ષ પામ્યા રે, વીર. તેમ પદ્મવિજયજી ગુણ ગાયા રે વીર. (૯) સંદર્ભ : (જિનગુણમંજરી) પા. ૩૩૬ ૫. ચુંદડી ‘ચુંદડી' એ સંસારી જીવનમાં સૌભાગ્યના પ્રતીક તરીકે પ્રસિદ્ધ છે. લગ્નજીવનની સફળતા અને સમૃદ્ધિમાં ચુંદડી ઓઢવાનો પ્રસંગ અપૂર્વ હર્ષોલ્લાસથી ઉજવાય છે. આત્માના શાશ્વત સુખ માટે સંયમ જીવનનો રાજમાર્ગ સુપ્રસિદ્ધ છે. સંયમ જીવનમાં પાંચ મહાવ્રત છે તેમાં ચોથું બ્રહ્મચર્યવ્રત વ્રતોમાં શિરોમણિ છે. આ માટે શિયળ શબ્દ તેના પર્યાય તરીકે પ્રચલિત છે. કવિ શીલ વિજયે ૧૧ કડીની આ સઝાયમાં પૂર્વકાલીન દૃષ્ટાંતોનો ઉલ્લેખ કરીને શીયળ પાળવાનો અનુરોધ કરતો કેન્દ્રવર્તી વિચાર પ્રગટ કર્યો છે. વિષયવાસનાનો ત્યાગ કરીને બ્રમચર્યવ્રત પાલનથી આત્મા મુક્તિમાર્ગનો ભોક્તા બને છે શીયળની ચુંદડી એ મુક્તિનું પ્રતીક છે. આરંભના શબ્દો છે. રે જીવ વિષય નિવારીએ, નારી શિરસો નેહો રે, મુંજમૃણાલ તણી પરે, ફાટક દેખાય છેહોરે. ॥૧॥ કવિએ સ્ત્રી ચરિત્રનાં ઉદાહરણ આપવીને શીયળ પાળવાનો બોધાત્મક વિચાર વ્યક્ત ર્યો છે. ઉદા. જોઈએ તો Jain Education International જનમ લગે જે વાલહી, સૂરિકતાનારો રે, કંઠે ડસ્યો અંગુઠળ, મારવા નિજ ભરતારો રે, રે જીવ. III દીપશીખા દેખી કરી. રૂપે મોહ્યો પતંગો રે, સોના કારણ લોભીયો, હોમે આપનો અંગો રે, ॥ રેજીવ ॥લા અંતે કવિ જણાવે છે કે ‘‘શીયલ સુરંગી ચૂનડી, તે સેવો નિશદિશોરે.” શીયલની ચુંદડી રે જીવ વિષય નિવારીએ નારી ઉપર શો નેહોરે, મુંજ મૃગાલ તણીપરે ફાટક દેખાય છેહો રે જીવ. ॥૧॥ ષટ્ ખંડ કેરો રાજીયો આપતણો અંગ જોતો રે, ચૂલણી ચૂકી મારવા અવર કહું કિસી વાતો રે જીવ. II૨।। For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy